SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયપ્રકરણ દ્વારમાં ઉદયવિધિની ગાથા ૧૧૮માં હ્યું છે કે “ “માહિહિમ્નોવા ગામો ગાડ!IMાસીસ'' = આહારકસપ્તક અને ઉદ્યોત નામકર્મનો પ્રથમ ગુણશ્રેણિના શિરે વર્તતાં અપ્રમત્તને ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. बेइंदिय थावरगो, कम्मं काऊण तस्समं खिप्पं । માયાવસ ૩ તબેફ પઢમસમર્યામિ વતો તા ૧૬ IT द्वीन्द्रिय स्थावरः, कर्म कृत्वा तत्समं शीघ्रम् । સાતપસ્ય તુ તહેલીઃ પ્રથમસમયે વર્તમાનઃ || ૧૬ IT ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - બેઇન્દ્રિય સ્થાવર એટલે કે ગુણતિકર્માશ પંચેન્દ્રિય જીવ સમ્યગુદૃષ્ટિ થયે છતે સમ્યકત્વ પ્રત્યયિક ગુણશ્રેણિ કરીને તે ગુણશ્રેણિથી પડીને મિથ્યાત્વે જઇને બેઇન્દ્રિયને વિષે ઉત્પન્ન થાય, અને ત્યાં બેઇન્દ્રિય પ્રાયોગ્ય સ્થિતિ સિવાયની સર્વ સ્થિતિને અપવર્તે, ત્યાંથી પણ મરીને એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય, અને ત્યાં એકેન્દ્રિય સમાન કર્મની સ્થિતિને કરે છે, અને જલ્દીથી શરીર પર્યાપ્તિને પૂર્ણ કરે છે. તે તદિનઃ = આતપનું વેદન કરનાર ખર = (સ્થાવ૨) બાદર પૃથ્વીકાય એવા જીવને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પ્રથમ સમયે આતપનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. તે એકેન્દ્રિય જીવ બેઇન્દ્રિય સંબંધી સ્થિતિને જલ્દીથી પોતાને યોગ્ય કરે છે, પરંતુ તે ઇન્દ્રિયાદિ સ્થિતિને નહીં તેથી બેઇન્દ્રિયનું ગ્રહણ કર્યું છે. (પરિશિષ્ટ ૧માં યંત્ર નંબર - ૨ જુઓ) * ઇતિ ઉત્કૃષ્ટ પ્રદેશોદય સ્વામિત્વ સમાપ્ત ૯: અથ જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વ :-) पगयं तु खवियकम्मे, जहन्नसामी जहन्नदेवठिई । fમન્નમુહુરે સેસે, મિચ્છત્ત તો ગતિતિદ્દો || ૨૦ || कालगएगिंदियगो, पढमे समये व मइयावरणे । केवलदुगमणपज्जव - चक्खुअचक्खूण आवरणा ।। २१ ।। प्रकृतं तु क्षपितकर्माशो, जघन्यस्वामित्वं जघन्यस्थितिदेवः । અન્તર્મુહૂર્વે શેષ, મિથ્યાત્વતોગતિવિક્તઃ || ૨૦ || कालगत एकेन्द्रियः, प्रथमे समये वा मतिश्रुतावरणयोः । केवलद्विकमनःपर्यव - चक्षुरचक्षुषामावरणानाम् ।। २१ ।। ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્થ :- પ્રમાણે ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી કહ્યાં. હવે જઘન્ય પ્રદેશોદયના સ્વામીને કહે છે.... એ જઘન્ય સ્વામી એ ભાવપ્રધાન નિર્દેશ છે, અને પ્રથમ તે સપ્તમીના અર્થમાં છે, તેથી આ અર્થ થાય - જઘન્ય પ્રદેશોદય સ્વામિત્વને વિષે પ્રકૃત અધિકાર છે. પિતકશ એ અહીં સપ્તમી તૃતીયાના અર્થમાં હોવાથી ક્ષપિત કર્ભાશ વડે, ત્યાં કોઇક પિતકર્માશ દેવ ૧૦ હજારના આયુષ્યની જઘન્ય સ્થિતિ પણે ઉત્પન્ન થાય, તદનંતર અંતર્મુહૂર્ત ગયે છતે સમ્યકત્વ પ્રાપ્ત કરે. અને તે સમ્યકત્વને દેશથી ન્યૂન ૧૦ હજાર વર્ષ સુધી પરિપાલન કરીને આયુષ્યમાં અંતર્મુહૂર્ત બાકી રહે છતે મિથ્યાત્વને પામે છે. અને તે અતિસંકિલષ્ટ પરિણામવાળો આગળ કહેવાશે તે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાની શરૂઆત કરે છે, અને ઘણાં દલિકને અંતર્મુહુર્ત સુધી: ઉદ્વર્તન કરે. (અર્થાત્ સત્તાગત દલિકોની વધારે - નીચેના સ્થાનકોના દલિકોને ઉપરના સ્થાનકોના દલિકો સાથે ભોગવાય તેવા કરે.) ત્યાર પછી સંકૂિલષ્ટ પરિણામે જ કાલ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તે એકેન્દ્રિય ઉત્પત્તિના પ્રથમ સમયે જ મતિજ્ઞાનાવરણ - શ્રુતજ્ઞાનાવરણ - મન:પર્યવજ્ઞાનાવરણ - કેવલજ્ઞાનાવરણ - ચક્ષુદર્શનાવરણ - અચક્ષુદર્શનાવરણ - કેવલદર્શનાવરણ એ ૭ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કરે છે. ૨૮ અહીં પ્રથમ સમયે જ જઘન્ય પ્રદેશોદય થાય એમ કહેવાનું કારણ એમ પણ જણાય છે કે બીજા આદિ સમયમાં યોગ વધારે હોવાથી પહેલા સમયથી કંઇક વધારે પ્રદેશોને ઉદીરી ભોગવે તેથી જઘન્ય પ્રદેશોદય ન થાય માટે પહેલો ગ્રહણ કર્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy