SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ કર્મપ્રકૃતિ ભાગ - ૩ (-: અથ નામકર્મના સત્તાધિકારનું સ્વરૂપ :-) હવે નામકર્મના સત્તાસ્થાનકો કહે છે, અને તે ૧૨ છે. ત્યાં સર્વ નામપ્રકૃતિનો સમુદાય પિંડરૂપ, તે ૯૩ પ્રકૃતિ પ્રમાણ અહીં અધિકાર છે, તેની વિવક્ષા તે પ્રથમ સત્તાસ્થાન. તેમાંથી તીર્થકરનામ ન્યૂન કરતાં ૯૨ પ્રકૃતિનું બીજાં સત્તાસ્થાન.(૯૩માંથી) આહારકશરીર-આહારક અંગોપાંગ - આહારકબંધન- આહારક સંઘાતન એ ૪ પ્રકૃતિ ઓછી કરતાં ૮૯ પ્રકૃતિનું ૩જાં સત્તાસ્થાન. તીર્થકર અને આહારક ચતુષ્ક ઉભય ઓછી કરતાં ૮૮ પ્રકૃતિનું ૪થું સત્તાસ્થાન થાય છે. આ પ્રથમ ચતુષ્ક સત્તાસ્થાન એ સંજ્ઞા છે. ૨૯એ પ્રથમ ચતુષ્ક સત્તાસ્થાનમાંથી ૧૩ પ્રકૃતિનો ક્ષય થતા ૮૦-૭૯-૭૬ અને ૭૫ પ્રકૃતિનું બીજું ચતુષ્ક સત્તાસ્થાન થાય છે. ત્યારબાદ ૮૮માંથી સુરદ્ધિક અથવા નરકદ્ધિકની ઉવલના થતાં ૮૬નું સત્તાસ્થાન થાય છે.*૮૮માંથી વૈક્રિયચતુષ્ક, દેવદ્રિક, કે નરકદ્ધિકની ઉવલના થાય ત્યારે૮૦નું સત્તાસ્થાન થાય છે. તેમાંથી મનુષ્યદ્ધિકની ઉર્વલના થાય ત્યારે ૭૮નું સત્તાસ્થાન થાય છે. આ ત્રણે પણ સત્તાસ્થાનકોને અધ્રુવસંજ્ઞા કહેવાય છે. તથા ૯ અને ૮નું સત્તાસ્થાનક થાય છે. જો કે આ પ્રમાણે ગણવાથી ૧૩ સત્તાસ્થાન થાય છે, તો પણ ૮૦નું સત્તાસ્થાન બે પ્રકારે હોવાથી તુલ્ય સંખ્યાપણું હોવાથી ૧ની જ વિવક્ષા કરાય છે. તેથી અહીં દોષ નથી. તે પ્રમાણે ૧૨ સત્તાસ્થાનકો સપ્તતિકાના અભિપ્રાયથી વ્યાખ્યા કરી છે. સામાન્ય ગ્રંથાદિના અભિપ્રાયથી તો ૧૦૩ આદિની વ્યાખ્યા કરેલ છે.* અહીં જે ૧૩ પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે બીજું ચતુષ્ક સત્તાસ્થાન થયું. તે આ રીતે સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, આતપ, એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિયજાતિ, સાધારણ, નરકદ્ધિક અને ઉદ્યોત. આ ૧૩માંથી પ્રથમની ૧૦ પ્રકૃતિ એકાન્ત તિર્યંચગતિને યોગ્ય છે, અને તે ઉદય-ઉદીરણાને આશ્રયીને જાણવી. બંધ અને સત્તા અપેક્ષાએ તો (મનુષ્યાદિ) બીજાને પણ હોય છે. અધ્રુવસત્તાસ્થાનના સ્વામી - કહે છે. પૃથ્વી-અ, અને વનસ્પતિકાયને વિષે ૮૬-૮૦ એ બે અધુવસત્તાસ્થાન પામે છે. ત્રીજાં ૭૮નું સત્તાસ્થાન તેઉ-વાયુકાયમાં હોય છે. અન્ય જીવોને તે હોતું નથી. કારણ કે તેઉ-વાયુકાયના જીવો જ મનુષ્યદ્ધિકની ઉવલના કરે છે. અથવા તેઉવાયુકાયમાંથી નીકળીને એકેન્દ્રિયાદિ તિર્યંચપંચેન્દ્રિય *સુધી આવીને કેટલોક કાલ જ્યાં સુધી મનુષ્યદ્ધિક ન બાંધે ત્યાં સુધી (૭૮નું સત્તાસ્થાન) હોય છે. ય ત્યારે