SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ કર્મપ્રકૃતિ ભાગ - ૩ ટીકાર્ય - કોઇ આત્મા ઉત્કૃષ્ટ યોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે દેવાયુ અને નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે, તે બંધાયા બાદ તે બન્ને આયુષ્યની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ત્યાં સુધી સંભવે કે તે તે બન્નેના ઉદીરણામાં આર્થાત્ ઉદયનો પ્રથમ સમય થાય. બંધથી શરૂ કરીને ઉદયના પ્રથમ સમય સુધી દેવ - નરકાયુની કહેલ પ્રકારે બંધથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય છે. આગળ તો ઉદય આદિ થવાથી ભોગવાઇને અર્થાત્ ક્ષય થવાથી પ્રદેશોની હાનિ થાય તેથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ન થાય એ પ્રમાણે ભાવ છે. सेसाउगाणि णियगेसु, चेव आगम्म पुवकोडीए । સાદુ ગરિરા, વંઘતે નાવ નોટ્ટે 1 રૂરૂ II शेषायुषी निजकेषु, चैवागम्य पूर्वकोटिके ।। सातबहुलस्याऽचिरात्, बन्धान्ते यावन्नापवर्त्तयति ।। ३३ ।। ગાથાર્થ :- શેષ મનુષ્યાય અને તિર્યગાયુને પૂર્વક્રોડવર્ષ પ્રમાણ બાંધીને પોતપોતાના ભવમાં આવીને અત્યંત સાતાવેદનીયને અનુભવતો છતો થોડા કાળ સમાન જાતીય આયુના બંધના અંત સમયે જ્યાં સુધી તેની અવિના ન કરે ત્યાં સુધી તે જીવને સ્વ આયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્ય - શેષ આયુષ્ય એટલે તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય પૂર્વ કોટી એ ઉપલક્ષણમાં તૃતીયા છે. તેથી પૂર્વક્રોડા પ્રમાણ એ પ્રમાણે અર્થ છે. ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ તિર્યંચાયુને મનષ્યાય બાંધે, બાંધીને પોત પોતાના યોગ્ય ભવોમાં (અર્થાત્ મનુષ્યાય બાંધનાર મનુષ્યમાં અને તિર્યંચાયું બાંધનાર તિર્યંચમાં) ઉત્પન્ન થઇને જે સાતબહુલ (અર્થાત્ બહુ જ સુખપૂર્વક તે બન્ને પોત પોતાના આયુને) યથાયોગ્ય રીતે અનુભવે છે. કારણ કે સુખી આત્માને આયુકર્મના ઘણાં પુદ્ગલોનો ક્ષય થતો નથી માટે સાતબહુલનું ગ્રહણ કર્યું છે. તદનંતર અલ્પકાળમાં “વસ્થાને ” = ઉત્પત્તિ સમયથી આગળ અંતર્મુહૂર્ત માત્ર જ રહીને, મરણ સન્મુખ થયો છતો ઉત્કૃષ્ટ બંધકાળ અને ઉત્કૃષ્ટ યોગ વડે બીજુ પરભવ સંબંધિ સ્વજાતીય અર્થાત્ મનુષ્ય હોય તે મનુષ્યા, અને તિર્યંચ હોય તે તિર્યંચા, બાંધે, તે આયુના બંધના અંત સમયે ભોગવાતા આયુની હજી અપવર્તન કરી નથી તે પહેલાં સુખપૂર્વક પોતાના આયુને ભોગવતા મનુષ્યને મનુષ્યાયુની અને તિર્યંચને તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. કારણ કે તે જીવને સાત બહુલ્યથી પોતાનું ભોગવાતું આયુ નિર્જરા થવાથી અલ્પ પ્રદેશ અંતર્મુહૂર્ત ઉન દલિકવાળું છે. અને સ્વજાતીય પરભવાયુષ્ય પરિપૂર્ણ દલિકવાળું છે. એ પ્રમાણે પ્રદેશો ઘણાં ભેગા પ્રાપ્ત થાય છે. તથા બંધ પૂર્ણ થયા બાદ વેદ્યમાન આયુષ્યની બીજે સમયે જ અપવર્નના થવા માંડે છે. તે કારણથી બંધાત્ત અર્થાત્ બંધના અન્ય સમયે એમ કહ્યું છે. पूरित्तु पुवकोडी - पुहुत्त नारयदुगस्स बंधते ।। પર્વ પત્નતિષત્તિ, વેવિયસેસMવામિ || રૂ૪ || पूरयित्वा पूर्वकोटि - पृथक्त्वं नारकद्धिकस्य बन्धान्ते । પર્વ પત્રિવાજો, વૈવિશેષનવ | ૨૪ | ગાથાર્થ - પૂર્વકોટિ પૃથકત્વ પર્યત બંધ વડે પૂરીને નરકાભિમુખ આત્માને બંધના અન્ને નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. એ પ્રમાણે ૩ પલ્યોપમ પર્યત બાંધીને અંતે બાકીના વૈક્રિયનવકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા હોય છે. ટીકાર્થ :- પૂર્વકોટિપૃથકત્વ - એટલે “સાત પૂર્વકોટિ વર્ષ સુધી સંકિલષ્ટ અધ્યવસાય વડે નરકગતિ - નરકાસુપૂર્વિરૂપ નરકદ્ધિકને નિરંતર પૂરીને અર્થાતુ વારંવાર બંધ વડે પુષ્ટ કરીને નરકમાં જવાને સન્મુખ થયેલો આત્મા બંધ સમયે તે નરકદ્ધિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી છે. ૨૯ સંખ્યાત વરસના આયુવાળા મનુષ્ય કે તિર્યંચના ઉપરા-ઉપરી સાત ભવ થઇ શકે છે તેમાં ફિ લષ્ટ પરિણામે ઘણીવાર નરકદ્રિક બાંધી શકે છે. એટલે તેવા જીવો તેની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી છે. દેવનવક બંધનો યુગલિકના ભાવમાં વધારે ટ ાઇમ મળે છે. કેમ કે આઠમો ભવ યુગલિકનો જ થાય અને તેઓ દેવયોગ્ય કર્મ જ બાંધે છે એટલે એ નવ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સત્તાના અધિકારી તેઓ લીધા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy