________________
શ્લોક મંત્રાલર છે. એક એક અધ્યયનને એક એક અધિષ્ઠાયક ઇન્દ્ર છે. આખુ ઉત્તરાધ્યયન કંઠસ્થ કરો તો દરરોજ સ્વાધ્યાય કરો તો ત્રીજે કે સાતમે ભવે મોક્ષ થાય.
ઉત્થાન શ્રતને મુનિભગવંત બોલે તો ત્યારે તેના ક્રોધથી આખુ નગર જ ઉઠે. આખું નગર અસ્તવ્યસ્ત થઇ જાય.
અને ફરી જો સમુત્થાન શ્રત ને ભણે તો બધુ શાંત લઇ જાય. બધું જ વ્યવસ્થિત થઈ જાય. આ છે શ્રુતની પ્રચંડ તાકાત...!
આચારાંગના ૧૮૦૦૦ પદ . એક એક પદમાં એક ક્રોડ શ્લોક છે. આગળ આગળના અંગોમાં ડબલ ડબલ પદો છે.
અનુયોગદ્વાર - નંદીસૂત્ર દ્વારા મંગલિક થયું. હવે સૂત્રનો અર્થ સાથે યોગ કરવામાં આવે તેને અનુયોગ કહેવાય. સૂત્રનો અર્થ સાથે યોગ કેવી રીતે કરવો ? તેના માટે અનેક ધારો આપેલા છે.
આવશ્યક શ્રુતસ્કંધ શબ્દ છે. આનો અર્થ શું થાય ? કઇ રીતે કરવો ?
આવશ્યક – અહીં અવશ્ય કરવા યોગ્ય આવશ્યક છે. અહીં આવશ્યક શબ્દમાં આ” છે. આ એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન દર્શન ગુણોને વશ કરે તે આવશ્યક અથવા આવશ્યક શબ્દની સંસ્કૃત છાયા આવાચક થાય. જેમાં ગુણો રહે તે આવાસક. કહેવાય. જે ક્રિયા આત્માને જ્ઞાનાદિ ગુણોથી વાસિત કરે તે આવાસક. અથવા વસ્ત્ર સુગંધ ધૂપ આદિની પેઠે જે આત્માને ગુણો વડે આચ્છાદિત કરી શોભાવે તે આવાસક. કોઇપણ વસ્તુના ઓછામાં ઓછા ચાર નિક્ષેપા હોય. ૧) નામ ૨) સ્થાપના ૩) દ્રવ્ય ૪) ભાવ.
કોઇ છોકરાનું નામ આવશ્યક રાખ્યું હોય તો તે નામ આવશ્યક કહેવાય. સ્થાપના આવશ્યક - આવશ્યકની ક્રિયા કરનારનું ચિત્ર હોય.
દ્રવ્યાવશ્યક – ૧) આગમથી અને ૨) નો આગમથી એમ બે ભેદ છે તેમાં નો આગમ ત્રણ ભેદ ૧) જ્ઞશરીર ૨) ભવ્યશરીર ૩) તદવ્યતિરિક્ત
૧) જ્ઞશરીર - જેને “આવશ્યકનું” જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેવા સાધુનો મૃતદેહ તે દ્રવ્યથી નોઆગમથી જ્ઞશરીર આવશ્યક કહેવાય.
૨) ભવ્ય શરીર - હાલ “આવશ્યક'નું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. પણ ભવિષ્યમાં જે “આવશ્યક'નું જ્ઞાન પ્રાપ્ત કરવાના છે તેને દ્રવ્યથી નોઆગમથી ભવ્ય શરીર કહેવાય.
૩) તથ્યતિરિક્ત – તદ્ગતિરિક્ત દ્રવ્યાવશ્યકના ત્રણ ભેદ છે ૧) લૌકિક જ ૨) કુકાવચનિક ૩) લોકોત્તર.
તૃપિતાનું તેજ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org