________________
રાજ્યાભિષેક. પ્રકરણ ૬૮ મું.
રાજ્યાભિષેક
તાપી શ્રીચંદ્ર વિદ્યાધરને ચક્રવર્તી થયા પછી પિતાના પરિવાર સાથે કુશછે આ 8 થળીમાં આવ્યો હતો. તે વખતે કુશસ્થળીની રાજભક્ત પ્રજાએ પિતાના
યુવાન રાજાને ભારે આવકાર આપ્યો હતો. એક વખતે પુત્રની મહાન થિી સમૃદ્ધિ તટસ્થપણે રહી જેવાને ઇચ્છનારા મહારાજા પ્રતાપસિંહે વિચાર રાવ કર્યો કે, યુવરાજ શ્રીચંદ્ર હવે રાજ્યધુરા વહન કરવાને પૂર્ણ અધિકારી
"શ થયો છે. કુશસ્થળીનું રાજ્ય સિંહાસન એક સર્વ ગુણ સંપન્ન યુવાન રાજાને આરૂઢ કરવાને ઈચ્છે છે. ઘણો કાળ રાજ્યવૈભવને ઉપભોગ કરવાથી હું હવે શ્રાંત થઈ ગયો છું. રાજ્યધુરાના ભારથી મુક્ત થવાની મને ઈચ્છા ઉત્પન્ન થાય છે. શ્રીચંદ્ર જે પ્રતાપી પુત્ર રાજ્યને ધુરંધર હોય, તે છતાં શામાટે મારે રાજ્ય ચિંતાથી આતુર રહેવું જોઈએ ? રાજ્યસુખ અને સાંસારિક સુખનો અંત લાવી, ઉપશમના મહાન સુખને સંપાદન કરવાને હવે સમય આવ્યો છે. શાંતિના પવિત્ર પ્રવાહમાં મગ્ન થઈ, આ આત્મિક સુખને અધિકાર સંપાદન કરવાને કાળ પ્રાપ્ત થયેલ છે.
આ પ્રમાણે વિચારી પ્રતાપસિંહે પોતાના પુત્ર શ્રીચ ને રાજ્યાભિષેક કરવાને નિશ્ચય કર્યો. પિતાના એ નિશ્ચયને વધારે દૃઢ કરવાને રાજ્યના બુદ્ધિમાન સચિવ વર્ગને બેલાવી, તેણે એક મોટી સભા ભરી, તે સભાની અંદર સામે, મંત્રીઓ અને ઉત્તમ સલાહકારોને બોલાવ્યા, અને તે સિવાય રાજ્યના આશ્રિત વિદ્વાને, અને રાજકવિઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા.
જ્યારે સભા મંડપ ચીકાર ભરાઈ રહ્યા, અને શ્રીચંદ્રને રાજ્યાભિષેક કરવાને સુવિચાર મહારાજાએ જણાવ્યું, એટલે સર્વ તરફથી ઉત્તમ પ્રકારની તેમાં સંમતિ મળી; તે વિચાર સાંભળતાં જ સર્વના હૃદયમાં સત્સાહ આનંદ વ્યાપી રહ્યા. આ વખતે છડીદારે આવી મહારાજાને જણાવ્યું કે, કેટલાએક રાજાઓ રાજકન્યા સાથે અહીં આવવાની રજા માગે છે. તે સાંભળી પ્રતાપસિંહ આશ્ચર્ય પામી ગયે, અને તેણે તેમનો સત્વર પ્રવેશ કરાવવાની આજ્ઞા આપી.
પ્રથમ કુંડલપુરના રાજા આવ્યું. પ્રતાપસિંહને અને શ્રીચંદ્રને પ્રણામ કરી, તે આગળ બેઠે. તે વખતે તેણે મોટી ભેટની સાથે એક વાનરી શ્રીચંદ્રની આગળ અર્પણ કરી. વાનરીને જોતાંજ સભાજન આશ્ચર્ય પામી ગયો. પછી રાજાએ ઉઠીને શ્રીચંદ્રને વિનતિ કરી કે, આપ કૃપા કરી અજ્ઞાનતાથી કરેલા બધા અપરાધ ક્ષમા કરે. તે વખતે સભાજને તે વિષે પુછતાં તેણે સર્વ વૃત્તાંત જણાવ્યું, જે સાંભળીને સભ્યજનો વધારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org