________________
ભવિકો આગમને આરાધે છે તે દેવ, ગુરુ અને ધર્મને આરાધવાવાળા જ છે. જે ભવિકોનું આગમનાં વચનો ઉપર લક્ષ છે, તે ભવિક તેવી પ્રવૃત્તિમાં ન હોય તો પણ શુભપ્રવૃત્તિનું જ ફળ મેળવે છે.
તીર્થંકર મહારાજ શ્રી ચતુર્વિધ સંઘને શેને અંગે નમસ્કાર કરે છે ? દ્વાદશાંગીશ્રુતનો આધાર સંઘ છે માટે નમસ્કાર કરે છે. તીર્થપ્રવૃત્તિ કોની ગણાઇ ? દ્વાદશાંગી રચાઇ તેની. મહાવીરદેવને 2 જુવાલુકાને કિનારે કેવળજ્ઞાન થયું ત્યારથી તીર્થ પ્રવૃત્તિ ગણાઇ ? નહિ. કેમ ? શ્રુતજ્ઞાન અને શ્રુતવાનો અભાવ હતો. તીર્થનો છેડો પણ ક્યારે ? શ્રુતજ્ઞાનના અંતમાં, શાસનની આદિ, મધ્ય અને અંત શ્રુતજ્ઞાન સાથે જ સંકળાયેલ છે. આવા તારક આગમને અંગે આદર ન હોય તો મૂળ વસ્તુને સમજ્યા નથી એમ કહેવું પડે. આ બારે મહિનાના બધા પર્વોમાં કોઇપણ પર્વ દર્શનનામથી કે ચારિત્રનામથી છે ? નહિ. જ્યારે જ્ઞાનના નામથી ‘જ્ઞાનપંચમી’ છે. જ્ઞાનપંચમી જે જ્ઞાન અંગે આરાધાય છે તે જ્ઞાનને અવધિ, મન:પર્યવ કે કેવલજ્ઞાન સાથે સંબંધ નથી, શ્રુતજ્ઞાન સાથે જ સંબંધ છે.
3 અતિચારમાં જ્ઞાનના અતિચાર આઠ. અતિચારમાં શું ? તે અતિચારો મતિ-અવધિ-મનઃ પર્યવના અતિચાર આલોવવા માટે છે ? ના. વિનયનું નિરુપણ પણ કોને માટે ? એ શ્રુતને માટે જ ને ? ઉપધાન પણ કોને માટે ? શ્રુત આરાધના માટે જ ને ? વ્યંજન, અર્થ, તદુભય એ પણ શ્રુતને જ માટે ને ? છતાં બોલો છો શું ? ‘જ્ઞાનાચાર !” કેમ ? તમારે તો ‘શ્રુતાચાર” કહેવું જોઇએ ! કેમ તે પ્રમાણે બોલતા નથી ? એટલો જ માટે કે જ્ઞાન એ જ શ્રત અને શ્રુત એ જ જ્ઞાન લેવાનું છે. મતિ વિગેરે જ્ઞાનો તો તેમાં ઉપલક્ષણથી સમજવાનાં છે.
છેમતિજ્ઞાન, સમ્યકત્ર થતી વખતે અજ્ઞાનરુપ હોય અને સભ્યત્વ થયા પછી શુદ્ધ થતું હોય તેવું નથી, અવધિ આદિ પણ એમ જ, ત્યારે એવું તો એક શ્રુત જ ! કે જે સમ્યકત્વ પૂર્વે અશુદ્ધ હોય, અને સમ્યકત્વ પછી શુદ્ધ થાય.
- 'સચવર્શનશુદ્ધ’ આદિ કહેલ છે, ત્યાં પણ 'જ્ઞાનાવાર’ કહેલ છે, અને તે જ્ઞાનાચારમાં પણ મતિ-અવધિ-મનઃ પર્યવ કે કેવલજ્ઞાનમાંનું એકે ય જય નહિ. ફક્ત શ્રુતજ્ઞાન જ લેવાનું છે.
( શાસનની આદિ, મધ્ય અને અંતે પણ રહેનારું હોય તો તે શ્રુતજ્ઞાન જ છે. માટે જેઓ આત્માના હિતને ઇચ્છનારા હોય તેઓએ આગમ તરફ જ આદર કરવાના જરૂર, જેઓ એ પ્રમાણે સમજી આગમનો આદર કરશે તે કલ્યાણ મંગલિકની માળા પામીને ઉત્તરોત્તર મોક્ષ-સુખને પામશે. સર્વ મનમાન્ય[૦ ||
- પૂજ્ય આગમોદ્ધારક આચાર્ય મહારાજશ્રીએ સં. ૨૦૦૨ વૈશાખ સુદિ ૧૧ શનિવારે આગમોદ્ધારક સંસ્થાના સ્થાપન પ્રસંગે
- આગમની મહત્તા વિષે આપેલ વિદ્વત્તાપૂર્ણ પ્રવચન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org