બા . નરકકિશવી. બંધ * ૨૭૯ સ0 ગાવ-૯૩ ‘‘વિશે વિચારો માને તો મને " ૨૮૦ સ0 ગાઠ-૯૩ “દન૩જ્જ તરૂ ૩, તેરસાલ વં ા ૧૨ IT” ૨૮૧ સ0 ગાઠ-૯૪ “સુહુવેવિયા- ૩૪ વડત્યાગો / મગુવહુને નવદ, તુ મને સંતip II ૬૪.IT” અહીં જો પહેલાં નરકદ્ધિકની ઉવલના થઇ હોય તો દેવદ્ધિક અને વૈક્રિય ચતુષ્કને ઉવેલે ત્યા રે, અને જો પહેલાં દેવદ્ધિક ઉવલના થઇ હોય તો નરકદ્ધિક-ક્રિયચતુષ્ક ઉવેલ ત્યારે ૮૦ પ્રકૃતિના સમૂહરૂપ અધ્રુવ સંજ્ઞાવાળું બીજાં સત્તાસ્થાન થાય છે. ૨૮૨ કર્મપ્રકૃતિકાર આદિના અભિપ્રાય આ જ રીતે ૧૦૩ આદિ સમજવાં. તે આ પ્રમાણે .... કર્મપ્રકૃતિકાર આદિ બંધન ૧૫ માને છે એટલે ૧૦૩ પ્રકૃતિનો જે પિડ તે પહેલું સત્તાસ્થાન, તેમાંથી જિનનામ જૂન ૧૦૨ પ્રકૃતિ પ્રમાણ બીજાં સત્તાસ્થાન , ૧૦૩માંથી આહારકસપ્તક ન્યૂન ૯૬ પ્રકૃતિ પ્રમાણ ત્રીજા સત્તાસ્થાન,૧૦૩માંથી જિનનામ અને આહારકસપ્તક ન્યૂન ૯૫ પ્રકૃતિ પ્રમાણ ચોથું સત્તાસ્થાન. આ ચાર સત્તાસ્થાનનો પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ઠ એ નામથી વ્યવહાર થાય છે. એ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કમાંથી ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા બાદ ૯૦-૮૯-૮૩ અને ૮૨ એ ચારસર સ્થાન થાય છે. તેનો દ્વિતીય સત્તાસ્થાન ચતુષ્ક એ નામથી વ્યવહાર થાય છે. પ્રથમ સત્તાસ્થાન ચતુષ્કના ચોથા ૯૫રૂપ સત્તાસ્થાનમાંથી દેવદ્ધિ ક(અથવા નરકદ્ધિક) ઉવલે ત્યારે ૯૩, તેમાંથી સુરદ્ધિ ક અથવા નરકટ્રિક જે ઉલ્યા વિનાનું શેષ રહ્યું હોય તે અને વૈક્રિયસપ્તક ઉવેલ ત્યારે ૮૪,તેમાંથી મનુષ્યદ્વિક ઉવેલ ત્યારે ૮૨. આ છેલ્લા ત્રણ સત્તાસ્થાનો અદ્ભવ સંજ્ઞાવાળા છે. તથા ૯ પ્રકૃતિરૂપ અને ૮ પ્રકૃતિરૂપ સઘળાં મળી નામકર્મના ૧૨ સત્તાસ્થાનો થાય છે, અહીં૮૨ પ્રકૃતિના સમૂહરૂપ સત્તાસ્થાન બે પ્રકારે થાય છે. એક તો ક્ષપકશ્રેણિમાં અને બીજું સંસારી જીવોને હોય છે. અને તે ઉપર બતાવેલ છે. તે બંને સત્તાસ્થાનો સંખ્યામાં તુલ્ય હોવાથી અહીં એક જ વિરહ્યું છે, એટલે બાર સત્તાસ્થા નો કહ્યાં છે. ૨૮૩ સ0 ગાઠ-૯૫ ‘ાવરતિનિાફોટો,બાવાવેજોરિ વિનાનસાહif I ના લુખ્ખોવાઈન , સાફાંતતિનોr IT ૧૧ ||'' ૨૮૪ સ0 ગાઠ-૯૬ ‘ તુ નri, Twતેનુ ત નવં | ગરવા તિરિપતું, તરવાડતું ! ૧૬ //" તેલ-વાયુ વિનાના અન્ય એકેન્દ્રિયાદિ તિર્યંચો મનુષ્યદ્ધિક ન બાંધે તો પોતાના શરૂઆત ના બે ઉદયસ્થાન સુધી જ બાંધતા નથી, ત્યારબાદ તેઓ અવશ્ય બાંધે છે. એટલે ૭૮ના સત્તાસ્થાનનો સંભવ પોત પોતાના શરૂઆતના બે ઉદયસ્થાન સુધી જ છે. Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy