________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
છે, અને અબાધાની સ્થિતિઓને અતીત્થાપનાપણે પ્રતિપાદન કરી છે. તેથી બંધાવલિકા અન્તર્ગત અને અબાધા અન્તર્ગત સ્થિતિઓ ઉદ્વર્તના અયોગ્યપણું છે. અને પૂર્વ કહેલ નિક્ષેપ વિધિની યુક્તિને અનુસાર અસંખ્યાતમાં ભાગ અધિક આવલિકા પ્રમાણ ઉપરની સ્થિતિઓ પણ ઉદ્વર્તનાને યોગ્ય નથી. આ પ્રમાણે નિક્ષેપ વિધિ વિચારવી.
| ઇતિ જઘન્ય નિક્ષેપ વિધિ સમાપ્ત હવે જેમાં દલિકનો નિક્ષેપ થાય છે તે પતઘ્રહ સ્થિતિઓનું સ્વરૂપ કહે છે. ત્યાં જે આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગે ઉપરના સ્થાનથી નીચે ઉતરતાં નીચેની બીજી સ્થિતિની ઉદ્વર્તન થાય (ત પ્રથમ સ્થિતિની ઉદ્વર્તના કહેવાય છે) ત્યારે સમયાધિક આવલિકાનો અસંખ્યાતમાં ભાગ (જઘન્ય) નિક્ષેપ વિષય પતગ્રહ સ્થિતિઓ છે. (અર્થાત સમયાધિક આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ પતગ્રહ સ્થિતિઓમાં નીચેની દ્વિતીયસ્થિતિનું દલિક પડે)
જ્યારે ત્રીજી સ્થિતિની ઉદ્વર્તન થાય ત્યારે બે સમયાધિક આવલિકાના અસંખ્યાતમા ભાગ પતંગ્રહ પ્રમાણ સ્થિતિઓમાં કર્મલિક પડે છે. એ પ્રમાણે એકેક સમયની વૃદ્ધિએ દલિક નિક્ષેપ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ થાય. અને તેનું (- ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપનું) પ્રમાણ સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ પ્રમાણ તે ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ છે. તે આ પ્રમાણે કહે છે- અબાધાથી ઉપરની પોતાની સ્થિતિઓની ઉદ્વર્તન થાય છે. ત્યાં પણ અબાધા ઉપરની સ્થિતિની ઉદ્વર્તના થયે છતે અબાધાથી ઉપર જ દલિક નિક્ષેપ થાય છે, પણ અબાધાની અંદર દલિક નિક્ષેપ થતો નથી. ઉદ્વર્યમાન દલિકનો નિક્ષેપ ઉદૂવર્યમાન સ્થિતિ ઉપર જ થાય છે. ત્યાં પણ ઉદ્વર્યમાન સ્થિતિથી ઉપરની આવલિકા પ્રમાણ સ્થિતિઓ અતિક્રમીને ઉપરની સર્વ સ્થિતિઓમાં દલિક નિક્ષેપ થાય છે.
તેથી અતીત્થાપના એક આવલિકા, ઉદ્વર્ધમાન સમય માત્ર સ્થિતિ અને અબાધા એ ત્રણ વર્જીને બાકીની સર્વ પણ સ્થિતિઓ ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ વિષયની છે. (અર્થાત્ શેષ સર્વ સ્થિતિઓ તે પતઘ્રહ સ્થિતિઓ છે.) આ ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ વિષય અબાધા ઉપરના અનંતર સમયની ઉદ્વર્તના સ્થિતિસ્થાનને આશ્રયીને ઉત્કૃષ્ટ દલિક નિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે. અને સર્વ ઉપરિતન સમયની ઉદ્વર્તનાને આશ્રયીને જઘન્ય દલિક નિક્ષેપ વિષય પ્રાપ્ત થાય છે. અને પંચસંગ્રહ ઉદ્વર્તનાકરણની ગાથા-૪માં કહ્યું છે – “કાવાદાવર ટાગવત પદુદ્દેદ પરણવષેવો રિમુવIM પડુ ગાયનનો ” અર્થ :અબાધાની ઉપર રહેલ સ્થિતિસ્થાનના દલિક આશ્રયી ઉત્કૃષ્ટ નિક્ષેપ થાય છે. અને ઉદ્દ્વના કરતાં છેલ્લા સ્થિતિસ્થાન આશ્રયી જઘન્ય નિક્ષેપ થાય છે. (ચિત્ર નં-૧ જુઓ)
ઇતિ નિર્વાઘાતભાવે સ્થિતિ ઉદવર્તના સમાપ્ત નિર્વાઘાત ઉદવર્નના વિધિના ચિત્ર નં.-૧ ની સમજતી :- પ્રથમ લાઇનમાં અસત્ કલ્પનાથી ૧ થી ૪૧ સુધી પૂર્વ બાંધેલ ઉત્કૃષ્ટ સ્થિતિ લતા છે. ત્યાં પ્રથમ ૫ બિન્દુ તે બંધાવલિકા ગયા પછીની ઉદયાવલિકાના છે. ૧ થી ૨૦ બિન્દુ તે ઉદયાવલિકા સહિત ઉત્કૃષ્ટ અબાધા છે, અને તે ઉત્કૃષ્ટ અતીત્થાપના પણ કહેવાય છે, અને આ સ્થિતિઓ અનુવર્તનીય છે. ઉદયાવલિકા ઉપરના ૬ઠ્ઠા બિન્દુથી શરૂ કરી ૧૨મા સુધીના બિન્દુવાળા સ્થાનોના દલિકોની અબાધાની અંદર રહેલ સ્થિતિઓમાં જ ઉદ્વર્તન થાય પણ અબાધાની બહારની સ્થિતિમાં ન થાય. તેથી ૬ઠ્ઠા સ્થાનકનું કર્મલિક નીચેની લાઇનમાં ૭ થી ૧૧ અતીત્થાપના આવલિકા ઓળંગીને ૧૨ થી ૨૦ સુધીમાં પડે, તે રીતે ૭મા ૧૩ થી ૨૦ સુધી પડે. તવી રીતે ૮મા આદિ સ્થાનાના દલિકો વિષે પણ જાણવું અર્થાત્ જીવ અબાધામાં રહેલ દલિકોને અબાધાની બહારની સ્થિતિઓ સાથે ભોગવે તેમ કરતો નથી. પણ ઉદયાવલિકામાં રહેલ દલિકોને છોડી ઉપરના સ્થાનાના દલિકો એક આવલિકા પછીના સ્થાનોમાં ઉદયમાં આવનાર દલિકો સાથે ઉદયમાં આવવા યોગ્ય કરે છે. ૧૨મા સ્થાનના દલિકો ૧૮ થી ૨૦માં ગયા, તે અબાધાની અંદરનો જઘન્ય નિક્ષેપ કહેવાય.
- ઉપરની લાઇનમાં ર૧મા સ્થાનથી ઉત્કૃષ્ટ નિક્ષેપ શરૂ થાય છે. તેનું પ્રમાણ સમયાધિક આવલિકા અને અબાધાહીન સર્વ કર્મસ્થિતિ છે. તેથી અતીત્થાપનાની એક આવલિકા ઉદ્વર્યમાન સમયમાત્ર સ્થિતિ અને અબાધા એ ત્રણ સિવાયની સર્વ સ્થિતિઓ ઉત્કૃષ્ટ લિક નિક્ષેપ વિષયની છે. (૩૯ થી ૫૩)
એટલે ઉપર એમ કહેવામાં આવ્યું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય ત્યારે બંધાવલિકા, અબાધા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ અધિક એક આવલિકા પ્રમાણ સ્થિતિ છોડી શપ સ્થિતિઓની ઉદ્ધના થાય છે.
અહીં ઉદ્ધનાને યોગ્ય જે સ્થિતિ કહી છે તેમાંના કોઇપણ સ્થિતિના દલિકોન તેના ઉપરના સમયથી એક આવલિકા છોડી ઉપરના સ્થાનોમાં પ્રક્ષેપ છે. એટલે કે તેટલાં મોડા ફળ આપવા યોગ્ય કરે છે એમ સમજવું. ૧૦ જેટલાં સ્થિતિસ્થાના ઓળંગી દલિકના નિક્ષેપ કરે તે અતીત્થાપના કહેવાય છે. ઓછામાં ઓછી એક આવલિકા ઓળંગીન જ દલિક નિક્ષેપ કરે છે,
માટે એક આવલિકા અતીસ્થાપના કહી છે. તેમાં આવલિકા પ્રમાણ સ્થિતિમાં દલિક નિક્ષેપ ન કરે માટે વર્જી છે જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે છે તેના દલિકનો નિક્ષેપ તેના ઉપરના સ્થાનકથી આરંભી આવલિકા પ્રમાણ સ્થિતિ છોડી ઉપરના સ્થાનકમાં થાય છે, માટે તે ઉદ્દવર્ધમાન સ્થાન પણ વર્યું છે. અબાધા વર્જવાનું કારણ અબાધા પ્રમાણ સ્થાનકના દલિકનો નિક્ષેપ અબાધાની ઉપરના સ્થાનકોમાં થતો નથી .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org