SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ર૭૧ (જુદા જુદા કષાયના ઉદયથી શ્રેણિમાં વિશેષ યંત્ર નંબર-૧૮) સંજ્વલન ક્રોધના ઉદયથી પ્રથમ સંક્રોધને વેદતો ૩ ક્રોધને પછી માનત્રિકને ક્રોધની જેમ પછી માયા ત્રિકને સંજ્વલન માનના ઉદયથી સંવલન માયાના ઉદયથી | સંજ્વલન લોભના ઉદયથી પ્રથમ સંવમાનને વેદતો ૩ પ્રથમ સંવ-માયાને વેદતો | પ્રથમ સં-લોભને વેદતો ક્રોધને (નપુંજેમ) ૩ ક્રોધને (નપુંછે જેમ) | ૩ ક્રોધને (નપું, જેમ) પછી માનત્રિકને ક્રોધ-૩ની પછી માનસિકને (નવું) પછી માનત્રિકને (નપું. જેમ) | જેમ) પછી માયાત્રિકને પછી માયાત્રિકને ક્રોધ- પછી માયાત્રિકને (નવું) ૩ની જેમ જેમ) પછી લોભત્રિકને પછી લોભત્રિકને પછી લોભત્રિકને ઉપશમાવે છે. ઉપશમાવે છે. ઉપશમાવે છે. પછી લોભત્રિકને ઉપશમાવે છે. (-: જુદા જુદા વેદના ઉદયથી શ્રેણિમાં વિશેષ :-) જો સ્ત્રી શરૂઆત કરે તો :- પ્રથમ નપુંસકવેદને ઉપશમાવે, પછી સ્ત્રીવેદને ઉપશમાવે, પછી સમયાનત્તર પુરુષવેદ - હાસ્યાદિ-૬ની ઉપશમના શરૂ કરે. બાકીની વિધિ પુરુષવેદની જેમ. પરંતુ હાસ્યાદિ-૬ અને પુરુષવેદ એક સાથે ઉપશમાવે છે. - જો નપુંસક શરૂઆત કરે તો - પ્રથમ નપુંસકવેદની ઉપશમના શરૂઆત કરે, પછી નપુંસક - સ્ત્રીવેદ એકી સાથે ઉપશમાવે છે. પછી સ્ત્રીવેદની ઉપશાન્તિ થાય છે ત્યારે નપુંસકવેદની એક સ્થિતિ બાકી રહે. પછી સમયાનત્તર નપુંસકવેદ ઉપશમાવે છે. પછી સમયાનત્તર પુરુષવેદ - હાસ્યાદિ-૬ની ઉપશમના શરૂ કરે, બાકીની વિધિ પુરુષવેદની જેમ. પરંતુ હાસ્યાદિ-૬ અને પુરુષવેદ એક સાથે ઉપશમાવે છે. જો પુરુષ શરૂઆત કરે તો :- પ્રથમ નપુંસકવેદ ઉપશમાવે છે. પછી અનન્તર અંતર્મુહૂર્તે સ્ત્રીવેદ ઉપશમાવે છે. પછી સમયાનત્તર પુરુષવેદ - હાસ્યાદિ-૬ની ઉપશમના શરૂ કરે છે. પછી હાસ્યા-૬ની ઉપશાન્તિ થાય ત્યારે પુરુષવેદની એક સ્થિતિ બાકી રહે. પછી પુરુષવેદની ઉપશાન્તિ થાય છે. પછી ઉદયાવલિકા અને સમયોન આવલિકાદ્ધિક બદ્ધ મુકીને સર્વ પુરુષવેદ ઉપશાંત થયુ છે. ત્યાં જે પ્રકૃતિનો ઉપશમ નથી કહ્યો તેનો તે સ્થાને જ અંતર્મુહૂર્ત વડે ઉપશમ થાય છે. એ પ્રમાણે જાણવું. (મનિ અથવા કઇક ન્યૂન હોય છે. સં: સામાન્યથી તે તે પ્રત્યેક પ્રક્રિયાના કહ્યાં. કષાયમાતચર્થિક, ટ (-: ઉપશમશ્રેણિ પ્રતિપાત :-) આ કર્મપ્રકૃતિચૂર્ણિને આશ્રયી ઉપશમશ્રેણિનો પ્રતિપાત વિધિ વગેરે સંક્ષેપમાં કહ્યાં. કષાયપ્રાભૂતચૂર્ણિમાં કંઈક વિસ્તારથી આપેલ એ પ્રતિપાતવિધિ આવો છે. સામાન્યથી તે તે પ્રત્યેક પ્રક્રિયાનો ઉપશામકને જેટલો કાળ હોય છે તેના કરતાં પ્રતિપાતમાં કંઇક ન્યૂન હોય છે. સંજ્ઞા - V = વિશેષાધિક, S = સંખ્યયગુણ a = અસંખ્ય ગુણ P = પલ્યોપમનો (મુનિ અભયશેખર વિજય મસાની કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ-૨ ના આધારે) (૧) સૂ. સંપરાયના પ્રથમ સમયે ત્રણ લોભની અપવર્તન કરી ગુણશ્રેણિ રચે છે. એમાં સંજ્વલન લોભની ગુણશ્રેણિ ઉદયસમયથી કરે છે. જ્યારે શેષ બે લોભની ગુણશ્રેણિ ઉદયાવલિકા બહાર કરે છે. કિથ્રિલોભવેદનકાળ જેટલો હોય તેના કરતાં કંઈક અધિક આયામવાળી એ ગુણશ્રેણિ હોય છે. આયુષ્ય સિવાયના શેષકર્મોની ગુણશ્રેણિનો આયામ અનિવૃત્તિકરણ અને અપૂર્વકરણ અદ્ધા કરતાં પણ કંઈક અધિક કરે છે. એનું શીર્ષ સ્થિર હોય છે. એટલે ઉત્તરોત્તર સમયે નીચે-નીચેથી એક એક નિષેક ક્ષીણ થતાં શેષ શેષમાં ગુણશ્રેણિ નિક્ષેપ થાય છે. અર્થાતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ એનો આયામ એક એક સમય ઘટતો જાય છે. (૩) પણ ત્રિવિધ લોભની ગુણશ્રેણિનો આયામ તો એટલો જ રહે છે. તેથી ઉત્તરોત્તર સમયે શીર્ષ ઉપર ઉપર જાય છે. (૪) ચડતી વખતે ત્રિવિધ લોભમાં જે સર્વઉપશાંતતા પરિણામ પેદા કરેલો તે, પડતી વખતે સૂક્ષ્મસંપાયના પ્રથમ સમયે એક જ સમયમાં નાબુદ થઈ જાય છે. અને ત્રિવિધ લોભ અનુપશાંત થઇ જાય છે. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy