________________
૯૪
હુજી અનવસ્થિત પ્યાલેા ઉપાડી શકીએ નહી કેમકે શલાકા ભરેલા છે, તેમાં એક પણ વધુ દાણા સમાઈ શકે તેમ નથી. અને અનવસ્થિત ખાલી થયે દાણા શલાકામાં જ પડે તેવા નિયમ છે તેથી પ્રતિશલાકાના છેલ્લા દાણા જયાં પડઘો તેની આગલના દ્વીપ સમુદ્રોમાં શલાકા રૂપાડીને તેના દાણા નાખતા જયા અને તે પૂર્ણ થયે એક - દાણા પ્રતિશલાકામાં નાખવા, પ્યાલાની પરિસ્થિતિ હવે આ પ્રમાણે છે, (૧) અનવસ્થિત ભરેલેા છે.
(૨) શલાકા ખાલી છે.
(૩) પ્રતિશલાકામાં ૧ દાણા છે.
(૪) મહાશલાકામાં ૧ દાણા છે.
હવે ભરી રાખેલા અનવસ્થિત ઉપાડીને શલાકા જ્યાં ખાલી થયેા તેની આગળના દ્વીપસમુદ્રોમાં દાણા નાખતા જવા અને જ્યાં ખાલી થાય ત્યાં એક દાણા શલાકામાં નાખવા અને અનવસ્થિત ત્યાં ફરી ભરવા, આમ પૂર્વવત્ પાછે અનવસ્થિતથી શલાકા ભરવા. શલાકા ભરાઈ જાય ત્યારે અનવસ્થિત ભરેલા રાખી શલાકા ઉપાડીને ખાલી કરવા, અને પ્રતિશલાકામાં એક દાણેા નાખવા, પાછે અનવસ્થિત ઉપાડી દાણા નાખતા જવું ને ખાલી થયે શલાકામાં દાણા નાખવા, આમ અનવસ્થિતથી આખા શલાકા ભરાઈ જાય ત્યારે અનવસ્થિત ભરી રાખી શલાકા ઉપાડીને દ્વીપ સમુદ્રમાં એક એક દાણા નાખતા ખાલી કરી પ્રતિશલાકામાં એક દાણા નાખવા, આજ પ્રક્રિયાથી આખા પ્રતિશલાકા ભરવા. પ્રતિશલાકા ભરાઈ જાય એટલે અનવસ્થિતથી શલાકા ભરવા અને અનવસ્થિતને ભરીને રાખવા. પછી પ્રતિશલાકા ઉપાડીને આગળ આગળના દ્વીપસમુદ્રોમાં દાણા નાખતા ખાલી કરીને એક દાણા મહાશલાકામાં નાખવા. આમ મહાશલાકામાં બીજે દાણા પડે. પછી શલાકા ઉપાડી પ્રતિશલાકા જ્યાં ખાલી થયે ત્યાંથી આગળ આગળના દ્વીપસમુદ્રોમાં દાણા નાખતા નાખતા ખાલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org