SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ જયણાનું મહાત્મ્ય, ૪૧૭ કર્યા. પુત્રનું સુસન્ડ્રુ એવું નામ પાડવામાં આવ્યું. માતાપિતાએ તેને લાલનપાલન કરી માટે કર્યા. સુસ‰ કુ ંભારની કળામાં પ્રવીણ થયા હતા, તથાપિ તેનું હૃદય ધાર્મિક હતું. એક વખતે તે ગામમાં કાઈ જ્ઞાની મુનિ આવી ચડ્યા, તેને વાંદવાને આવતા લેાકાની સાથે સુસ ૢ પણ આવી ચડયા. મુનિના મુખની વાણી સાંભળી સુસઢ્ઢના મનમાં સ ંવેગ પ્રાપ્ત થયા, તેણે તત્કાળ તે મુનિની પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી સુસ‡ સાધુએ ગુરૂની સેવના, છઠ્ઠ અઠ્ઠમ વિગેરે તપની આરાધના અને માસક્ષમણા કરી પોતાના ચારિત્રને દીપાવ્યું. કર્મની સત્તા પ્રબળ છે, આવા ઉત્તમ મુનિ કેટલાક કાળ ગયા પછી સયમમાં શિથિળ થઇ ગયા. જેમ તિવત અશ્વ અવળા થાય, તેમ તે અવળેા થઇ, ગુરૂની શિક્ષાને માન્યા વગર માત્ર તપસ્યાજ કરવા લાગ્યા. તેના મનમાં તપને માટે સારા ભાવ હતો. સંયમના બીજા ધર્મને તેણે ગણકાર્યા નહીં. ગુરૂ તેને કહેતા કે, વત્સ ! એકલું તપ શા કામનું છે ? તું યતના ( જયણા ) રાખીને તપસ્યા કર. રાક્ષા પણ તે માના નહીં, અને જયણા રાખ્યા શિવાય તપસ્યા કરતા, ઉત્તમ સયમ માનતા હતા. ગુરૂની આવી અને તેનેજ સુસટ્ટની આવી વર્તણુક જોઇ ગુરૂના હૃદયમાં દયા આવી. ગુરૂએ મનમાં વિચાર્યું કે, આ મુનિ ચારિત્રધારી તપસ્યા કરે છે, પણ તેની તે તપસ્યા યતના વિના વૃથા છે, માટે તેના હિતની ખાતર તેને યથાશક્તિ ખાધ આપવા, તે છતાં જો તે અલ્પ મતિ માને નહીં, તે। પછી તેનાં કર્મ જાણે. આવું વિચારી એક વખતે ગુરૂએ સુસટ્ટને ખેલાવી આ પ્રમાણે કહ્યું: વત્સ ! હવે દીર્ધ વિચાર કર, શુદ્ધ ભાવથી યતનાને આદર કર, જયણાને પ્રભાવ દિવ્ય છે. જયા વિના તારી તપસ્યા કાયને કલેશકારક થઈ પડશે,યતનાને માટે નીચેની ગાથા સમજી હમેશાં તેનું મનન કર્યા કર. समिइ कसाय गारव, इंदियमय बंभचेरगुत्तीय सज्जाणविणय तव एग, सड्ढीओय जयणा सुविहियाणं ॥ १ ॥ જયણાથી પાંચ સમિતિવાન થવાય છે, કષાય, ગારવ અને ઇંદ્રિય મદથી દૂર રહે છે, બ્રહ્મચર્ય, ગુપ્તિ, સ્વાધ્યાય, વિનય અને તપ નિરાબાધ થાય છે, તેમજ ગુરૂની આજ્ઞામાં પ્રણયવાન થવાય છે. શિષ્ય ! જયણાને માટે જેવા ઉત્તમ અભિપ્રાય છે, તેÀજ ગુરૂની આજ્ઞામાં પણ છે. શિષ્ય સ્વતંત્ર રીતે કાંઇ પણ કાર્ય કરવાના અધિકારી નથી. કદિ તે કાર્ય ઉત્તમ ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy