SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ આનંદ મંદિર. નગરીમાં શ્રી વીર ભગવંત સમાસા હતા. તેમની સાથે ઐાદ હજાર મુનિએ હતા. તેમણે પખેંદામાં યતનાને પ્રતિષેધ આપતાં મને મુસદ્ગુ શ્રાવકની વાત્તા કહી સંભળાવી હતી. સુરૢ શ્રાવક ધર્મને અનુરાગી અને તપસ્વી હતા, પણ જયણા પાળવામાં પ્રમાદ કરવાથી તે સંસારના પારને પામી શક્યા નહતા. ભરતક્ષેત્રમાં અવંતી દેશની અધર સજીક નામે એક ગામ હતું, ત્યાં સુશિવ નામે એક દરિદ્રી અને નિર્દય બ્રાહ્મણ રહેતા હતા, તેને યજ્ઞયશા નામે સ્ત્રી હતી. તેણીના ઉદરમાંથી સુજ્જશ્રી નામે એક પુત્રી થઇ હતી. તે એવી અભાગણુ હતી કે, તેના જન્મ વખતેજ તેની માતાનું મૃત્યુ થયું, અને ધરમાં કેટલીએક હાની થઇ હતી. હું ચેટકરાજા! તે વખતે મેં શ્રી વીરપ્રભુને પુછ્યું કે, એ સુજશ્રી દુર્ભાગા કેમ થઇ ? ત્યારે પ્રભુએ જણાવ્યું કે, ભરતક્ષેત્રમાં આવેલા ક્ષિતિપ્રતિષ્ટિત નગરમાં અરિમર્દન રાજા હતા. તે સુજ્જશ્રી તે ભવે વરકાંતા નામે તે રાજાની રૂપવતી સ્ત્રી હતી, તેણીને એક ખીજી શાક્ય હતી, તેને એક પુત્ર હતા. એક વખતે શ્રીકાંતાએ ચિંતવ્યું કે, જે આ શાક્યના પુત્ર મરી જાય, તો મારે ઠીક થાય; બધું રાજ્ય મારા પુત્રનેજ મળે; અથવા જો તે રોકય મરી જાય, તાપછી રાજાના બધા ભાગ મારી સાથેજ રહે. આવા દુષ્માનથી તેણીએ અશુભ કર્મ બાંધ્યું, અને ત્યાંથી મૃત્યુ પામીને આ સુન્નત્રી થ અવતરી હતી. પૂર્વના પાપથી તે દુભાગી થઇ હતી. એટલે ખાર ગાતમ ! સુજશ્રી માતા વગરની થઇ, એટલે તેના પિતાએ જે તે સ્ત્રીઓની પ્રાર્થના કરી, તેને સ્તનપાન કરાવી મોટી કરી. જેમ જેમ તે મોટી થતી, તેમ તેમ તે સુશિવ વધારે દુઃખી થતા હતા. જ્યારે સુજશ્રી આઠ વર્ષની થ૪, વર્ષના દુકાળ પડયા. લકામાં ભારે ભુખમરા ચાલવા લાગ્યા; આથી સુશિવ પણ ઘણા દુઃખી થયા. ક્ષુધાથી પીડિત થઇ, તેણે પુત્રીનું માંસ ખાવા સુધીના વિચાર કર્યા. પછી તેણે તેવા કુવિચારને માટે અકસાસ કરી, છેવટે સુશ્રીને વેચી દેવાના નિશ્ચય કર્યો. પછી ગાવિંદ નામના એક ધનાઢય બ્રાહ્મણને ત્યાં સુજ્જશ્રીને વેચી દીધી. પુત્રીના વેચવાથી તેની ગામમાં નિંદા થવા લાગી, એટલે તે ગામ છેડીને પરદેશ ચાલ્યા ગયા. પરદેશમાં પણ દ્રવ્યના લાભથી જેનાં તેનાં બાળકા વેચવા માંડયાં, અને ધણું ધન એકઠું કર્યું, અને તે દ્રવ્યથી રત્ન ખરીદ કર્યાં. તેમ કરતાં કરતાં સુરુશિવે દુકાળનાં આઠ વર્ષ પસાર કર્યું. અહીં ગેવિંદ બ્રાહ્મણને પણ સુજશ્રીના આવવાથી લક્ષ્મીને ક્ષય થઈ ગયા. જીવતે જેમ આયુષ્ય ચાલ્યું જાય, અને અજલિમાંથી જળ ચાલ્યું જાય, તેમ તેના ધરમાંથી ધન ચાલ્યું ગયું, હવે તેને દુકાળ પ્રસાર કરવાની ચિંતા થઇ પડી. કુટુંબને નિવદ્ગ શી રીતે કરવા ? તેને માટે કાંકાં મારવા લાગ્યો. સુજશ્રીના ઉદરથી કેટલાંએક સતાના થયાં હતાં, તે બધાનું પાષણ કરવાને તેની પાસે કાંઇ પણ સાધન ન હતું. કાઇ વાર રાજદરબારમાં યાચના કરવા જતા, ત્યારે ધાન્ય વિગેરે કાંઇક લાવતા હતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy