________________
ગ્રી રણેશ્વર વ્યાપાર ન નમઃ |
નમો નમઃ શ્રી મેમ કર્મ વિપાક [ પ્રથમ કર્મગ્રંથ ]
-પદાર્થ સંગ્રહ – પ્ર–કર્મ એટલે ?
ઉ–દરેક સંસારી જીવ પોતે જે અવગાહનામાં રહેલ છે, ત્યાં રહેલા કામણ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી આત્મા સાથે ક્ષીરનીરવત અથવા લેહ અગ્નિવત્ એકમેક કરે છે. આ ક્રિયાને કર્મબંધ કહેવાય છે. જ્યારે આત્મા સાથે એકમેક થયેલ કામણ પુદ્ગલેને કર્મ કહેવાય છે.
પ્રવ–-કર્મ માનવાનું કારણ શું?
ઉ–જવરૂપે સઘળા જીવો સરખા હોવા છતાં કઈ જ મનુષ્ય છે, કઈ દેવ છે, કેઈ નારક છે, કેઈ તિર્યંચ છે. મનુષ્યમાં પણ કઈ રાજા છે, કેઈરંક છે, કેઈ શ્રીમંત છે, કઈ દરિદ્રી છે, કેઈ રેગી છે, કેઈ નિગી છે, કેઈ રૂપવાન છે, કેઈ કદરૂપા છે. આ વિચિત્રતામાં કઈ પણ કારણ હેવું જોઈએ. કેમ કે કારણ વિના કાર્ય થતા નથી. આ કારણ એ જ કર્મને વિપાક છે,
જીવ અને કર્મને સાગ પ્રવાહથી અનાદિકાળથી છે. જેમ સુવર્ણ અને માટીને સંગ અનાદિકાલીન હોવા છતાં તથાવિધ અગ્નિ આદિની સામગ્રીને પ્રાપ્ત થતાં માટી છૂટી પડે છે અને શુદ્ધ સુવર્ણ બને છે. તે જ રીતે જીવ અને કર્મને અનાદિકાલીન સોગ હોવા છતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધ્યાનાદિથી કર્મ છૂટું પડે છે, અને જીવ શુદ્ધ પરમાત્મા સ્વરૂપ બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org