SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૩૦ના ઉદયે ૮ સત્તાસ્થાનકો :- હોય છે. તે આ પ્રમાણે ... ૯૩-૯૨-૮૯-૮૮-૮૦-૭૯-૭૬ અને ૭૫. તેમાંના પ્રથમના ૪ સત્તાસ્થાનકો ઉપશાંતમોહ ગુણસ્થાનકે હોય છે. ૮૦નું સત્તાસ્થાન ક્ષીણમોહ અથવા સયોગી કેવલી ગુણસ્થાનકે તીર્થકર અને આહારક ચતુષ્કની સત્તાવાળાને હોય છે. તે જ રીતે ૭૯નું સત્તાસ્થાન (૧૨મે અથવા ૧૩માં ગુણસ્થાનકે) તીર્થકર નામની સત્તા વિનાને હોય છે. આહારક ચતુષ્કની સત્તા રહિતવાળા તીર્થકર અને અતીર્થકરને અનુક્રમે ક્ષીણમોહ અથવા સયોગી કેવલી ગુણસ્થાનકે ૭૬ - ૭૫નું સત્તાસ્થાન હોય છે. ૩૧ના ઉદયે તીર્થકરને ૮૦ અને ૭૬ એ બે સત્તાસ્થાનકો જાણવાં, અતીર્થકરને ૩૧ના ઉદયનો અભાવ હોય છે. અયોગી કેવલી ગુણસ્થાનકે ૯ ના ઉદયે ૮૦-૭૬ અને ૯ એ ૩ સત્તાસ્થાનકો હોય છે. તેમાંથી પ્રથમના બે અયોગીના દ્વિચરમ સમય સુધી અને અંત્ય સમયે ૯નું સત્તાસ્થાનક તીર્થકર ભગવંતને હોય છે. ૮ના ઉદયે - ૩ સત્તાસ્થાનકો... ૭૦-૭૫ અને ૮ છે. તેમાં પ્રથમના બે સત્તાસ્થાનકો અયોગીના દ્વિચરમ સમય સુધી અંત્ય સમયે ૮નું સત્તાસ્થાનક અયોગી અતીર્થકર ભગવંતને હોય છે. એ પ્રમાણે અબંધકને દશે પણ ઉદયસ્થાનકોને વિષે ૩૦ સત્તાસ્થાનકો થાય છે. તે પ્રમાણે સર્વે પણ પ્રત્યેક કર્મોના બંધ - ઉદય સત્તાસ્થાનોનો સામાન્યથી પરસ્પર સંવેધનો વિચાર કર્યો (યંત્ર નંબર - ૪૮ જુઓ) ઇતિ નામકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત ઇતિ સર્વકર્મના બંધ-ઉદય-સત્તાના સંવેધ સમાપ્ત (અથ સર્વ કર્મોના ગુણસ્થાનક વિષે બંધ-ઉદય-સત્તાના સંવેધ) હવે સર્વ પણ કર્મોના ગુણસ્થાનકને વિષે બંધ-ઉદય-સત્તાને પ્રત્યેક સંવેધ વિચારે છે.... તેમાં જ્ઞાનાવરણ - અંતરાયકર્મનો મિથ્યાષ્ટિથી શરૂ કરી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક સુધી. બંધ-ઉદય અને સત્તામાં પાંચે પાંચ પ્રકૃતિઓ હોય છે.' ઉપશાંતમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકે બન્ને પણ કર્મોની ૫-૫ પ્રકૃતિઓ ઉદય અને સત્તામાં હોય છે. સયોગી કેવલી આદિને તો આ બન્નેમાંથી એક પણ પ્રકૃતિ ઉદય કે સત્તામાં નથી. (યંત્ર નંબર - ૪૯ જુઓ). | દર્શનાવરણીયકર્મ :- દર્શનાવરણીય કર્મનો મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદન ગુણસ્થાનકે બે ભાગ હોય છે...૧ (૧) ૯નો બંધ - ૪નો ઉદય - ૯ની સત્તા, આ વિકલ્પ નિદ્રાના ઉદયનો અભાવ હોય ત્યારે હોય છે. (૨) ૯નો બંધ - પનો ઉદય - ૯ની સત્તા આ વિકલ્પ નિદ્રાના ઉદય કાલે હોય છે. મિશ્રદષ્ટિ ગુણસ્થાનકથી અપુર્વકરણના પ્રથમ ભાગ સુધી :- આ બે ભાંગા છે... (૧) ૬નો બંધ - ૪નો ઉદય - ૯ ની સત્તા અથવા (૨) ૬નો બંધ -પનો ઉદય-૯ની સત્તા. ૮) ભાગથી ૧૦માં ગુણસ્થાનક - અપૂર્વકરણ ૮૨ થી નિદ્રા - પ્રચલાનો બંધવિચ્છેદથી આગળ શરૂ કરીને ઉપશમશ્રેણિમાં સૂક્ષ્મસં૫રાય સુધી (૧) ૪નો બંધ ૪નો ઉદય - ૯ ની સત્તા અથવા (૨) ૪નો બંધ - ૫ નો ઉદય - ૯ ની સત્તા એ પ્રમાણે બે ભાંગા હોય છે. ઉપશાંતમોહ ગુણસ્થાનકે :-૨૦ બંધના અભાવે પણ ઉપશાંત મોહ ગુણસ્થાનકે બંધનું કહેવાપણાથી નિર્યુક્તિમાં મુક્ત થવામાં તે જ બે ભાંગા થાય છે. ૩૧૫ સગા-૧૦૧- “સંઘો તેવું પા પા પટતિમાન ના સુમો ” કારણ કે આ બન્ને કર્મની પાંચ પ્રકૃતિઓ ધ્રુવબંધિ, ધ્રુવોદયી અને ધ્રુવસત્તાવાળી ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૯ સગા- ૧૦૧ “સંતોષT$ પુન સમજીને રે નત્યિ / ૧૦૧ !!” સગા- ૧૦૨ જિwાસાસાયવેનું નવવંgવત્તા ૪ તો ના . ” સગા- ૧૦૨ “વીસામો ૫ નિવદી ના બંઘા રો રો | ૭૦૨ |" સગા - ૧૦૩ “siષે નવસંતે ગપુના સુમારે ગા !” સગા- ૧૦૩ “ાનંદે વસંતે વસંતે તિ હો મા || ૧૦૩ II” બંધવિચ્છેદ થયા પછી ઉપશાંતમો ગુણસ્થાનકે નવની સત્તા છતા બે ભંગ થાય છે. તે આ (૧) ૪નો ઉદય ૯ની સત્તા (૨) પનો ઉદય ૯ની સત્તા, ઉપશમશ્રેણિમાં નિદ્રાનો ઉદય હોઇ શકે છે, એટલે નિદ્રાના ઉદયવાળા ભંગો પણ સંભવે છે. અહીં અતિ મંદ નિદ્રાનો ઉદય હોય છે. ૩૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy