SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ ૩૦ના બંધે ૩૨૦૦ ભાંગા :- તથા સાસ્વાદન ગુણસ્થાનકે વર્તતાં એકેન્દ્રિયો - વિક્લેન્દ્રિયો - તિર્યંચ પંચેન્દ્રિયો - મનુષ્યો - દેવો અને નારકીઓ ઉદ્યોત નામકર્મ સહિત તિર્યંચગતિ પ્રાર્યાગ્યે જ ૩૦ પ્રકૃતિનો બંધ કરે છે, બાકીના નહીં. (પરંતુ તથાપ્રકારના અધ્યવસાયના અભાવે તીર્થંકરનામ યુક્ત મનુષ્યગતિ યોગ્ય-૩૦, કે આહારકઢિયુક્ત દેવગતિ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિનો બંધ કરતાં નથી. અને તે બાંધતાં પૂર્વની જેમ ૩૨૦૦ ભાંગા થાય છે. સર્વ બંધસ્થાનના ભાંગા (૮ + ૬૪૦૦ + ૩૨૦૦) = ૯૬૦૮ થાય છે. ૩૭૨ સત્તાપ્રકરણ સાસ્વાદન ગુણાસ્થાનકે ૭ ઉદયસ્થાનકોના ૪૦૯૭ ભાંગા ઃ- તે આ પ્રમાણે કહે છે...... ૨૧-૨૪-૨૫-૨૬-૨૯૩૦ અને ૩૧ છે. ૨૧ ના ઉદયે ૩૨ ભાંગા :- તેમાં ૨૧ નો ઉદય એકેન્દ્રિય - વિક્લેન્દ્રિય - તિર્યંચ પંચેન્દ્રિય - મનુષ્ય દેવોને - - આશ્રયીને હોય છે. ( આ સર્વ જીવોને અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તિ પૂર્ણ થતાં પહેલાં સાસ્વાદન હોય છે.) સાસ્વાદન લઇને કોઇપણ જીવો નરકમાં ઉત્પન્ન થતાં નથી માટે તે સંબંધી ૨૧નો ઉદય હોતો નથી. તેમાં એકેન્દ્રિયોને ૨૧ના ઉદયે બાદ૨ પર્યાપ્ત સાથે યશ કીર્તિ - અયશ કીર્તિ સાથે બે ભાંગા, બાકીના ભાંગા હોતા નથી. કારણ કે સૂક્ષ્મ અને અપર્યાપ્તામાં સાસ્વાદની ઉત્પન્ન થતાં નથી. આ કારણથી જ વિક્લેન્દ્રિય - તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યોને પણ અપર્યાપ્ત નામકર્મ સાથે જે એક ભાંગો થાય છે તે અહીં સાસ્વાદને સંભવતો નથી. પરંતુ બાકીના ભાંગાઓ સંભવે છે. અને તે વિક્સેન્દ્રિય દરેકના બે-બે ભાંગા તેથી ૬ ભાંગા, તિર્યંચ પંચેન્દ્રિયના-૮ ભાંગા, મનુષ્યના -૮ ભાંગા, દેવોના -૮ ભાંગા, સર્વ સંખ્યા ૨૧ ના ઉદય (૨ + ૬ +૮+૮+૮) ૩૨ ભાંગા થાય છે. = ૨૪ના ઉદયે ૨ ભાંગા :- ૨૪નો ઉદય એકેન્દ્રિયમાં ઉત્પન્ન માત્રને હોય છે. અહીં પણ બાદ૨ પર્યાપ્ત સાથે યશ કીર્તિ - અયશ કીર્તિ સાથેના બે જ ભાંગા સંભવે છે, બાકીના નહીં. કારણ કે સાસ્વાદની સૂક્ષ્મ સાધારણ તેમજ તેઉ-વાઉમાં ઉત્પન્ન થતાં નથી. ૨૫ના ઉદયે ૮ ભાંગા :- ૨૫નો ઉદય દેવમાં ઉત્પન્ન માત્રને હોય છે. અને તે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, યશ કીર્તિ - અયશ કીર્તિ પદ વર્ડ (૨૪૨૪૨) – ૮ ભાંગા થાય છે. ૨૬ના ઉદયે પ૮૨ ભાંગા ઃ- ૨૬નો ઉદય વિક્લેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં ઉત્પન્ન માત્રને હોય છે. અહીં પણ અપર્યાપ્ત સહિત એક-એક ભાંગો અસંભવે છે. કારણ કે સાસ્વાદની અપર્યાપ્તને વિષે ઉત્પન્ન થતા નથી. બાકીના સર્વે પણ ભાંગા સંભવે છે. અને તે વિક્લન્દ્રિયોને દરેકને બે-બે ભાંગા થાય તેથી ૬ ભાંગા થાય છે, તિર્યંચ પંચેન્દ્રિયોને - ૨૮૮ ભાંગા મનુષ્યોને તે જ ૨૮૮ ભાંગા, સર્વસંધ્યા ૨૬ના ઉદયે (૬ - ૨૮૮ - ૨૮૮) = ૫૮૨ ભાંગા થાય છે. + ૨૭ અને ૨૮ આ બે ઉદયસ્થાનકો ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત કાલે આવે છે. તેથી ઉત્પત્તિ પછી ઉત્કૃષ્ટથી કંઇક ન્યૂન છ આવલિકા માત્ર કાલ સુધી રહેનાર સાસ્વાદન ગુણસ્થાનકે સંભવતાં નથી. ૨૯ના ઉદયે ૯ ભાંગા - દેવ-નારકીઓને પોતાના સ્થાનમાં જતાં પ્રથમ (ઉપશમ) સમ્યક્ત્વથી પડીને પ્રાપ્ત કરે છે. તેમાં દેવોને ૮ ભાંગા અને નારકીને એક ભાંગો. સર્વ સંખ્યા ૯ ભાંગા થાય છે. ૩૦ના ઉદયે ૨૩૧૨ ભાંગા :- ૩૦નો ઉદય પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાંથી પડેલા પર્યાપ્ત તિર્યંચ - મનુષ્યને અને ઉત્ત૨ર્વક્રિય શરીરમાં વર્તનાં દેવોને સાસ્વાદન હોય છે. તેમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને પ્રત્યેકના ૧૧૫૨ ભાંગા થાય છે, દેવોને ૮ ભાંગા થાય છે. તેથી સર્વસંખ્યા (૧૧૫૨ + ૧૧૫૨ + ૮) = ૨૩૧૨ ભાંગા થાય છે. ૩૧ના ઉદયે ૧૧૫૨ ભાંગા :- ૩૧નો ઉદય પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી પડેલા નિર્યંચ પંચેન્દ્રિયને હોય છે. અહીં૧૧૫૨ ભાંગા થાય છે. સર્વસંખ્યા સાસ્વાદન ગુણસ્થાનકે (૩૨ + ૨ + ૮ + ૫૮૨ + ૯ + ૨૩૧૨, ૧૧૫૨). ૪૦૯૩ ભાંગા થાય છે. -- ૩૭૩ સાસ્વાદન ગુણાસ્થાનકે બે સત્તાસ્થાનકો ઃ ૩૭૪ ૯૨ અને ૮૮ છે. તેમાં જે આહારકતુષ્ક બાંધી ઉપશમપ્રેશિમાં ચડીને પડતાં સાસ્વાદન ભાવને પામેલ જીવને ૯૨નું સત્તાસ્થાન હોય છે, બાકીના જીવોને નથી. ૮૮નું સત્તાસ્થાન ચારે ગતિના સાસ્વાદન પામેલ જીવોને હોય છે. હવે સંવધ કહે છે..... ૨૮ના બંધે બે ઉદયસ્થાનક - બે (૩) સત્તાસ્થાનક ઃ- તેમાં ૨૮નો બંધ કરતાં સાવાદનીને ૩૦ અને ૩૧ એ બે હૃદયસ્થાનક હોય છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનકે ૨૮નો બંધ દેવગતિ પ્રાયોગ્ય જ હોય છે. અને કરણ . ૩૭૨ અન્યત્ર ક્યું છે કે .. "अट्ट सया चोसट्ठि बत्तीससया य सासणे भेया । अट्ठावीसाइसु सब्बाणट्ठहिय छन्नउइ ' ૩૭૩ કહેલ ભાંગાની સંખ્યાને નિરૂપણ કરવા માટે નીચેની ગાથા અન્યત્ર કહી છે.....‘‘ વત્તીસ યોગ અતૂટ ય ચાસીય સા ય પંચ નવ જીવવા । વારાહીયા તેવીસા વાવનેવસસા હૈં ।।'' ૩૭૪ આ ઉપરથી એમ સમજાય છે કે.. પ્રથમ સમ્યક્ત્વી એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકે ૩ કરણ દ્વારા જે ણે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે તે સાતમે ગુણસ્થાનકે જવા છતાં આહા૨ક ચતુષ્ક બાંધતો નથી. જો તે પણ બાંધતો હોય તો ઉપશમકોણિથી પડી સાસ્વાદને આવનારને ૯૨ની સત્તા હોય છે એમ ન કહેત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy