SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ ૩૩૩ બંધ સાથે ઉદય અને સત્તાનો સંવેધ :- દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠ, અગિયારમે ઉદયમાં મોહનીય વિના સાત અને સત્તામાં આઠ તેમજ બારમે ઉદય અને સત્તામાં મોહનીય વિના સાત અને પછીના બે ગુણસ્થાનકે ઉદય અને સત્તામાં ચાર કર્મો હોય છે. ત્યાં ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આયુષ્યના બંધકાલે આઠના બંધે, અને આ જ ગુણસ્થાનકોમાં શેષ કાલે તેમજ ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનકે સાતના બંધે, અને દશમા ગુણસ્થાનકે મોહનીય અને આયુ વિના છ ના બંધ આઠનો ઉદય અને આઠની સત્તા જ હોય છે. એકનો બંધ અગિયારમાથી તેરમા સુધી હોવાથી એકના બંધે અગિયારમે મોહનીય વિના સાતનો ઉદય અને આઠની સત્તા. બારમે મોહનીય વિના સાતનો ઉદય અને સાતની સત્તા તથા તેરમાં ગુણસ્થાનકે ચારનો ઉદય અને ચારની સત્તા હોય છે. 'ભાંગો | બંધ |_ઉદય | સત્તા | ગુણસ્થાનક જઘન્ય કાળ ઉત્કૃષ્ટ કાળ ત્રીજા વિના આયુષ્યના બંધકાળે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત એકથી સાત એમ છે આયુષ્યના અંતર્મુહૂર્ત ન્યૂન આયુષ્ય વિના અબંધકાલે ત્રીજા પૂર્વક્રોડનો ત્રીજો ૮નો | ૮ની ૭નો સિવાય સાત અને ભાગ અધિક છ ત્રીજે ૮ મે અને માસપૂન તેત્રીશ. મે સાગરોપમ * મોહનીય અને આયુષ્ય વિના છ ૧૦મું એક સમય અંતર્મુહૂર્ત ૮નો | ૮નો | ૮ની | નો જ | ૪ | વેદનીય ૧ નો ૭ નો | ૧૧મું " ૭ ની ૪ની ૧૨મું ૪ અઘાતિ કર્મનો ૧૩મું અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્વ દિશાન પૂર્વક્રોડ વર્ષ પાંચસ્વા ક્ષરપ્રમાણ જઘન્ય પ્રમાણે અંતર્મુહૂર્ત અબંધ ૧૪મું ટી. ૧ મતાન્તરે અંતર્મુહૂર્ણ ન્યૂન ૩૩ સાગરોપમ. ઉદય અને સત્તા સાથે બંધનો સંવેધ :- દશમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠે કર્મો હોવાથી આઠના ઉદયે આયુષ્યના બંધકાલે ત્રીજા સિવાય એકથી સાત ગુણસ્થાનકે આઠ, અને આજ ગુણસ્થાનકોમાં રોષકાલે તેમજ ત્રીજે, આઠમે અને નવમે સાત, અને દશમે મોહનીય અને આયુષ્ય વિના છ કર્મો બંધાય છે, તેથી આઠના ઉદયે આ ત્રણ બંધસ્થાનક હોય. આઠની સત્તા અગિયારમે પણ હોય છે માટે આઠની સત્તામાં દશમા ગુણસ્થાનક સુધી ઉપરના ત્રણ અને અગિયારમે વેદનીયરૂપ એક કર્મનું એમ કુલ ચાર બંધસ્થાન હોય છે. મોહનીય વિના સાતના ઉદયે અગિયારમે અને બારમે તેમજ સાતની સત્તા કેવળ બારમે હોવાથી સાતની સત્તામાં વેદનીયકર્મ રૂપ એક પ્રકૃતિનું એક જ બંધસ્થાન હોય છે. તેરમે તેમજ ચૌદમે ચારનો ઉદય અને ચારની સત્તા હોય છે માટે તેરમે ચારના ઉદય અને સત્તામાં એક પ્રકૃતિરૂપ વેદનીયનું એક બંધસ્થાન હોય છે. ચૌદમે બંધનો અભાવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy