________________
६८
કર્મપ્રકૃતિ ભાગ - ૩ ૯ અનિવૃત્તિ બાદ રસપરાય ગુણસ્થાનકે - ૧૦ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે ૨૪-૨૧-૧૩-૧૨-૧૧-૫-૪૩-૨ અને ૧ છે. ત્યાં ૨૪નું સત્તાસ્થાન ઉપશમશ્રેણિને આશ્રયીને હોય છે, ક્ષાયિક સમ્યગુદષ્ટિને બન્ને શ્રેણિને આશ્રયીને ૨૧નું સત્તાસ્થાન હોય છે. વળી બાકીના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં હોય છે અને તે પૂર્વે જ (ગાથા-૧૧માં કહ્યાં છે.)
૧૦ સૂમસંપરાય ગુણસ્થાનકે - ૩ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે ૨૪-૨૧ અને ૧ છે. ત્યાં ૨૪નું ઓપશમિક સમ્યગ્દષ્ટિ જીવને, અને ૨૧નું ક્ષાયિક સમ્યગુદષ્ટિ જીવને હોય છે અને તે બન્ને પણ (૨૪-૨૧નું) પ્રકૃતિસત્તાસ્થાન ઉપશમશ્રેણિમાં હોય છે. અને ૧નું એક પ્રકૃતિસત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં હોય છે.*
૧૧ ઉપશાંતમોહ ગુણસ્થાનકે - ૨ પ્રકૃતિસત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે કહે છે. ૨૪ અને ૨૧નું અને તે બન્ને પણ પૂર્વની જેમ વિચારી લેવા.
संखीणदिदिमोहे, केई पणवीसई पि इच्छति । સોયા પછી, નાસ તેસિંહવસ ાા ૧રૂ II संक्षीण दृष्टिमोहे, केचित् पञ्चविंशतिमपीच्छन्ति ।।
संयोजनानां पश्चात्, नाशम् तेषामुपशमं च ।। १३ ।। ગાથાર્થ :- કોઇ આચાર્ય મ.સા. દર્શનત્રિકનો ક્ષય થાય ત્યારે ૨૫નું પ્રકૃતિસત્તાસ્થાન માને છે. તેઓના મતે દર્શનત્રિકનો ક્ષય થયા પછી અનંતાનુબંધિનો નાશ થાય છે. 1 ટીકાર્થ :- હવે મતાન્તર કહે છે. - કેટલાએક આચાર્યો ૨૫નું પ્રકૃતિસત્તાસ્થાન પણ માને છે. કારણ કે તેઓ દર્શનમોહનીય ૩ ક્ષય થયા પછી સંયોજના - એટલે અનંતાનુબંધિનો નાશ ઇચ્છે છે. તેથી તેઓના મતે દર્શનમોહનીયત્રિકનો ક્ષય થયા પછી ૨૫નું પ્રકૃતિસત્તાસ્થાન પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન :- જો એમ છે તો તેઓના મતને કેમ અંગીકાર ન કરવો ?
ઉત્તર - પૂર્વાચાર્યોથી વિરૂદ્ધ છે. જે અહીં ચૂર્ણિકારે કહ્યું છે. “á ગારિસે ન મિત્ત છિન્ન” ત્તિ = તે પૂર્વર્ષિઓના કથન સાથે મલતું ન હોવાથી અહીં તે અંગીકાર નથી કર્યું. તથા તે જ આચાર્યો અનંતાનુબંધિની ઉપશમના માને છે. પરંતુ તત્ત્વને જાણનાર અન્ય આચાર્યો તેમ માનતા નથી. અને તે કારણથી ગ્રન્થકર્તાના મતે અનંતાનુબંધિ) ઉપશમના કહીં નથી. (યંત્ર નંબર ૪ જુઓ)
ઇતિ મોહનીય કર્મના પ્રકૃતિસત્તાસ્થાન પ્રરૂપણા સમાપ્ત
- અથ નામકર્મના ૧૨ પ્રકૃતિ સત્તાસ્થાન પ્રરૂપણા :-)
तिदुगसयं छप्पंचग - तिगनउई नउइगुणनउई य । વતિ દુરાહિમાસી, નવ દૃ ય નામડાગાડું / ૧૪ || त्रिद्विकशतं षट्पञ्चक - त्रिकनवतयः नवत्येकोननवतीश्च । चतुस्त्रियधिकाशीतयः, नवाष्टौ च नामस्थानानि ।। १४ ।।
૧૩
અહીં સ૦ ની ગાથા ૩૬-૩૭માં કહ્યું છે કે, મિચ્છામી સન્માન વરવા સપના ના ઉar સનાં અદૃવસાણ નપુંસફલ્થ મા છ Iી વેવં યોહાનિ નાડુ સુકુમ તજીનોમ | અર્થ :- અવિરતિથી શરૂ કરીને અપ્રમત્ત સુધીના જીવો અનંતાનુબંધિ, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ મોહનીયના ક્ષપક છે. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે આઠ કષાયને એક સાથે ખપાવે છે, ત્યારબાદ નપુંસકવેદને, સ્ત્રીવેદન, હાસ્યષકને, પુરુષવેદને અને સંજવલન ક્રોધ, માન, માયાને અનુક્રમે ખપાવે છે. સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે લોભને ખપાવે છે. ઉપરમુજબ
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org