________________
કર્મપ્રકૃતિ ભાગ - ૨
પ્રથમ સમયે ઉતારેલ દલિકથી બીજા સમયે અસંખ્યાતગુણ દલિક ઉતારી પ્રથમ સમય ભોગવવા દ્વારા દૂર થયેલ હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયની અપેક્ષાએ બીજો સમય તે ઉદય સમય કહેવાય. તેથી રસોદયવાળી પ્રકૃતિઓમાં અપૂર્વક૨ણના બીજા સમયરૂપ ઉદય સમયથી લઈને ૭૦મા સમય સુધીના ૬૯ સમયોમાં અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં છઠ્ઠા સમયથી યાવત્ ૭૦મા સમય સુધીના પાંસઠ સમયોમાં ક્રમશઃ અસંખ્યાતગુણાકારે ગોઠવે છે.
૨૯૦
બીજા સમયે ઉતારેલ દલિકોની અપેક્ષાએ ત્રીજા સમયે અસંખ્યાતગુણ દલિકો ઉતારે છે અને તે વખતે અપૂર્વકરણના બે સમયો વ્યતીત થયેલ હોવાથી રસોદયવાળી પ્રકૃતિમાં ત્રીજા સમયરૂપ ઉદય સમયથી લઇ ૭૦ સુધીના ૬૮ સમયમાં અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં સાતમા સમયથી ૭૦ સુધીના કુલ ૬૪ સમયોમાં અનુક્રમે અસંખ્યાતગુણાકારે ગોઠવે છે.
એમ ગુણશ્રેણિ ક૨વાના ચરમ સમય સુધી દરેક સમયે અસંખ્યાતગુણ દલિકો ઉતારે છે...અને તે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણના જેમ જેમ સમયો વ્યતીત થતા જાય છે...તેમ તેમ ૨સોદયવાળી પ્રકૃતિઓમાં ઉદય સમયથી લઇને અને અનુદિત સત્તાગત પ્રકૃતિઓમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમ સમયથી યાવત્ ૭૦મા સમય સુધીના બાકી રહેલ શેષ-શેષ સમયોમાં અસંખ્યાતગુણાકારે ગોઠવાય છે... પરંતુ પૂર્વ-પૂર્વના સમયો વ્યતીત થાય ત્યારે ૭૦મા સમયથી ઉ૫૨ના સમયો વધતા નથી અર્થાત્ ઉપરના સમયમાં દલિક ૨ચના થતી નથી.(પેઇઝ નંબર ૧૯૮-૧૯૯માં ચિત્ર નં ૩-૪-૫-૬ જુઓ)
અનિવૃત્તિકરણ :- આ કરણમાં એકી સાથે પ્રવેશ કરનાર જીવોને કોઇપણ એક સમયે અધ્યવસાયોમાં પરસ્પર ફેરફાર હોતો નથી. માટે ત્રિકાળવર્તી અનેક જીવો આશ્રયી પણ વિવક્ષિત એક એક સમયમાં સમાન અધ્યવસાય હોવાથી એક એક અધ્યવસાય જ હોય છે. તેથી આ કરણના જેટલાં સમયો હોય છે તેટલાં જ અધ્યવસાયસ્થાનો હોય છે. માટે આ અધ્યવસાયોની આકૃતિ મોતીની સેર સરખી છે.
અહીં તિર્યખી વિશુદ્ધિ હોતી નથી. પરંતુ પૂર્વ-પૂર્વ સમયના અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષાએ ઉત્તરોત્તર પછી-પછીના સમયના અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ હોય છે. અને આ કરણમાં પણ અપૂર્વકરણમાં બતાવેલ સ્થિતિઘાતાદિ ચારે પદાર્થો પ્રવર્તે છે.
આ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તકાળના અસલ્પનાએ એકસો (૧૦૦) સમય કલ્પીએ અને તેના ૧૦-૧૦ સમયના દસ ભાગની કલ્પના કરી ઘણાં સંખ્યાતભાગ અર્થાત્ ૯૦ સમય પ્રમાણ નવભાગ જેટલો કાળ જાય અને ૧૦ સમય પ્રમાણ એક સંખ્યાતમા ભાગ જેટલો કાળ બાકી રહે ત્યારે સત્તામાં રહેલ જે મિથ્યાત્વની સ્થિતિ છે, તેને ઉદય સમયથી અર્થાત્ એકાણુમા સમયથી લઈ અનિવૃત્તિકરણના બાકી રહેલ સંખ્યાતમા ભાગ પ્રમાણ અર્થાત્ ૯૧ થી ૧૦૦ સુધીના ૧૦ સમય પ્રમાણ નીચે રાખી તેની (૧૦૦ સમયની) ઉપર એક અંતર્મુહૂર્ત કાળમાં ભોગવવા યોગ્ય મિથ્યાત્વના દલિકોને ત્યાંથી દૂ૨ કરવાની ક્રિયા શરૂ કરે છે અને તેને અંતકરણની ક્રિયા કહેવાય છે.
આ ક્રિયા દ્વારા અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યામાંથી મિથ્યાત્વના દલિકો ખસેડી અર્થાત્ દૂર કરી નીચે અને ઉપર એમ બન્ને બાજુ નાખી તે અંતર્મુહૂર્ત પ્રમાણ જગ્યા તદ્દન મિથ્યાત્વના દલિક વિનાની કરે છે તે અંત૨ક૨ણના દલિકોની સાથે ગુણશ્રેણિનો પણ ઉપ૨નો સંખ્યાતમો ભાગ ખંડાઇ દૂર થઇ જાય છે. અને તેને જ અંત૨કરણ કહેવાય છે. તેમજ જે સમયથી અંતરકરણની ક્રિયા શરૂ કરે તે સમયથી મિથ્યાત્વની ગુણશ્રેણિ અનિવૃત્તિકરણના ચરમ સમય સુધી જ થાય છે પરંતુ તેના ઉપરના સમયોમાં થતી નથી. અને અંતકરણ ક્રિયા સમાપ્ત થયા પછીના સમયથી દ્વિતીય સ્થિતિગત મિથ્યાત્વના દલિકોને અસંખ્યાત ગુણાકારે ઉપશમાવતાં અંતર્મુહૂર્તમાં સંપૂર્ણ ઉપશમાવે છે.
અંતરકરણ ક્રિયાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ હોવા છતાં તે કાળ અનિવૃત્તિકરણના બાકી રહેલ સંખ્યાતમા ભાગની અપેક્ષાએ પણ ઘણો જ અલ્પ છે. માટે અંતરક૨ણની ક્રિયા પૂર્ણ થયા પછી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ અનિવૃત્તિકરણનો કાળ બાકી રહે છે. જેટલાં કાળમાં એક સ્થિતિઘાત કરે છે તેટલાં જ કાળમાં અંતરકરણની ક્રિયા પણ કરે છે. માટે અંતરકરણ ક્રિયાનું અંતર્મુહૂર્ત આવલિકાના એક સંખ્યાતમા ભાગ જેટલું નાનું હોય તેમ લાગે છે. અંત૨ક૨ણ ક્રિયા પૂર્ણ થયા પછી અંતરક૨ણ થયેલ હોવાથી સત્તાગત મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ થઈ જાય છે. તેમાં એક અંતર્મુહૂર્ત પ્રમાણ અંત૨ક૨ણની નીચેની સ્થિતિને નાની અથવા પ્રથમસ્થિતિ અને બીજી સત્તાગત સંપૂર્ણ સ્થિતિ પ્રમાણ અંતરક૨ણની ઉપરની સ્થિતિને મોટી અથવા બીજી સ્થિતિ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org