SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ કર્મપ્રકૃતિ ભાગ - ૩ પ્ર. ૬૯ ઉત્તર પ્ર. ૭૦. ઉત્તર પ્ર. ૭૧ ઉત્તર પ્ર. ૭૨ ઉત્તર અધિક થતી હોવાથી ઉદીરણા દ્વારા ઉદયમાં અધિક પ્રદેશો આવે અને દેવ ભવની છેલ્લી આવલિકામાં અતિસંક્લિષ્ટ પરિણામે બંધાયેલ કર્મદલિકોની બંધાવલિકા વ્યતીત થઇ જાય. માટે તે દલિકો પણ ઉદીરણા દ્વારા અધિક પ્રમાણમાં ઉદયમાં આવે. માટે જઘન્ય પ્રદેશોદય ન થાય. વળી દલિકોની ઉદ્વર્તન કરેલ હોવાથી પહેલા સમયમાં દલિક પણ ઘણાં ઓછાં હોય છે. માટે જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય હોય છે. એકેન્દ્રિયમાં કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોઇ શકે ? અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ, થીણદ્વિત્રિક, નપુંસકવેદ, તિર્યંચદ્રિક. એકેન્દ્રિય જાતિ, ઔદારિકષક, તેજસ-કાશ્મણ સપ્તક, વૈક્રિયષક, હુંડક સંસ્થાન, વર્ણચતુષ્કની વીશ, તીર્થકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, બાદર પંચક, યશઃ નામકર્મ, દુઃસ્વર વિના સ્થાવર નવક અને નીચગોત્ર - એમ કુલ ૭૭ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં જ જઘન્ય પ્રદેશોદય હોય. ધ્રુવસત્તા પ્રકૃતિઓમાં એવી કઇ પ્રકૃતિઓ છે કે જેઓની સત્તા સાદ્યાદિ ચાર પ્રકારે હોય ? ચાર અનંતાનુબંધિ કષાયો ધ્રુવસત્તાક હોવા છતાં તેઓની સત્તા સાદ્યાદિ ચાર પ્રકારે છે. અનંતાનુબંધિની સત્તા વિષયક શું મતાન્તર છે ? અહીં તેમ જ પંચસંગ્રહ વગેરેમાં અનંતાનુબંધિની સત્તા સાત ગુણસ્થાનક કહી છે ત્યારે પંચમ કર્મગ્રંથ વગેરેમાં અગિયાર ગુણસ્થાનક સુધી કહેલ છે. આ મતાન્તર છે. નરકગતિ વગેરે અનુદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મૂળકર્મ જેટલો જ અર્થાત્ વીશ કોડાકોડી આદિ સાગરોપમ પ્રમાણ હોવા છતાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક સમય ન્યૂન કેમ ? વિવક્ષિત સમય ઉદયવતી પ્રવૃતિઓના ઉદયપ્રાપ્ત સ્થિતિસ્થાનના દલિકોમાં અનુદયવતી પ્રવૃતિઓના સમાન સમયના સ્થિતિસ્થાનમાં રહેલ દલિક સ્તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે, તેથી નરકગતિ વગેરે પ્રકૃતિઓનો જે સમયે વીશ કોડાકોડી વગેરે સાગરોપમના પ્રથમ સ્થિતિસ્થાનમાં રહેલ પૂર્વબદ્ધ નરકગતિ વગેરેના દલિકો ઉદયવતી મનુષ્યગતિ વગેરેના સમાન સમયમાં સ્તિબુકસંક્રમ દ્વારા સંક્રમી જાય છે. માટે જ બંધના પ્રથમસમયે નરકગતિ વગેરે અનુદયવતી પ્રવૃતિઓની લતામાં પ્રથમ સ્થિતિસ્થાનમાં દલિક ન હોવાથી બંધ કરતાં સત્તા એક સમય ન્યૂન હોય છે. ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન અને અનુદયસંક્રમોત્થા પ્રકૃતિઓની સમયાધિક આવલિકા ન્યૂન હોય છે. છતાં અંતર્મુહૂ ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય એવી સંક્રમોત્કૃષ્ટા કઈ પ્રકૃતિઓ છે ? વળી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ણ ન્યૂન જ કેમ થાય ? તે સમજાવો. અતિસંક્લિષ્ટ પરિણામી મિાદષ્ટિ ૭૦ સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વમોહનીયનો, ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તથાસ્વભાવે જ અંતર્મુહૂર્ત મિથ્યાત્વ ગુણસ્થાનકે રહી વિશુદ્ધિના વશથી સમ્યકત્વ પ્રાપ્ત કરી સમ્યકત્વ અને મિશ્રમોહનીયની ઉદયાવલિકા ઉપર અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વમોહનીયનો સમ્યકત્વ અને મિશ્રમોહનીયમાં સંક્રમ કરે. ત્યારે આ બન્ને પ્રકૃતિઓની અંતર્મુહૂર્ણ ન્યૂન ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર તે વખતે મિશ્રમોહનીયનો ઉદય ન હોવાથી ઉદય સમયનું દલિક સ્ટિબુકસંક્રમથી સમ્યકત્વમોહનીયમાં સંક્રમી જાય છે. તેથી સમ્યકત્વમોહનીય કરતાં મિશ્રમોહનીયની એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. હાસ્યષટક પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિક ત્રણની જઘન્ય સ્થિતિસત્તા કેટલી હોય ? વળી તે ક્યા ગુણસ્થાનકે હોય ? હાસ્યષકની જઘન્ય સ્થિતિસત્તા સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ, પુરુષવેદની સમયોન બે આવલિકા ન્યૂન આઠ વર્ષ પ્રમાણ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણની અનુક્રમે સમયોન બે આવલિકા ન્યૂન બે માસ, એક માસ અને પંદર પ્ર. ૭૩ ઉત્તર પ્ર. ૭૪ ઉત્તર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy