________________
૨૮૮
કર્મપ્રકૃતિ ભાગ - ૨
એમ નદીધોલગોળ પાષાણના ન્યાયે તથાભવ્યત્વના પરિપાકના વશથી ભવ્યો તેમજ અભવ્યો પણ અનેકવાર યથાપ્રવૃત્તકરણ કરી ગ્રંથિ દેશ સુધી આવે છે...અને અભવ્ય જીવો મોક્ષની શ્રદ્ધા વિના સાંસારિક સુખોની ઇચ્છાથી દ્રવ્ય ચારિત્ર ગ્રહણ કરી શ્રુત સામાયિકોનો લાભ મેળવી નવમા સૈવેયક સુધી ઉત્પન્ન થાય છે....પરંતુ સમ્યકત્વ વિગેરે શેષ ત્રણ સામાયિકો પ્રાપ્ત કરી શકતા નથી. વળી તે અભવ્ય જીવોના તેમજ અંતર્મુહૂર્તમાં સમ્યક્ત પ્રાપ્ત ન કરનાર ભવ્ય જીવોના યથાપ્રવૃત્તકરણની અપેક્ષાએ-આ યથાપ્રવૃત્તકરણ વિલક્ષણ છે તેથી અંતર્મુહૂર્તમાં સખ્યત્વ પ્રાપ્ત કરનારા ભવ્ય આત્માઓ યથાપ્રવૃત્તકરણ પછી તુરત જ અપૂર્વકરણ કરે છે...(પેઇઝ નંબર ૧૮૮-૧૮૯માં યંત્ર નંબર ૧-૨ જુઓ)
અપૂર્વકરણ :- આ કરણમાં યથાપ્રવૃત્તકરણની જેમ દરેક સમયે અસંખ્યલોકાકાશ પ્રદેશ પ્રમાણ અને પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં થોડા અધિક-અધિક અધ્યવસાયો હોય છે....માટે અહીં પણ તિર્યમુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે. તેનું સંપૂર્ણ સ્વરૂપ યથાપ્રવૃત્તકરણમાં બતાવ્યા પ્રમાણે છે. પરંતુ યથાપ્રવૃત્તકરણમાં પૂર્વ-પૂર્વ સમયના અમુક અમુક અધ્યવસાયો જેમ ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં હોય છે... તેમ આ કરણમાં હોતા નથી પરંતુ પૂર્વ-પૂર્વના સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં બધા અધ્યવસાયો નવા-નવા જ હોય છે.
તેથી અપુર્વકરણના પ્રથમ સમયે જે એકસો અધ્યવસાયો હોય છે તેનાથી તદ્દન ભિન્ન અને અનંતગુણ વિશુદ્ધિવાળા બીજા સમયમાં એકસો-પાંચ, તેનાથી તદ્દન ભિન્ન અનંતગુણ વિશુદ્ધિવાળા ત્રીજા સમયમાં એકસોદસ, ચોથા સમયમાં એકસો પંદર, પાંચમા સમયમાં એકસો વીસ એમ યાવતુ વધતા વધતા આ કરણના અંતિમ સમયરૂપ પચ્ચીસમાં સમયમાં બસોવીસ (૨૨૦) અધ્યવસાયો હોય છે.
અહીં પણ દરેક સમયોના અધ્યવસાયોમાં યથાપ્રવૃત્તકરણની માફક સૂક્ષ્મદ્રષ્ટિએ અસંખ્ય પ્રકારની અને સ્કૂલદૃષ્ટિએ છ પ્રકારની વિશુદ્ધિ આશ્રયી તરતમતા હોય છે.... અને તેથી જ આ અધ્યવસાયો ષસ્થાન વૃદ્ધ અથવા ષસ્થાન પતિત કહેવાય છે..
અહીં દરેક સમયમાં અધ્યવસાયો તદ્દન નવા હોવાથી અપૂર્વકરણના પ્રથમ સમયના જે એકસો અધ્યવસાયો છે.. તેમાંના દ્વિતીયાદિ અધ્યવસાયોની અપેક્ષાએ પ્રથમ અધ્યવસાયની વિશુદ્ધિ અત્યંત અલ્પ છે. છતાં યથાપ્રવૃત્તકરણના ચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિની અપેક્ષાએ તો અનંતગુણ હોય છે અને અપૂર્વકરણના પ્રથમ સમયના પ્રથમ અધ્યવસાયની વિશુદ્ધિની અપેક્ષએ સર્વોત્કૃષ્ટ અંતિમ-એકસોમા અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ છે...અને તે પ્રથમ સમયના એકસોમાં અધ્યવસાયની વિશદ્ધિ થકી બીજા સમયની જઘન્ય, તે થકી તેજ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે...તે થકી ત્રીજા સમયની જઘન્ય અને તે થકી પણ તે ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ છે...એમ પૂર્વ-પૂર્વના સમયથી ઉપર ઉપરના પછી- પછીના સમયની જઘન્ય અને પછી તે સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોવાથી દ્વિચરમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થકી પચ્ચીસમા સમયરૂપ ચરમ સમયની જઘન્ય અને તે થકી તે પચ્ચીસમા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ હોય છે.
તેમજ આ કરણમાં પૂર્વ-પૂર્વ સમયથી ઉત્તરોત્તર પછી-પછીના સમયમાં પહેલાં કોઇવાર ન આવ્યા હોય તેવા અનંતગુણ વિશુદ્ધિવાળા ચડતા પરિણામ હોય છે. તેથી આ અપૂર્વકરણમાં સ્થિતિઘાત રસઘાત, ગુણશ્રેણિ અને અપૂર્વસ્થિતિબંધ આ ચાર પદાર્થો પૂર્વે કોઈવાર ન કર્યા હોય તેવા નવીન કરે છે માટે પણ તેનું અપૂર્વકરણ નામ યથાર્થ છે...
(૧) સ્થિતિઘાત :- બંધાદિ વખતે છેલ્લા ટાઇમમાં ભોગવવા યોગ્ય જે દલિક રચના થઇ હોય તે સ્થિતિનો અગ્રભાગ કહેવાય છે.
તે આયુષ્ય વિના સાત કર્મસ્થિતિના અગ્રભાગથી ઉત્કૃષ્ટથી ઘણાં સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનમાં રહેલ એટલે તેટલાં કાળમાં ભોગવવા યોગ્ય દલિકોને અપવર્ણનાકરણ દ્વારા અંતર્મુહૂર્તમાં તેની નીચેની જે સ્થિતિઓનો ઘાત નથી થતો તે સ્થિતિઓમાં રહેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી ઉપરની ઘણાં સેંકડો સાગરોપમ પ્રમાણ અથવા પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ કર્મની સ્થિતિસત્તા ઓછી કરવી તે એક સ્થિતિઘાત કહેવાય છે.(પેઇઝ નંબર ૧૯૫ માં ચિત્ર નંબર-૧ જુઓ)
ત્યારબાદ પુનઃ પ્રથમ ઓછી કરેલ સ્થિતિસત્તાની નીચેના પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોના અપવર્તનાકરણ દ્વારા ઉતારી અંતર્મુહૂર્તકાળમાં નીચે જે સ્થિતિઓનો ઘાત નથી કરવાનો તે સ્થિતિસ્થાનોમાં બંધાદિ સમયે ગોઠવાયેલ દલિકોની સાથે ભોગવવા યોગ્ય કરી તેટલી સ્થિતિસત્તામાંથી ઓછી કરવી તે બીજો સ્થિતિઘાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org