________________
કારણ પ્રજાને પકડાઇ જવાનો ભય નથી, જાસુસને પકડાઇ જવાનો ભય છે.
| મોહની આધીનતામાં ગૂંચવાયેલો મનુષ્ય, જ્યાં પોગલિક ઇચ્છાવાળો હોય ત્યાં એટલો બધો ‘તે નહિ મળે તો ?' એવો ભય ધરાવે છે. એ એટલો બધો પૌગલિક પદાર્થોને મેળવવા તૈયાર રહે. પણ એથી આત્માને માટે શું ?
તો માટે કહ્યું કે-અત્તને ફિયવસ્થિળો- મનુષ્ય, આત્માના હિતની બુદ્ધિવાળો હોવો જોઇએ. જે સાધુને આત્માના હિતની ઇચ્છાએ આગમનો આદર કરવો છે તેને તો દહેરું પાસે હોય છતાં જો વરસાદ વરસતો હોય તો ચિંતવે કે ભગવાનની આજ્ઞા નથી, આથી દેરે ન જાય. ત્યારે કહો, દર્શન કરવા જ જોઇએ ખરું ને ? જાય ત્યારે તો આરાધક, પણ ન જાય તો પણ આરાધકે ખરો ને ? શાથી ? શાસ્ત્રના આધારે વર્તે છે તેથી.
આગમનું આલંબન આગળ કરીને તીર્થકર કે ગુરુની કારણવશાત્ સેવા ન કરે તો પણ તે દેવ અને ગુરુને માનનારો જ છે. પણ ક્યારે ? આગમને આગળ કરીને. આગમ ‘ના’ કહે ત્યારે ન આચરે. આગમ ‘ના’ ન કહેતું હોય ત્યાં તો દેવ ગુરુ અને ધર્મને આચરે જ. દેવ, ગુરુ અને ધર્મમાં બહુમાનની મનમાં શ્રેષ્ઠતા ન હોય તો તે કામનું નથી. આગમનો આદર કરવાવાળો જ ખરેખર તે તત્વત્રયીને સેવવાવાળો ગણાય.
ડો આ વાત ધ્યાનમાં લેશો ત્યારે સમજાશે કે- 'ë ૩||g pÉ હતા ?' વસ્તુ યથાર્થ છે. આ આત્માને દોરનાર કોણ ? આગમ. 'ન હૃતિ નો નિHIFTનો’ જો જિનાગમ ન હોત તો અમારું શું થાત ? આથી સ્પષ્ટ છે કે-દેવ અને ગુરુની તાત્વિક વાણી.
ઓળખાણ આપનાર આગમ જ છે. ધર્મને પણ તેજ ઓળખાવે.
આવી આગમની મહત્તા સમજશો ત્યારે ખ્યાલમાં આવશે કે તીર્થકર મહારાજાઓએ સ્થાપેલા ગણધર ભગવંતોએ કરેલ દ્વાદશાંગીની રચના વખતે દેવતાએ વાસક્ષેપ કર્યો તે પણ આગમની મહત્તાને અંગેજ. તે વખતે સામાન્ય કેવલીઓ પણ ગણધર ભગવંતની પાછળ બેસે. કેમ ? આશાતના નહિ ? નહિ જ. કારણ કે કેવલજ્ઞાન કરતાં આગમ ઉત્કૃષ્ટ છે. કેવલીમાં રહેલ કેવલજ્ઞાનના આધારે કોઇ સ્વરૂપ આપણાથી જાણી શકાતું નથી. કેવલી પણ બોલે ત્યારે જ તત્ત્વત્રયીનું સ્વરૂપ જણાય ને ? કેવલીના કેવલજ્ઞાનથી છવસ્થોને તત્ત્વત્રયીનું સ્વરૂપ જણાય ? નહીં જ. પણ આ વાત ખ્યાલમાં લેશું ત્યારે સમજાશે કે શાસ્ત્રકાર, બધા જ્ઞાનોમાં શ્રુતજ્ઞાનની મહત્તા કેમ જણાવે છે ? શાસનની અપેક્ષાએ. કેવલજ્ઞાન કરતાં ઉપકારની દ્રષ્ટિએ શ્રુતજ્ઞાનની મહત્તા છે. જેમ જંગલમાં હીરા કરતાં લોટી પાણીની મહત્તા છે કારણ કે ત્યાં જીવને ટકાવનાર હીરો નથી પણ પાણી છે. કેવલજ્ઞાન હીરા જેવું,
છતાં શાસનને ટકાવવા તો શ્રુતજ્ઞાન જ, પાણીની લોટીનું કામ કરે છે. એથી જ કિ સામાન્ય કેવલીઓ ગણધર ભગવંતની પાછળ બેસે છે. શ્રુતજ્ઞાનની આવી મહત્તા છે.
એટલે જ શાસ્ત્રકારને કહેવું પડ્યું કે- 'હા મનાણી' ઇત્યાદિ આથી જ જે
Jain Education International
www.jainelibrary.org
For Personal & Private Use Only