SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાપ્રકરણ तिन्नेग तिगं पणगं, पणगं पणगं च पणगमह दोन्नि । રસ તિનિ લોનિ બિછાનું નાવોવસતો ત્તિ : ૧૨ / त्रीण्येकं त्रिकं पञ्चकं, पञ्चकं पञ्चकं च पञ्चकमथ द्वयोः । दश त्रीणि द्वयोर्मिथ्यात्वादिकेषु यावदुपशान्त इति ।। १२ ।। ગાથાર્થ - મિથ્યાત્વથી ઉપશાંતમાહ ગુણસ્થાનક સુધીમાં અનુક્રમે ૩-૧-૩-૫-૫-૫-૫-૨-૧૦-૩ અને ૨ પ્રકૃતિસ્થાનો સત્તામાં હોય છે. ટીકાર્ય :- ગુણસ્થાનકને વિષે પ્રકૃતિસત્તાસ્થાનો :- આ જ પ્રકૃતિસત્તાસ્થાનો ગુણસ્થાનકને વિષે વિચારતાં કહે છે. જ્યાં સુધી ઉપશાંતમોહ ગુણસ્થાનક છે. ત્યાં સુધી મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનકને વિષે (૧ થી ૧૧માં) યથાક્રમે ૩ આદિ પ્રકૃતિસત્તાસ્થાનો હોય છે. ૧. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ૩ પ્રકૃતિસત્તાસ્થાનો - ૨૮-૨૭-૨૯ ત્યાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકે ત્રણ પ્રતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૨૮-૨૭ અને ૨૬ છે. અને તે પૂર્વની (ગાથા-૧૧માં) કહ્યાં છે. ૨. સાસ્વાદન ગુણસ્થાનકે :- ૨૮નું એક જ પ્રકૃતિસત્તાસ્થાન હોય છે. ૩. મિશ્ર ગુણસ્થાનકે - ૩ પ્રકૃતિસત્તાસ્થાનો છે, તે આ પ્રમાણે કહે છે. ૨૮-૨૭ અને ૨૪ના છે. ત્યાં જે ૨૮ની સત્તાવાળો જીવ મિશ્રમોહનીયને પામ્યો હોય. (અર્થાત્ મિશ્ર ગુણસ્થાનકે આવ્યો હોય) તેને આશ્રયીને ૨૮ની સત્તા હોય છે. વળી મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનક પામીને સમ્યકત્વની ઉવલના કરીને ૨૭ની સત્તાવાળો થઇ મિશ્રભાવને અનુભવે તે જીવને આશ્રયીને ૨૭ની સત્તા હોય છે. અનંતાનુબંધિની વિસંયોજના થાય ત્યારે ૨૪ની સત્તાવાળો જીવ મિશ્રપણા અવસ્થાની અપેક્ષાએ ૨૪ની સત્તા પ્રાપ્ત કરે છે.' ૪. અવિરત સમ્યગદષ્ટિ :- ગુણસ્થાનકે ૫ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે - ૨૮-૨૪-૨૩-૧૨ અને ૨૧નું છે. ત્યાં ૨૮નું ઓપશમિક સમ્યગુદૃષ્ટિ અથવા ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. ૨૮ની સત્તાવાળા જીવને અનંતાનુબંધિ ક્ષય થાય ત્યારે તે જ બે પ્રકારના જીવને ૨૪ની સત્તા હોય છે. ક્ષાયોપથમિક જીવને મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તા હોય છે. તે જ જીવને મિશ્રનો ક્ષય થાય ત્યારે ૨૨ની સત્તા હોય છે. (સમ્યકત્વ મોહનીયનો ક્ષય થાય ત્યારે) ક્ષાયિક સમ્યગદષ્ટિ જીવને ૨૧ની સત્તા હોય છે.' ૫. દેશવિરતિ ગુણસ્થાનકે ૫ પ્રકૃતિસત્તાસ્થાનો છે. અને તે હમણાં જ અવિરત સમ્યગુદષ્ટિ ગુણસ્થાનકે કહ્યાં તે જ જાણવાં. ૬-૭ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકે તે જ ૫ પ્રકૃતિસત્તાસ્થાનો હોય છે. ૮ હવે અનન્સર જે અપૂર્વ ગુણસ્થાનકે ૨ પ્રકૃતિસત્તાસ્થાન :- છે. તે આ પ્રમાણે ૨૪ અને ૨૧નું હોય છે. ત્યાં પશમઍણિમાં અક્ષાયિક સમ્યગુદષ્ટિને (અર્થાત્ ઔપથમિક જીવને) ૨૪ની સત્તા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને તો બન્ને પેશિમાં ૨૧ની સત્તા હોય છે.૧૩ અહીં સપ્તતિકાની ગાથા ૩૮માં પણ કહ્યું છે. “ઇથી સજાવિશ્વનIP = સમગીરાનું ” અનાદિ મિથ્યાદૃષ્ટિને ૨૬નું સત્તાસ્થાન હોય છે. સમ્યકત્વ અને મિશ્રમોહનીયને ઉવેલતાં ૨૭ અને ૨૬ એ બે સત્તાસ્થાન હોય છે. (હવે આગળ સ0 = સપ્તતિકાની ગાથા સમજવું.) અહીં સ0 ની ગા- ૩૯માં કહ્યું છે. “સનબત્રીસાને બિરો, સગો દાન દોફ કથન - સમ્યકત્વ અને મિશ્રમોહનીયનો ઉદ્ઘલક મિથ્યાદષ્ટિ છે અને અનંતાનુબંધિ કષાયનો સમ્યગુદષ્ટિ આત્મા ઉદ્ઘલક છે. ૨૮-૨૭ની સત્તાવાળો ૧લેથી અને ૨૮-૨૪ની સત્તાવાળો ૪થેથી ૩જે જઈ શકે છે. એટલે ૨૮ની સત્તાવાળો ૧૯-૪થે બન્ને ગુણoથી ૨૭ની સત્તાવાળો ૧લેથી જ, અને ૨૪ની સત્તાવાળો ૪થેથી જ ૩ જા ગુણસ્થાનકે આવે છે. અહીંસ ની ગાથા ૩૬-૩૭માં કહ્યું છે કે, અનિરછની સમાન કરવા અપીત્તના દવા સર્વ અદકતાપુ, નjનદી મા છવાયુને જોહાનિવદિ નારોડ સુકુન તજીનોમંા અર્થ :- અવિરતિથી શરૂ કરીને અપ્રમત્ત સુધીના જીવો અનંતાનુબંધિ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયના ક્ષપક છે. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે આઠ કષાયને એક સાથે ખપાવે છે, ત્યારબાદ નપુંસકવેદને, સ્ત્રીવેદન, હાસ્યષકને, પુરુષવેદને અને સંજ્વલન ક્રોધ, માન, માયાને અનુક્રમે ખપાવે છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે લોભને ખપાવે છે. Jain Education International For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005574
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy