________________
સત્તાપ્રકરણ
૧૩૭
(૮) સાઠ કે ને ૨૮ થી ૮ ના ઉદયે ૮મો અલ્પતરોદય :- ૨૮ના ઉદયવાળા સામાન્ય કેવલીને અયોગીપણાની પ્રાપ્તિના પ્રથમ સમયે પરાઘાત, ઉદય પ્રાપ્ત વિહાયોગતિ, પ્રત્યક, ઉપઘાત, કોઇપણ એક સંસ્થાન, પ્રથમ સંઘયણ,
દારિકદ્ધિક, સ્થિર, અસ્થિર, અગુરુલઘુ, શુભ, અશુભ, તેજસ, કાર્મણ, વર્ણાદિ-૪, નિર્માણ લક્ષણરૂપ ૨૦ પ્રકૃતિઓનો ઉદય વિચ્છેદ થતાં ૮નો અલ્પતરોદય હોય છે.
(૯) તીર્થકરને ર૯ થી ૯ના ઉદયે ૯મો અલ્પતરોદય :- તીર્થકર કેવલીને ૨૯ પ્રકૃતિઓમાંથી (પૂર્વે) કહેલ ૨૦ પ્રકૃતિઓનો વિચ્છેદ થતાં ૯નો અલ્પતરોદય હોય છે.
સંસારી જીવોને તો ૩૧ આદિના ઉદયસ્થાનકથી શરૂ કરીને ૨૧ સુધીના કેટલાએક અલ્પતર ઉદયસ્થાનોમાં સંક્રમણ થાય છે. તેથી આ પ્રમાણે વિચારતાં અલ્પતરોદય સ્થાનક અધિક પ્રાપ્ત થાય નહીં, એ પ્રમાણે ‘‘નવ જ અલ્પતરોદય થાય છે. (યંત્ર નંબર - ૨૦ જુઓ)
અવસ્થિત ઉદયો તો સ્થાન સમાન -૧૨ છે. અવક્તવ્ય ઉદય તો સંભવે જ નહીં, કારણ કે સર્વ નામકર્મની ઉત્તર પ્રકૃતિઓનો વિચ્છેદ અયોગી ગુણસ્થાનકના અન્ય સમયે થાય છે. અને ત્યાંથી (પડવાનો અભાવ હોવાથી) ફરી ઉદય સંભવે નહીં.
ઇતિ નામકર્મના ૧૨ ઉદયસ્થાનકોમાં ભૂયસ્કારાદિનું સ્વરૂપ સમાપ્ત તે પ્રમાણે દરેક જ્ઞાનાવરણીય આદિ મૂળ પ્રકૃતિઓના ઉદયસ્થાનોને વિષે ભૂયસ્કારાદિ કહ્યાં. યંત્ર નં.-૨૧ જુઓ)
(નામકર્મના ૯ અલ્પતરોદયનું યંત્ર નંબર – ૨૦)
સામાન્ય કેવલીને
તીર્થકર કેવલીને
ક્યાગુણસ્થાનકે ક્યારે
કયા ઉદયસ્થાનકથી | કયો અલ્પતરોદય |કયા ઉદયસ્થાનકથી કયો અલ્પતરોદય ૩૦થી | ૨૬નો
૧૩માં ગુણ૦ સમુદ્ધાત કરતાં ૨જા સમયે ૩૧થી
૨૭નો ૧૩માં ગુણ૦ સમુઘાત કરતાં ૨જા સમયે - ૨૬થી ૨૦નો
૧૩માં ગુણ૦ સમુઘાત કરતાં ૩જા સમયે ૨૭થી ( ૨૧નો
૧૩માં ગુણ૦ સમુદ્ધાત કરતાં ૩જા સમયે ૩૧થી
૩૦નો અયોગીપણામાં - ૧૪માં ગુણ ૩૦થી ૨૯નો ૩૦થી
૨૯નો અયોગીપણામાં - ૧૪માં ગુણo ૨૯થી ૨૮નો
અયોગીપણામાં - ૧૪માં ગુણ૦ ૨૮થી ૮નો
અયોગીપણામાં - ૧૪મા ગુણ૦ ૨૯થી
. ૯નો | અયોગીપણામાં - ૧૪માં ગુણo
જેમ કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ કે ૨૬માંથી કોઇપણ ઉદયસ્થાને વર્તતાં મરણ પામી ૨૧ના ઉદયે જાય એટલે ૨૧નો અલ્પતર થાય, તથા ઉદ્યોત સહિત ૩૦ના ઉદયે વર્તતાં ઉત્તરવેદિયશરીરી દેવો વૈકિય શરીર વિખરાઇ જાય ત્યારે ૨૯ના ઉદયે જાય ત્યારે ૨૯નો અલ્પતર થાય, આ પ્રમાણ સંસારી જીવોને કેટલાએક અલ્પતરોનો સંભવ છે, પરંતુ જે સંખ્યાવાળા અલ્પતરો તેઓને થાય છે તે અલ્પતરો પૂર્વ કહેલ અલ્પતરોમાં આવી જાય છે.
અહીં ૩૧ પ્રકૃતિના ઉદયથી અધિક નામકર્મની પ્રકૃતિઓનું ઉદયસ્થાન ન હોવાથી ૩૧ પ્રકૃતિના ઉદયરૂપ અલ્પતર થતો નથી, તેથી ૩૧ તેમજ ૨૫ તથા ૨૪ના ઉદય વિના બાકીના ઉદયસ્થાનના ૯ અલ્પતર ગણાવ્યા અને કેવલીની અપેક્ષાએ તો બરાબર છે, પરંતુ લબ્ધિસંપન્ન મનુષ્યો અથવા તિર્યંચો વૈક્રિયશરીર બનાવે ત્યારે ૩૦ના ઉદયસ્થાનથી ૨૫ના ઉદયસ્થાને અને લબ્ધિસંપન્ન ૨૬ ના ઉદયમાં વર્તતો વાયુકાય વૈક્રિયશરીર બનાવે ત્યારે ૨૬ના ઉદયસ્થાનથી ૨૪ના ઉદયસ્થાને જાય છે. અથવા યથાસંભવ ૩૧થી૬ સુધીના ઉદયસ્થાનથી પંચેન્દ્રિય તિર્યંચ વગેરે કાળ કરી આ જાશ્રેણિદ્વારા દેવ - નરકમાં ઉત્પન્ન થાય ત્યારે ૨૫ના અને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે ૨૪ના ઉદયસ્થાને જાય છે, તેથી ૨૫ અને ૨૪ પ્રકૃતિના ઉદય સ્વરૂપ બન્ને અલ્પતરો સંસારી જીવમાં ઘટી શકે છે. તેથી કુલ ૯ ના બદલે ૧૧ અલ્પતરોદય ઘટી શકે છે. છતાં ટીકામાં આ બે અલ્પતરો કેમ બતાવ્યા નથી ? એનું કારણ બહુશ્રુત જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org