SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ જયણાનું મહાભ્ય. ૪૦૧ આવી જયણુને માટે રાજર્ષિ પ્રતાપસિંહને તેમના ગુરૂ સુવૃત્તાચાર્યે સારો બંધ આપ્યો હતો. તે જ્ઞાનવિભૂષિત આચાર્યે એક વખતે પિતાના શિષ્ય મંડળ વચ્ચે જયણાને માટે ઘણું વિવેચન કર્યું હતું, અને તેથી કરીને સર્વ અનુગાર દે પિતાના મુનિ ધર્મની અંદર જયણને પ્રથમ પદ આપ્યું હતું, અને જયણાનું પાલન કરવાને માવજીવિત અભિગ્રહ ધારણ કર્યો હતે. વાંચનાર ! તમને પણ જયણાને માટે જીજ્ઞાસા ઉત્પન્ન થઈ હશે. આ આનંદ મંદિરતા વાચકને જ્યણાનું મહા અવશ્ય જાણવું જોઈએ. આ વાર્તાના નાયક શ્રીચંદ્રના ઇતિહાસમાં જેવી રીતે આંબિલ તપનું મહાતમ્ય મુખ્ય છે, તેવી રીતે બીજી તરફ જયણાનું મહામ પણ મુખ્ય છે. સનાતન જન માર્ગમાં જયણાને પ્રભાવ અનાદિ કાળથી ગવાય છે. જયણાના પ્રભાવ માટે સુસ–સુશ્રાદ્ધને ઈતિહાસ જૈન આગમમાં પ્રખ્યાત છે. તે ઇતિહાસ આનંદ મંદિરના વાચકની આગળ સર્વ રીતે દર્શનીય છે. પૂર્વ વિશાળા નગરીમાં એક ચેટક નામે રાજા હતા. તે દેશવિરતિ વતથી અલંકૃત થઈ પોતાના માનવ જીવનને કૃતાર્થ કરનારો હતો. એક વખતે તે નગરીના ઉદ્યાનમાં ગતમ ગણધર આવી ચડ્યા. વનપાળની વધામણીથી તે ખબર જાણી ચેટક રાજા મોટા આડંબરથી ગણધરને વાંદવા આવ્યું. પાંચ અભિગમપૂર્વક પાસે આવી તેણે મુનીશ્વરને વંદના કરી. પરોપકારી ગણધર મહારાજાએ ધર્મદેશના આપી. દેશનાને પ્રસંગે તપસ્યાની વાર્તા ચાલી, તે વાર્તામાં મુનિવરે આંબિલ વર્ધમાન તપને મહિમા વિશેષ વર્ણવ્યો. તેમણે એ તપોમણિને વિધિ શ્રી વીરભગવંતે કહેલ અંતગડ સૂત્રના આધારથી જણાવતાં કહ્યું કે, આંબિલ વર્ધમાનમાં એક એક આંબિલ વધતાં સે બિલ સુધી વધાય છે, અને અંતે ઓળી થાય છે, તેમાં પારણાનો આરંભ છે. એક ઓળીને છેડે જે શક્તિ હોય, તો ઉપવાસ થાય, નહીં તે પારણું કરવું પડે છે. પાંચ હજાર આંબિલ થાય, ત્યારે એલીના સે ઉપવાસ થાય છે, અને તેમાં ચાર વર્ષ, ત્રણ માસ અને વીશ દિવસનું પરિમાણ છે. આ તપના મહામ્યમાં ગણધરે આપણું શ્રીચંદ્ર રાજાને વૃત્તાંત જણવ્યો હતો. પ્રતાપી શ્રીચંદ્ર ચંદનના ભવમાં આંબિલ વર્લ્ડમાન નામે મહા તપ આચર્યું હતું. તે તપસ્થાના પ્રભાવથી તે મહા પ્રભાવિક થયો છે. તેને બધો વૃત્તાંત ગૌતમે ચેટક રાજાને કહ્યા છે, અને આપણે આટલે સુધી વાંચીને જાણ્યું છે. આ આનંદ મંદિરને ઉદ્દભાવ ગણધરના મુખમાંથી જ થયો છે. એક વખતે ગતમ ગણધરે ઉપદેશ પ્રસંગે જયણાનું મહાસ્ય દર્શાવતાં જયણું ન રાખવાથી જપ તપ વિગેરે વ્યર્થ થાય છે, અને દુઃખી થાય છે, તેના દાખલામાં સુસહુ નામના એક શ્રાવકનું નામ આપ્યું, એટલે ચેટક રાજાએ પુછયું કે, સ્વામી! સુસટ્ટ કોણ હતા ? તેણે જયણાને માટે શું કર્યું હતું ? એ મને વિસ્તારથી વાર્તા કહે. આ પ્રમાણે ચેટક રાજાએ પુછયું, એટલે કૃપાળુ ગણધર બેલ્યા કે, એક વખત રાજગ્રહી ૫૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy