________________
સત્તાપ્રકરણ
૩૧૧
પ્રકૃતિના રસમાં પ્રવેશ કરવાં દ્વારા ઘાત કરાય છે. આ સમુઘાતનું માહભ્ય છે. અને ઉદ્ધરિત સ્થિતિના અસંખ્યય ભાગનો અને રસના અનંતમા ભાગના ફરીથી બુદ્ધિ વડે યથાક્રમે અસંખ્યય અને અનંતા ભાગો કરે છે. ત્યારબાદ બીજા કપાટ સમયે સ્થિતિના અસંખ્યય ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે, અને રસના અનંતા ભાગોને હણે છે. એક ભાગ બાકી રાખે છે. અહીં પણ શુભ પ્રવૃતિઓના અનુભાગનો અશુભ પ્રવૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરવા દ્વારા ઘાત જાણવો. ફરી પણ આ સમયે બાકી રહેલ સ્થિતિના અસંખ્યાતમા ભાગના અને બાકી રહેલ રસના અનંતમા ભાગના બુદ્ધિથી યથાક્રમે અસંખ્યય અને અનંતા ભાગો કરે છે. ત્યારબાદ ત્રીજા સમયે સ્થિતિના અસંખ્યય ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે. અને અનુભાગના અનંતા ભાગોને હણે છે, એક અનંતમો ભાગ બાકી રાખે છે. અહીં પણ શુભ પ્રકૃતિઓના અનુભાગને અશુભ પ્રકૃતિઓના અનુભાગમાં પ્રવેશ કરવા દ્વારા ઘાત જાણવો. ત્યારબાદ ફરી પણ ત્રીજા સમયનો બાકી રહેલ સ્થિતિના અસંખ્યાતમા ભાગનો અને અનુભાગના અનંતમાભાગનો બુદ્ધિથી યથાક્રમે અસંખેય અને અનંતા ભાગો કરે છે. ત્યારબાદ ચોથા સમયે સ્થિતિના અસંખ્યય ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે અનુભાગના પણ અનંતા ભાંગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે. શુભ પ્રકૃતિઓનો અનુભાગનો ઘાત પૂર્વની જેમ જાણવો.
એ પ્રમાણે સ્થિતિઘાતાદિ કરતાં ચોથા સમયે સ્વપ્રદેશોથી પૂરી દીધેલ છે સમસ્ત લોકને જેમણે એવા ભગવાનના વેદનીયાદિ-૩ કર્મોની સ્થિતિ આયુષ્યથી સંખ્યયગુણ થાય છે, અને અનુભાગ તો હજુ પણ અનંતગુણો છે. ચોથા સમયનો બાકી રહેલ સ્થિતિના અસંખ્યાતમા ભાગનો અને અનુભાગના અનંતમા ભાગનો ફરી પણ યથાક્રમે બુદ્ધિથી સંખ્યય અને અનંતા ભાગો કરે છે. ત્યાર બાદ (પાંચમા) આંતરાના સંહાર સમયે સ્થિતિના સંખેય ભાગોને હણે છે, એક સંખ્યય ભાગ બાકી રાખે છે, અને અનુભાગના અનંતા ભાગોને હણે છે, એક ભાગ બાકી રાખે છે. એ પ્રમાણે દંડાદિ પાંચે સમયોમાં દરેક સમયના કંડક ઉકેરાય છે, કેમ કે દરેક સમયે સ્થિતિ કંડકના અનુભાગ કંડકોને ઘાત કરે છે. અહીંથી આગળ છઠ્ઠા સમયથી શરૂ કરીને સ્થિતિ કંડક અને અનુભાગ કંડકનો અંતર્મુહૂર્ત કાલથી વિનાશ કરે છે. ૬ઠ્ઠા વગેરે સમયોમાં કંડકના ૧-૧ ભાગને ઉકેરતાં યાવત્ અંતર્મુહૂર્ત છેલ્લા સમયે તે સંપૂર્ણ કંડક ઉકેરે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત કાળે ઘાત થતા સ્થિતિ કંડકો અને અનુભાગ કંડકોના સયોગી કેવલીના ચરમ સમય સુધી ઘાત કરે છે. આ બધા સ્થિતિ કંડકો અને અનુભાગ કંડકો અસંખ્યાતા જાણવાં. આ સમુદ્યાત વિધિ આવશ્યક ચૂર્ણિના અનુસારે કહેલ છે. (યંત્ર નંબર- ૬૮ જુઓ)
જે કેવલીના વેદનીયાદિ-૩ કર્મની સ્થિતિ આયુષ્ય સમાન હોય તે સમુદઘાત કરતાં નથી.°°° ( આ ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ બાકી રહે છતે) કેવલી સમુદ્દઘાત કરીને અથવા કર્યા વિના પણ સર્વ કેવલીઓ વેશ્યાના નિરોધ માટે (સમયે સમયે થતાં) યોગ નિમિત્તક (સમય પ્રમાણ સતાવેદનીયના) બંધને અટકાવવા માટે યોગ નિરોધ અવશ્ય કરે છે. અને કહ્યું છે...“સ તો યોનિરોધું રતિ સેગ્યનિરથમ મોક્ષનું . સમયસ્થિતિનં ૨ વળ્યું યોનિમાં વિનિરુત્સનું || 9 ||' તે (કેવલી ભગવંત) વેશ્યા નિરોધની ઇચ્છાવાળા યોગ નિમિત્તથી થતા એક સમયની સ્થિતિવાળા બંધને અટકાવવાની ઇચ્છાવાળો જીવ યોગ નિરોધ કરે છે. || ૧ || સમયે સમયે વાલાને સતિ સંતોને મોક્ષઃસ્થાતિ યદિ વિમુત્રને સ્થિતિક્ષાત પૂર્વવાળા ૨ IT'' સમયે સમયે કર્મનું આવવું થયે છતે કર્મની પરંપરા ચાલુ રહેવાથી જીવનો મોક્ષ થાય નહીં, જો કે પૂર્વ કર્મો સ્થિતિ ક્ષયથી જ મુકાય છે. || ૨ || “નોર્માદિ વીર્ય થોડાક મતિ નીવેચા તસ્યવસ્થાનેનસિદ્ધઃ સમરિર્વિઘઃ || ૩ T” યોગ દ્રવ્યરૂપ નોકર્મ વડે (અર્થાત્ કર્મના સહચારી યોગદ્રવ્ય) જીવને વીર્ય હોય છે. તેના અવસ્થાનથી એક સમય સ્થિતિબંધ સિદ્ધ થાય છે. || ૩ || અહીં બંધનું સમયમાત્ર સ્થિતિ પણું બંધ સમય બાહ્ય ભાવથી જાણવો.
યોગ નિરોધને કરતાં પ્રથમ અંતર્મુહૂર્તમાં બાદર કાયયોગના બલથી બાદર વચન યોગનો નિરોધ કરે છે. તે નિરોધ પછી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્વભાવસ્થ બાદર કાયયોગના આલંબનથી જ અંતર્મુહૂર્ત કાલે બાદરમનયોગનો વિરોધ કરે છે. અને કહ્યું છે... “વારિરતના પૂર્વ વામનને નિદ્ધિ ! કાતિનાથ વરમાં વિગતે તત્ર વીર્વવતઃ || ૧ |'' બાદ શરીર વડે પ્રથમ વચન-મનયોગનો વિરોધ કરે છે. બાદર મનોયોગના નિરોધ પછી તરત જ ફરી પણ અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહી અંતર્મુહૂર્ત કાલે ઉચ્છવાસ-નિશ્વાસનો વિરોધ કરે છે. ત્યારબાદ ફરી પણ અંતર્મુહૂર્ત સ્વભાવસ્થ રહીને (અંતર્મુહૂર્તમાં) સૂમ કાયયોગના
૪૩૩ ગુણસ્થાનક ક્રમારોહની ગાથા ૯૨-૯૩માં કહ્યું છે.....“ સમુપતિય તાપે, વાદને સમયે નિઃ| ગૌરવાન્િવાયોગા:કુ,દ્વિપક્ષમy 1 IT૧ ૨IT
મિત્રો વાવોની (ચાત) તૃતીયાપુ તુ ત્રણ સમયેળેથોના રક્ષસઃT TT 9 IT " અર્થ :- તે સમુદ્ધાતના પહેલા અને આઠમા સમયે મુનિ
દારિક કાયયોગી હોય છે.બીજા-છઠ્ઠા અને સાતમા સમયમાં મિશ્ર કાયયોગી હોય છે, તથા ત્રીજા વિગેરે (૩-૪-૫) ૩ સમપોમાં એક કાર્મયોગી
હોય છે. અને અનાહારક હોય છે. ૪૩૪ આયુષ્યકર્મ આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને બીજા કર્મો સમયે સમયે બંધાય છે તેથી અથવા તથા સ્વભાવે જ વેદનીયાદિ કર્મો આયુષ્યની
સમાન અથવા તેથી અધિક હોય છે, પણ આયુષ્યથી ન્યૂન હોતાં જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org