SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ સારસંગ્રહ ૩૦૩ આઠમા સમય સુધી બંધાયેલ અથવા સંક્રમથી આવેલ દરેક દલિકોનો અમુક ભાગ સંક્રમવા કે ઉપશમવા છતાં અમુક દલિકો સત્તામાં પણ રહી જાય છે. તેથી બંધવિચ્છેદ પછીના એટલે નવમા સમયે ત્રીજાથી આઠમા સમય સુધી બંધાયેલા અથવા સંક્રમથી આવેલ છે સમયના દલિકો રહી જાય છે. અને ચાર સમયની આવલિકા કલ્પેલ હોવાથી છ સમયો એટલે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કહી શકાય, માટે જ પુરુષવેદના બંધવિચ્છેદ પછીના સમયે બે આવલિકા કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત હોય છે. એ જ પ્રમાણે ક્રોધાદિ ચારે સં૦ કષાયોના બંધવિચ્છેદ પછીના સમયે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ ક્રોધાદિના દલિકો પણ અનુપશાંત હોય છે. અને જે સમયે પુરુષવેદનો સોળ વર્ષ પ્રમાણ બંધ થાય છે, તે સમયે ચારે સંતુ કષાયનો સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ સ્થિતિબંધ થાય છે.... અવેદકના પ્રથમ સમયે બે સમય ન્યુન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ પુરુષવેદનું જે દલિક અનુપશાંત છે, તેને તે જ સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળ સુધી ક્રમશઃ પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી પછીના સમયે અસંખ્યાતગુણાકારે ઉપશમાવે છે. અને બધ્યમાન સંઇ કષાયોમાં યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા પહેલા સમયે ઘણું અને પછી પછીના સમયે વિશેષહીન-હીન સંક્રમાવે છે. એમ જે સમયે અવેદક થાય છે તે સમયથી બે સમય ન્યૂન બે આવલિકાના અંતે પુરુષવેદ સંપૂર્ણ ઉપશાંત થાય છે.અને તે સમયે ચારે સંતુ કષાયનો સ્થિતિબંધ અંતર્મુહુર્ત ન્યૂન ૩૨ વર્ષ પ્રમાણ છે. અહીં પંચસંગ્રહના મતે સંજ્વલન કષાયનો બંધ ૩૨ વર્ષ કહ્યો છે, તેમજ મોહનીય વિના શેષ કર્મનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. અવેદકના પ્રથમ સમયથી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ ત્રણે ક્રોધને એક સાથે ઉપશમાવવાની શરૂઆત કરે છે, અને ઉત્તરોત્તર દરેક સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે છે, તેમજ આ ત્રણ ક્રોધની ઉપશમન ક્રિયા શરૂ કરે તે વખતે જે સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ પૂર્ણ થયા પછી ચારે સંજ્વલનનો નવો સ્થિતિબંધ સંખ્યાતભાગીન અને શેષ કર્મોનો સંખ્યાતગુણહીન એટલે સંખ્યામાં ભાગ કરે છે. જ્યારે સંક્રોધની પ્રથમસ્થિતિ સમય ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે ત્યારે સંક્રોધ અપતદુગ્રહ થાય છે, માટે તે સમયથી સત્તાગત અન્ય પ્રવૃતિઓના દલિકો સંક્રોધમાં સંક્રમતા નથી, પરંતુ માનાદિ ત્રણમાં સંક્રમે છે. સંક્રોધની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ શેષ રહે ત્યારે આગાલ પણ બંધ પડે છે, અને પ્રથમસ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે સંક્રોધના બંધ-ઉદય-અને ઉદીરણા એકી સાથે વિચ્છેદ થાય છે અને તે સમયે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ સંપૂર્ણ ઉપશાંત થાય છે. જે સમયે સંજ્વલન ક્રોધના બંધાદિ વિચ્છેદ થાય છે તે સમયે પ્રથમસ્થિતિમાં એક આવલિકા અને દ્વિતીય સ્થિતિમાં સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિકને છોડી સંજ્વલન ક્રોધનું પણ અન્ય સર્વ દલિક ઉપશીત થયેલ હોય છે. પ્રથમસ્થિતિગત આવલિકાને સ્તિબુક સંક્રમથી માનમાં, માનની પ્રથમ સ્થિતિગત આવલિકાને માયામાં, માયાની લોભમાં અને બાદર લોભની પ્રથમસ્થિતિગત આવલિકાને દસમા ગુણસ્થાનકે કિક્રિઓમાં સંક્રમાવી ભોગવી દૂર કરે છે. ક્રોધની દ્વિતીયસ્થિતિમાં બંધવિચ્છેદ પછીના સમયે જે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિક અનુપશાંત છે તેને બંધવિચ્છેદ પછીના સમયથી બે સમય ન્યૂન બે આવલિકા કાળમાંજ પુરુષવેદની જેમ ઉપશમાવે છે, અને યથાપ્રવૃત્તસંક્રમથી બધ્યમાન પ્રવૃતિઓમાં સંક્રમાવી સંપૂર્ણ ઉપશાંત કરે છે. એ જ પ્રમાણે માન અને માયાના બંધોદય વિચ્છેદ પછીના સમયે દ્વિતીયસ્થિતિમાં બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ જે દલિકો અનુપશાંત હોય છે તેઓને તેટલાં જ કાળમાં પુરુષવેદની જેમ ઉપશમાવી અને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવી સંપૂર્ણપણે ઉપશમાવે છે. લોભના બંધવિચ્છેદ પછીના સમયે જે બે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળમાં બંધાયેલ દલિકો અનુપશાંત હોય છે. તેઓને દસમા ગુણસ્થાનકે તેટલાં જ કાળમાં સંપૂર્ણપણે સ્વસ્થાનમાં ઉપશમાવે છે. પરંતુ મોહનીયકર્મની કોઈપણ પ્રકૃતિનો બંધ ન હોવાથી સંક્રમાવતો નથી. સંક્રોધના બંધવિચ્છેદ સમયે ચારે સંકષાયનો સ્થિતિબંધ ચાર માસ પ્રમાણ હોય છે. અને જ્ઞાનાવરણીય વિગેરે છ કર્મનો સ્થિતિબંધ સંખ્યાત હજાર વર્ષ પ્રમાણ હોય છે, જે સમયે સંક્રોધના બંધોદય-ઉદીરણા વિચ્છેદ થાય છે, તેના પછીના સમયથી માનના દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકોને આકર્ષી અંતરકરણરૂપ ખાલી જગ્યામાં લાવી આ ગુણસ્થાનકે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy