________________
આનંદ મંદિર. આપને શ ષ કાઢવે ? મારા ભાગ્યને જ તે મહિમા છે. ધનવંતપણાના ભાગ્યને હું કોઈ રીતે અધિકારી નથી. આપ જેવા ઉદાર સ્વામીએ મારાં દારિદ્રને છેદ કર્યો હતો, અને મને જગતમાં ધનવંતની શ્રેણીમાં મુક્યો હતો, તથાપિ હું પાછો મારી પૂર્વ સ્થિતિમાંજ આવ્યો. મારી સ્થિતિ જોઈ, મને નીચેની કવિતાનું સ્મરણ થાય છે –
દેષ કિશો દાતારને, જે કમેં નવિ હોય, સર્વ રન દેવે પ્રશ્નો, શંભુ કાળકૂટ જોય. ૧
વીણારવની આવી ફરીયાદ સાંભળી રાજકુમારે તરત જિતશત્રુ રાજાને બોલાવ્યા, અને બીજા અધિકારીઓને પણ બોલાવ્યા. સર્વની સમક્ષ રાજકુમારે જિતશત્રુ રાજાને ગુસ્સાથી કહ્યું, રાજન ! આ શો જુલમ ? તમારે શરમાવાનું છે. કપિલપુરની પ્રજા ઘણે વખત થયાં પોકાર કરે છે, તથાપિ કોઈ તેમની સંભાળ લેતું નથી, એ કેવી અનીતિ ? નરપતિ ! તમે રાજા નામ ધારણ કરી, તમારી પ્રતિષ્ઠાને ગુમાવી છે. પ્રજાનું રક્ષણ નહીં કરનારા નૃપતિઓ રાજા નથી, પણ રાજાને વેશ પહેરનારા નટડા છે. તમે રાજય સત્તા ધારણ કર્યા છતાં આખું શહેર હમેશાં લુંટાય, એ કેવી વાત ? આકાશ, પાતાળ, કે અંતરીક્ષમાં રહેલા તે દુષ્ટ ચેરોને શોધીને તમારે શિક્ષા કરવી જોઈએ, જેના રાજ્યમાં પ્રજા દુઃખી થાય, અને રાજા રાજ્ય વૈભવ ભગવે, તે રાજા નરકના અધિકારી થાય છે.
રાજકુમાર શ્રીચંદ્રનાં આવાં વચન સાંભળી જિતશત્રુ રાજાને ઘણી લજા આવી. તે ઘણી વાર નીચું જોઈને રહ્યા. પિતાના મનમાં એટલે સુધી થયું કે, જે ધરતી માર્ગ આપે, તે હું અહીંજ સમાઈ જાઉં. જિતશત્રુ રાજાના મુખ ઉપર આવી ગ્લાનિ જોઈ, શ્રીચંદ્ર એક બીડું મંગાવ્યું, અને તે હાથમાં લઇ સર્વને જણાવ્યું કે, જે કઈ તે ચોર પકડવાને માટે આ બીડું ગ્રહણ કરશે, તેને હું સુંદર પિલાકની સાથે મોટું ઈનામ આ પીશ. આ પ્રમાણે કહી, ઘણી વાર સુધી બીડું રાખ્યું, તથાપિ કોઈ બીડું લેવાને આ વ્યું નહિ. ઘણી વાર થઈ, એટલે સભાજન બોલ્યા કે, મહારાજ ! આ પ્રમાણે ઘણી વાર બીડાં કરવામાં આવ્યાં હતાં, તથાપિ કોઈ પણ હજી સુધી એ બીડીને ગ્રાહક થશે નથી. શા માટે આપ વિલંબ કરો છો ? એ ચમત્કારી ચોરની શોધ કરવાને કોઈ પણ વીર સમર્થ થ નથી. ઘણી વાર બીડાને ગ્રહણ કરી, પ્રયાસ કરનારાઓ છેવટે નિષ્ફળ થયા છે. મહારાજ ! આપ તે વિષેને આગ્રહ છોડી છે. રાજાનું રાજત્વવીરનું વીરત્વ, ધમનું ધાત્વ, અને અભિમાનીનું અભિમાન એ દુષ્ટ ચેરેએ વ્યર્ય કર્યું છે.
સભાજનનાં આ વચન સાંભળી રાજપુત્ર ઉપરના દેખાવથી વિચારમાં પડ્યા હૈય, તેમ દેખાયા; પરંતુ તેઓ એ ચમત્કારી ચેરને નિગ્રહ કરવાને ઉપાય જાણતા હતા, તેથી તેઓ પિતાના નિશ્ચયથી ચલિત થયા નહીં. ઘણી વાર સુધી સભામાં બેસી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org