________________
૨૯૨
કર્મપ્રકૃતિ ભાગ - ૨
અંતરકરણમાં જે આત્માને અનંતાનુબંધિનો ઉદય થાય છે તે આત્મા અંતરકરણનો કંઈક અધિક આવલિકા કાળ બાકી કહે ત્યારે અંતરકરણની ઉપરની સ્થિતિમાંથી દલિકો અંતરકરણમાં લાવી આવલિકા પ્રમાણ કાળમાં ગોઠવતો નથી, કારણ કે અંતરકરણની અંદર કોઈ પૂંજનો ઉદય થવાનો નથી. અને અંતરકરણ પૂર્ણ થયા પછી ત્રણે પંજ તૈયાર હોવાથી તેમાંથી મિથ્યાત્વનો જ ઉદય થાય છે. આ અંતરકરણનો કાળ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિના અંતર્મુહૂર્ત પ્રમાણ કાળથી ઘણો વધારે હોય છે.
-: ચારિત્રમોહનીય ઉપશમના અધિકાર ) સંક્િલષ્ટ પરિણામનો ત્યાગ કરી, અનંતગુણ વિશુદ્ધિમાં વર્તમાન, ચોથાથી સાતમા સુધીના ચારમાંથી કોઈપણ ગુણસ્થાનકમાં રહેલ ક્ષયોપશમ સમ્યકત્વી ચારિત્રમોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં ચારિત્રમોહનીયનો ઉપશમ નવમા અને દસમા ગુણસ્થાનકે જ થાય છે. તેથી ચારિત્રમોહનીયની ઉપશમનાનો પ્રયત્ન કરતો આત્મા દેશવિરતિ પ્રાપ્ત કરીને અથવા કર્યા વિના પરંતુ સર્વવિરતિ પ્રાપ્ત કર્યા પછી જ નવમા અને દસમા ગુણઠાણે જઈ ચારિત્રમોહનીયનો ઉપશમ કરે છે. માટે પ્રથમ આત્મા દેશવિરતિનો લાભ કઈ રીતે પ્રાપ્ત કરે છે. તે બતાવે છે....
-: ૨-૩ જે દેશવિરતિ - સર્વવિરતિ દ્વાર :-) ત્યાં પ્રથમ દેશવિરતિ અને સર્વવિરતિનું સ્વરૂપ આ પ્રમાણે છે. જિનેશ્વર ભગવંતે કહેલ જીવાદિ નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા કરવી તે જાણવું, જિનેશ્વર ભગવંતે કહેલ વિધિમુજબ દેવગુરુ વિગેરેની સાક્ષીએ વ્રતોનો સ્વીકાર કરવો તે ગ્રહણ કરવું અથવા આદરવું અને ગ્રહણ કરેલ વ્રતોને શ્રદ્ધાપૂર્વક યથાર્થ રીતે પાળવાં તે પાલન કરવું કહેવાય છે.
જાણવું, આદરવું અને પાલન કરવું આ ત્રણ પદોના આઠ ભાંગા થાય છે. (તે પેઇઝ નંબર ૨૦૮માં યંત્ર નંબર ૧૨ જુઓ)
આમાંના પ્રથમના ચાર ભાંગામાં વર્તમાન આત્માને યથાર્થ શ્રદ્ધા જ ન હોવાથી મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. પછીના ત્રણ ભાંગામાં વર્તમાન આત્મા અવિરત સમ્યગુદષ્ટિ કહેવાય છે. અને છેલ્લા ભાંગામાં રહેલ આત્મા દેશવિરત અથવા સર્વવિરત કહેવાય છે.
ત્યાં પાંચમાંથી કોઈપણ એક અણુવ્રત ઉચ્ચરે જઘન્ય, બે-ત્રણ વાવતું પાંચેય અણુવ્રત ઉચ્ચરે તે મધ્યમ અને સંવાસાનુમતિ વર્જી સર્વ પાપ વ્યાપારનો ત્યાગ કરે તે ઉત્કૃષ્ટ દેશવિરત કહેવાય છે. અહીં પ્રતિસેવના, પ્રતિશ્રવણા અને સંવાસા એમ અનુમતિ ત્રણ પ્રકારે છે.
પોતે અથવા પુત્રાદિકે કરેલા પાપોની અનુમોદના કરે અને પાપ વ્યાપારથી તૈયાર થયેલ ભોજનાદિનો ઉપભોગ કરે ત્યારે પ્રતિસેવનાનુમતિ દોષ લાગે છે. માત્ર પુત્રાદિકે કરેલ પાપોને સાંભળે અને સાંભળીને અનુમોદના કરે પરંતુ નિષેધ કરે નહિ ત્યારે પ્રતિશ્રવણાનુમતિ દોષ લાગે છે. અને જ્યારે પુત્રાદિકે કરેલા પાપોને સાંભળતો નથી તેમજ અનુમોદન પણ કરતો નથી માત્ર પાપ વ્યાપાર કરનાર પુત્રાદિ કુટુંબીજનોમાં પોતાનું મમત્વ હોય ત્યારે સંવાસાનુમતિ દોષ લાગે છે. જ્યારે તે સંવાસાનુમતિનો પણ ત્યાગ કરે છે ત્યારે આત્મા સર્વવિરત કહેવાય છે.
અહીં દેશવિરતિ પ્રાપ્ત કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરનાર અવિરત સમ્યગ્દષ્ટિ અથવા દેશવિરત આ બેમાંથી કોઇપણ હોય છે. ત્યાં દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરવા માટે યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ આ બે કરણો કરે છે. કરણકાળના અંતર્મુહૂર્તની પહેલાં પણ પ્રતિસમયે અનંતગુણ વિશુધ્યમાન પરિણામી વિગેરે ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિમાં ત્રણ કરણની પહેલાં બતાવેલ બધીજ યોગ્યતાવાળો હોય છે. અને તે પ્રમાણે અંતર્મુહૂર્ત કાળ સુધી રહી પૂર્વે બતાવેલ સ્વરૂપવાળા યથાપ્રવૃત્ત અને અપૂર્વકરણ કરે છે પરંતુ અહીં અપૂર્વકરણમાં ગુણશ્રેણિ કરતો નથી. આટલી વિશેષતા છે. | મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિનો સર્વથા ક્ષય અથવા ઉપશમ કરવાનો હોય છે ત્યારે ત્રીજું અનિવૃત્તિકરણ પણ થાય છે પરંતુ આ બે ગુણ પ્રાપ્ત કરતાં મોહનીયકર્મની કોઇપણ પ્રકૃતિનો સર્વથા ક્ષય અથવા ઉપશમ થતો નથી પરંતુ દેશવિરતિ પ્રાપ્ત કરતાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો અને સર્વવિરતિ પ્રાપ્ત કરતાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ થાય છે. માટે ત્રીજ અનિવૃત્તિકરણ થતું નથી. પરંતુ અપૂર્વકરણની સમાપ્તિ પછીના પહેલા જ સમયે આત્મા દેશવિરતિ અથવા સર્વવિરતિ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org