________________
૨૧
,
સંપાદકીય નિવેદનો
ગણિ કેલાસચંદ્ર વિ. સર્વજ્ઞથી સ્થપાયેલું અને તેથી જ સુજ્ઞજનો વડે સેવાયેલું એવું શ્રેયસ્કર શ્રી જિનશાસન જગતને વિષે જયવંતુ વર્તે છે. આ દર્શનની અનેક આગવી વિશેષતાઓ છે અને પંડિતજનો તેનું મહત્ત્વ સુચારુરૂપે સમજે છે. આ દર્શનનું જ એક અવિભાજ્ય અંગ એટલે કર્મસાહિત્ય. જીવોને સંસારથી મુક્ત કરાવવા માટે શ્રી તીર્થંકર પ્રભુએ અને તેમના અનુગ્રહથી શ્રી ગણધરભગવંતોએ આપેલો આ મહાન્ બોધ ! પ્રસ્તુત ગ્રંથ પણ તે જ વિષય પર પ્રકાશ પાડે છે.
કમ્મપયડી' એક અનન્ય કૃતિઃ- જૈનદર્શનની એક વિલક્ષણતા એ છે કે અહીં કોઈપણ પદાર્થનું સ્પષ્ટીકરણ પૂર્વક સૂક્ષ્મનિરૂપણ કરવામાં આવ્યું છે. સામાચારી હોય કે સાધનાલક્ષી બાબતો હોય, શુદ્ધ આત્મત્વનું સ્વરૂપ હોય કે પદાર્થ વિજ્ઞાનના ગૂઢ રહસ્યો હોય.. દરેક બાબત અહીં સવિસ્તર ચર્ચવામાં આવી છે. આવી જ શૈલીથી આ ગ્રંથમાં ૮ કર્મો, તેના ઉત્તર ભેદો, બંધ-ઉદય-ઉદીરણા-સત્તા-બંધનાદિ ૮ કરણો આદિ વિષયોનું નિરૂપણ કરાયું છે. ૪૦૫ ગાથાની આ રચના કર્મસાહિત્યની એક આગવી કૃતિ ગણાય છે.
ગ્રંથકર્તા:- દૃષ્ટિવાદ સૂત્રાન્તર્ગત શ્રી આચાચણી નામક બીજા પૂર્વની ક્ષીણલબ્ધિનામક પાંચમી વસ્તુમાંના કર્મપ્રાભૃત નામે ચોથા પ્રાભૃતમાંથી પૂર્વધર ભગવાન્ શ્રી શિવશર્મસૂરીશ્વરજી મહારાજે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. “શ્રી શતક પ્રકરણ (પ્રાચીન પંચમ કર્મગ્રંથ) પણ આ જ મહાપુરૂષની રચના છે. વિદ્વાનોના અનુમાન મુજબ ગ્રંથકારશ્રીનો સમય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી પણ પૂર્વેનો છે. તેઓશ્રી દશ પૂર્વધર હતાં તેવું પણ વિદ્વાનોનું અનુમાન છે. આ સિવાય તેમના જીવન કે કૃતિ વિશે કોઈ માહિતી મળેલ નથી.
વૃત્તિ - “કમ્મપયડી” ગ્રંથ પર પ્રકાશ કરનાર ચૂર્ણિ, ટિપ્પણ તથા બે વૃત્તિઓ મળે છે. ચૂર્ણિ, અજ્ઞાતકર્તક છે. ટિપ્પણના રચયિતા પૂ. મુનિચંદ્રસૂરીશ્વરજી મ. છે. તેમજ પૂ. મલયગિરિજી મ. તથા ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે આ ગ્રંથ પર વૃત્તિ રચેલી છે. અહીં પ્રસ્તુત અનુવાદ પૂ. ઉપાધ્યાયજી મ. ની વૃત્તિનો છે. ચૂર્ણિ તેમજ પૂ. મલયગિરિજી મ. ની વૃત્તિને અનુસરીને તેઓશ્રીએ ૧૩૦૦૦ શ્લોક પ્રમાણ આ વૃત્તિની રચના કરી છે. ગ્રંથાન્તર્ગત પદાર્થોનું ભાંગા, અપવાદ નિયમો, દરેક પદાર્થના વિશ્લેષીકરણ આદિ દ્વારા સુંદર નિરૂપણ આ વૃત્તિમાં કરાયું છે. તે પાઠકવર્ગને ગ્રંથ વાંચતા જ જણાઈ આવશે. જોકે આપણું પુણ્ય એટલુ ઓછું કે પૂ.મલયગિરિજી મ. તથા પૂ. ઉપાધ્યાયજી, મહારાજ જેવા સમર્થ વૃત્તિકારોને પૂ. મુનિચંદ્રસૂરિ મ.ની ટિપ્પણ લભ્ય ન બની, અન્યથા અત્યંત ગહનતાના કારણે કેટલીક ગાથાઓની જે બાબતો તેઓશ્રીને પણ છોડી દેવી પડી તે બનવા ન પામત. જોકે આજે એ ટિપ્પણ લભ્ય છે, પરંતુ હવે એ સમર્થ વૃત્તિકારો ક્યાં? અસ્તુ.
વૃત્તિકાર :- ઉપા. શ્રી યશોવિજયજી મ.... આ નામથી લગભગ જૈનસંઘ પરિચિત હશે જ. મહેસાણા જિલ્લાના કનોડાગામમાં જન્મ. માતા... સૌભાગ્યદેવી, પિતા... નારાયણદાસ, વડીલ ભ્રાતા - પદ્ધસિંહ (પૂ. પદ્યવિજયજી મ.) પોતાનું નામ.... જસવંત.
નાની વયે સંયમ ગ્રહણ કરી સરસ્વતી માતાના અનુગ્રહથી પ્રકાંડ વિદ્વાનું બન્યા. લગભગ દરેક વિષયો પર તેઓશ્રીએ ઈ તર્કબદ્ધ, શ્રદ્ધાપૂર્ણ અને અત્યંત વિશ્વાસાહ એવી અનેક કૃતિઓની રચના કરી છે. આગમોની ગહન વાતો સમજવાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org