________________
૨૨
આનંદ મંદિર આશ્ચર્ય પામી ગયા. પછી શ્રીચ કે પિતાની આજ્ઞા લઈ, તે વાનરીના નેત્રમાં કૃણાજનને પ્રયોગ કર્યો, એટલે તે સુર સુંદરી જેવી થઈ ગઈ. તેનું મનોહર સ્વરૂપ જોઈ, સભ્યજન ચિકિત થઇ ગયા. લજજાથી નીચું મુખ કરી રહેલી એ રાજબાળાને શ્રીચંદ્ર સ્વીકારી. પ્રસન્ન મુખી રમણ પોતાના સસરાને ચરણમાં નમી પડી, અને પછી સાસુને વાંદવા ગઈ. તે દરમીયાન અરિમર્દન રાજા પોતાના પુત્ર મદનપાળની નિંદા કરતો આવ્યો. અને તેણે શ્રીચંદ્રને નમન કર્યું, મદનપાળ પણ લજજા વનીત થઈ, શ્રી ચંદ્રને નમી પડ્યો. ત્યાર પછી તરતજ ભિલ્લાની સાથે ઘણાં રને લઈને પેલી મોહિની આવી, એ જૈન ધર્મના પસાયથી બાળ બ્રહ્મચારિણી રહી હતી, તે શ્રીચંદ્રની પાદુકાને પ્રણામ કરી દિવસ નિર્ગમન કરતી, અને માનવ જન્મને સફળ કરતી, તે ભિલ બાળા આ સંસારના પારને પામી હતી. તે પછી શિવમતી બ્રાહ્મણીને પણ ત્યાં યોગ થયે, નાયકપુરનો દેશ તેને સોંપવામાં આવ્યો, અને ધનના મોટા ભંડારો ભેટ કરવામાં આવ્યા.
પછી મહારાજા પ્રતાપસિંહે રાજ્યાભિષેકના ઉત્સવને સમારંભ કર્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્ત શ્રીચંદ્રના રાજ્યાભિષેકની ક્રિયા કરવામાં આવી કુશસ્થળી રાજધાની આનંદ ઉત્સવથી ગાજી રહી, ઘેર ઘેર મંગળ ગીત અને જયધ્વનિ થઈ રહ્યાં, પ્રત્યેક રિજન તે ઉત્સવમાં સામેલ થયાં, શ્રીમતી ચંદ્રકળાને પટરાણીનું પદ આપવામાં આવ્યું, અને તેની નીચે બીજી સળ પટરાણીઓ સ્થાપવામાં આવી. કનકાવળી પદ્મશ્રી, મદન દરી, રત્નચૂલા, રસ્તવતી, પ્રિયંગુમંજરી, મણિચૂલા, તારાચના, ગુણવતી, ચંદ્રમુખી, ચંદ્રલેખા, તિલકમંજરી, કનકા, કનકાવતી, સુચના અને સરસ્વતી એ સોળ પટરાણીઓ મુખ્ય હતી. તેની નીચે બીજી સેળ અને આઠ મુખ્ય મળી છત્રીશ પટરાણીઓ થઈ હતી. તે સિવાય બીજી સોળ રાણીઓના પરિવાર થયો હતો. ચંદ્રાવળી, રત્નાવળી, રત્નકાંતા, ધનવતી, ચતુરા અને કોવિદા વિગેરે બીજી પાંચ હજાર ભોગતરૂણી હતી. તેઓ લાવણ્ય, રૂપ, સિભાગ્ય અને કીડાના સ્થાનરૂપ હતી. પૂર્વનાં ભોગ્ય કર્મથી શ્રીચંદ્રને તેમને વેગ મળી આવ્યા હતા.
રાજ્યાભિષેક કર્યા પછી શ્રીચંદ્ર કુશસ્થળીને મહારાજા થયે. લૈકિક રાજ્ય પ્રાપ્ત થતાં પણ તે ધર્મના રાજ્યને ભુલી ગયો નહોતો. પુણ્યના પ્રભાવથી તેણે જે જે ધન ઉપાર્જન કરેલું, તેને તે સદુપયોગ કરતો, અને સાત ક્ષેત્રમાંજ દ્રવ્યો વ્યય કરી, તે અતુલિત પુણ્ય ઉપાર્જન કરતો હતો. જે જે વિદ્યાઓ તેણે પૂર્વે સિદ્ધ કરી હતી, તે તે વિદ્યાઓના બળથી તે અનેક દેશને તાબે કરતે. એવી રીતે તેણે અલ્પ સમયમાં જ ત્રણ ખંડ સાધી લીધા હતા. ચતુરંગ બળ, અનુપમ રાજ્યની રીયાસત, અને બુદ્ધિનો મહાન વૈભવ, એ ત્રિવિધ પ્રકારથી તે નવીન ઈંદ્રના જે લાગતું હતું. કલ્પવૃક્ષની જેમ તે પિતાની પ્રજાની આશાઓને પુરતે હતો. પ્રજા તેના નિર્મળ યશનું ગાન કરતી હતી. મનમાં જે જે ઇચ્છાઓ થતી, તે બધી ઈચ્છાઓને તે લીલા માત્રમાંજ પુરી કરતા હતા. સ્પર્શ મણિના વેગથી જેમ લેહ સુવર્ણ થાય, તેમ દરિદ્રી અને દુસ્થિત જને તેના સમાગમથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org