________________
ઉદ્વર્તન અને અપવર્તનાકરણ
૪૫
પ્ર. ૨૦ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ કેટલું છે ?
પંચસંગ્રહના મતે અંત:કોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ સમાન બદ્ધડાયસ્થિતિ જેટલું અને
કર્મપ્રકૃતિના મતે કંઇક ન્યૂન ડાયસ્થિતિ જેટલું કંડકનું પ્રમાણ છે. પ્ર. ૨૧ વ્યાઘાત અપવર્ણનામાં જઘન્ય અતીત્થાપના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કંડક જેટલી બતાવેલ
છે. પરંતુ ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિમાં સમ્યકત્વ મોહનીયમાં અને ક્ષપકશ્રેણિમાં પણ કેટલીક પ્રવૃતિઓના સંખ્યાત વર્ષ પ્રમાણ અને અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાત બતાવેલ છે. તેથી ત્યાં સંખ્યાત વર્ષ અને અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અતીત્થાપના કેમ ન હોય ? સાયિક સમ્યકત્વ અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી પણ ન્યૂન યાવત્ અંતર્મુહૂર્ત પ્રમાણ સુધીના સ્થિતિઘાતો થાય છે. તેથી ત્યાં તેટલીજ અતીત્થાપના હોય એ વાત બરાબર છે. પરંતુ ઇદે પ્રશ્નના ઉત્તરમાં અભવ્ય પ્રાયોગ્ય સ્થિતિઘાતને આશ્રયી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જઘન્ય કંડક હોય છે. તેથી જઘન્ય અતીત્થાપના પણ તેટલી કહી છે. (વિશેષ પ્રશ્નોત્તરી માટે મુનિ અભયશેખર વિમસાની કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ-૩ માં પેઇનં ૧૧૪ થી ૧૨૯ સુધીના ૧૧ પ્રશ્નોત્તરી જુઓ.)
ઇતિ ઉદ્વર્તના - અપવર્તનાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત
GE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org