________________
ઉપશમનાકરણ પ્રશ્નોત્તરી
પ્ર. ૫૦ અગિયારમા ગુણસ્થાનકે કયા કયા કર્મોની ગુણશ્રેણિ થાય ?
ઉ.
મોહનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મોની ગુણશ્રેણિ થાય.
પ્ર. ૫૧ કયા કયા કરણો કયા કયા ગુણસ્થાનક સુધી પ્રવર્તે ! તેમજ કયા કયા કરણથી કર્મમાં થયેલ ફેરફાર કયા ગુણસ્થાનક સુધી રહે ?
ઉ.
ઉ.
બંધનકરણ- સાંપરાયિક બંધની અપેક્ષાએ દસમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે, આ કરણથી બંધાયેલ કર્મ ચૌદમા ગુણસ્થાનક સુધી સત્તામાં રહે છે.
૩૨૧
સંક્રમણકરણ - દર્શનમોહનીય વિના દસમા ગુણસ્થાનક સુધી અને દર્શનમોહનીયમાં અગિયારમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને કોઇપણ કર્મરૂપે સંક્રમેલ દલિક ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે.
-
અપવર્દનાકરણ – તેરમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે અને તેનાથી ઓછી થયેલ સ્થિતિસત્તા ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે.
ઉર્જાનાકરણ - દસમા ગુણસ્થાનક સુધી અથવા અપેક્ષાએ તેરમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે. અને તેનાથી થયેલ ફે૨ફા૨વાળી કર્મસત્તા ચૌદમા ગુણસ્થાનક સુધી હોય છે.
ઉદીરણાકરણ - આ કરણ અને તેનું કાર્ય તેરમા ગુણસ્થાનક સુધી હોય છે.
સર્વોપશમનાકરણ - પહેલે અને ચોથાથી દસમા ગુણસ્થાનક સુધી પ્રવર્તે છે, તેનાથી ઉપશાંત થયેલ કર્મદલિક યથાસંભવ ત્રીજા વિના એકથી અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે.
દેશોપશમના નિવ્રુતિ અને નિકાચના આ ત્રણ ક૨ણો અને તેનાથી ઉપશાંત, નિવ્રુત્ત અને નિકાચિત થયેલ કર્મ આઠમા ગુણસ્થાનક સુધી રહે છે, પણ પછી રહેતાં નથી.
પ્ર. ૫૨ અનાદિ મિથ્યાદૃષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે જેમ મિથ્યાત્વની સર્વોપશમના કરે છે. તેમ અનંતાનુબંધિની ઉપશમના કરે કે નહીં ? કારણ કે અનંતાનુબંધિનો ઉદય હોય ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત ન થાય, છતાં અનંતાનુબંધિની ઉપશમના કેમ બતાવી નથી ?
અનાદિ મિથ્યાદષ્ટિ ઉપશમ સમ્યક્ત્વ પામે ત્યારે જેમ મિથ્યાત્વની સર્વોપશમના કરે છે, તેમ અનંતાનુબંધિની સર્વોપશમના કરતો નથી. પરંતુ અનતાનુબંધિનો ક્ષયોપશમ કરતો હોય તેમ લાગે છે.
તેનું પહેલું કારણ - જો અનંતાનુબંધિનો પણ ઉપશમ કરતો હોય તો જેમ અનાદિ મિથ્યાદૃષ્ટિને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી મિથ્યાત્વમોહનીય વિના ૨૫ની દેશોપશમના બતાવી, તેમ અનંતાનુબંધિની પણ દેશોપશમના ન થવાથી ૨૧ પ્રકૃતિઓની દેશોપશમના બતાવવી જોઇએ, પણ તેમ બતાવેલ નથી.
બીજું કારણ-જેમ મિથ્યાત્વની પ્રથમસ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા બતાવી, તેમ અનંતાનુબંધિની પણ જઘન્ય સ્થિતિ ઉદીરણા .આવી શકે છતાં તેમ ન બતાવતાં અનંતાનુબંધિની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયોમાં બતાવવામાં આવેલ છે.
ત્રીજું કારણ-જેમ પુરુષવેદના બંધવિચ્છેદ પછી બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલા પુરુષવેદના દલિકને તેટલાં જ કાળમાં સંક્રમાવે છે. ત્યારે સંક્રમના ચરમ સમયે પુરુષવેદનો જઘન્ય અનુભાગસંક્રમ બતાવેલ છે. તેમ અનંતાનુબંધિનો પણ ઉપશમ સમ્યક્ત્વ પામ્યા પછી બે સમય ન્યૂન બે આવલિકા જેટલાં અંતિમકાળમાં બંધાયેલા દલિકોને સંક્રમાવતાં સંક્રમના ચરમ સમયે ઘણો ઓછો રસ સંક્રમતો હોવાથી જઘન્ય અનુભાગસંક્રમ બતાવવો જોઇએ. પરંતુ તેમ ન બતાવતાં અનંતાનુબંધિની વિસંયોજના કરી પ્રથમ ગુણસ્થાનકે આવેલ આત્માને પ્રથમ સમયે બંધાયેલ ૨સ અનંતગુણ હોવા છતાં બંધાવલિકા પછીના પ્રથમ સમયે તે ૨સને સંક્રમાવતાં જઘન્ય અનુભાગસંક્રમ બતાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org