________________
પાપ શક્કિળી પ્રકિયા
પણ અતિચાર સેવ્યો હોય તેવરાવ્યો સેવતાં પ્રત્યે અનુમોદ્યો હોય તો અનંતા અરિહંત, સિધ્ધ, કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડે !
હે ભગવાન! કષાયને વશ થઈ, મોહને વશ થઈ, સ્વાર્થબુધ્ધિથી કે યોગની, દષ્ટિની, ગતિની, મતિની કે ભાષાની ચપળતાના કારણે, દુષ્ટબુધ્ધિએ, દુષ્ટધ્યાને, દુષ્ટઅધ્યવસાએ, આત્માની અશુદ્ધ વેશ્યાએ કરી જ્ઞાન સબંધી ઓછી, અધિક કે વિપરીત સહાણા - પ્રરૂપણા કે સ્પર્શના કરી હોય જ્ઞાન તેમજ જ્ઞાનીનું બહુમાન કર્યું ન હોય, ઉપકાર ઓળવ્યો હોય, આશાતના - અવિનય - અભક્તિ કરી હોય, જ્ઞાન મેળવતાં કોઈને અંતરાય પાડ્યો હોય, જ્ઞાન કે જ્ઞાની ઉપર દ્વેષભાવ રાખ્યો હોય, જ્ઞાની સાથે ખોટા ઝગડા વિખવાદ કર્યો હોય, આના સિવાય કોઈ પણ પ્રકારે જ્ઞાનવરણીય કર્મ બંધાય તેવું વર્તન કર્યું હોય. જ્ઞાનના ઉપકરણ પુસ્તકો-ઠવણી આદિ જ્યાં ત્યાં રાખ્યા હોય, પગતળે કચર્યા હોય, ઓશિકે મુકી ઉપર સુવાયું હોય, શાસ્ત્રનું સંરક્ષણ કર્યું ન હોય, હઠ-કદાગ્રહ કે ધૃષ્ટતાથી શાસ્ત્રનું વચન ઉત્થાપ્યું હોય, તેના પ્રતિ ઉપહાસ્ય કે અવહેલના કરી હોય. જ્ઞાનના આઠ આચાર જેવા કે (૧) કાળે ભણવું (૨) વિનય સહીત ભણવું (૩) બહુમાનપૂર્વક ભણવું (૪) તપ સહિત ભણવું (૫) ગુરુનો ઉપકાર ઓળવવો નહીં (૬) શુધ્ધ ઉચ્ચારપૂર્વક ભણવું (૭) સૂત્રથી વિરુધ્ધ અર્થ કરવો નહીં (૮) પાઠ તથા અર્થ અશુધ્ધ ભણવા નહીં આ આઠ આચારમાંથી કોઈ પણ આચારની ખંડના કે વિરાધના થઈ હોય, અવિનય, આશાતના, અભક્તિ થઈ હોય, મન - વચન - કાયાએ કરી જાણપણે - અજાણપણે, આકોટિએ - અણાકોટિએ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી, દેશથી, સર્વથી, દિવસ સબંધી, રાત્રિ સબંધી જ્ઞાન કે જ્ઞાનીની કોઈ પણ પ્રકારે આશાતના કરી હોય, કરાવી હોય, કરતાને અનુમોદન આપ્યું હોય તો અનંત સિદ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org