SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમનાકરણ ૨૫૩ દ્વિતીયસ્થિતિને પણ અર્થાતુ દ્વિતીય સ્થિતિમાં રહેલ દલિકને પણ સૂક્ષ્મસંપરાય અદ્ધાના પ્રથમ સમયથી શરૂ કરીને સt- અર્થાત્ સૂક્ષ્મસંપાયના સર્વ કાલ સુધી પૂર્વની જેમ ઉપશમાવે છે અને સમય ન્યૂન બે આવલિકાથી બાંધેલ દલિકને પણ ઉપશમાવે છે. સૂક્ષ્મસંપરાય અદ્ધાના અન્ય સમયે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયકર્મનો અંતર્મુહૂર્ત સ્થિતિબંધ, નામ-ગોત્રકર્મનો ૧૬ મુહર્ત પ્રમાણ સ્થિતિબંધ અને વેદનીયનો ૨૪ મુહૂર્ત પ્રમાણ સ્થિતિબંધ કરે છે, તે જ અન્ય સમયે સર્વ જે મોહનીયકર્મ તે ઉપશાંત થાય છે. પછી અનન્તર સમયે ઉપશાંતમોહ ગુણસ્થાનક પામે છે. उवसंतद्धा भिन्नमुहत्तो तीसे य संखतमतुल्ला । गुणसेढी सम्बद्धं , तुल्ला य पएसकालेहिं ।। ५६॥ उपशान्ताद्धा भिन्नमुहूर्तः तस्याश्च संख्येयतमतुल्याः । ગુગળઃ સર્વાઢ, તુચાહ્ય પ્રવેશારામ્યાનું | પદ // ગાથાર્થ :- ટીકાની જેમ. ટીકાર્ય - ૩૫રાનાતા- ઉપશાંતમો ગુણસ્થાનકનો કાલ ભિન્નમુહૂર્ત અર્થાત્ અંતર્મુહૂર્ત છે અને ત્યાં ગુણશ્રેણિ રચે છે. તે ઉપશાંત અદ્ધાનો જે સંખ્યાતમો ભાગ તેટલાં પ્રમાણ જેટલી અર્થાત્ ઉપશાંત અદ્ધાના સંખ્યાતમા ભાગ સમય પ્રમાણ ગુણશ્રેણિઓને કરે છે, એ પ્રમાણે અર્થ છે. અને તે સર્વ ગુણશ્રેણિઓને સઢt - ઉપશાંત અદ્ધાના સર્વકાળ સુધી પ્રદેશની અપેક્ષાએ અને કાલની અપેક્ષાએ તુલ્ય કરે છે, કારણ કે અવસ્થિતિ પરિણામ હેતુનું એક રૂપપણું હોવાથી. उवसंता य अकरणा, संकमणोवट्टणा य दिद्वितिगे। पच्छाणुपुबिगाए, परिवडइ पमत्तविरतो त्ति ॥ ५७ ॥ उपशान्ताश्चाकरणाः, संक्रमणोद्वर्तना च दृष्टित्रिके । पश्चानुपूा, प्रतिपतति प्रमत्तविरत इति ।। ५७ ॥ ર્થ :- ઉપશાંત થયેલી પ્રકતિઓ સર્વ કરણને અસાધ્ય થાય છે. પરંત ઉપશાંત થયેલી ૩ દર્શનમોહનીયમાં સંક્રમણ અને અપવર્તનાકરણ પ્રવર્તે છે. અને ઉપશાંતમોહથી પડતો જીવ પચ્ચાનુપૂર્વીએ પ્રમત્ત સંયત ગુણસ્થાનક સુધી આવે છે. ટીકાર્ય :- ઉપશાંત થયેલી મોહનીયની પ્રકૃતિઓ અકરણ અર્થાતુ કરણ રહિત થાય છે. સંક્રમણ- ઉદ્ધનાઅપવર્નના ઉદીરણા-નિધત્તિ-નિકાચના એ ૬ કરણોને અયોગ્ય થાય છે, એ પ્રમાણે અર્થ છે. વળી દષ્ટિત્રિક એટલે દર્શનમોહનીયત્રિક ઉપશાંત થાય તો પણ સંક્રમણ અને અપવર્ણના થાય છે, પરંતુ બીજુ કોઇપણ કરણ ન થાય. ત્યાં મિથ્યાત્વ અને મિશ્રનું સમ્યક્તમાં સંક્રમ થાય છે, અને અપવર્નના તો ત્રણેની પણ થાય છે. અને આ પ્રમાણેની વિધિ ક્રોધ સહિત શ્રેણિ સ્વીકારનાર જીવને જ જાણવી. જ્યારે માન સહિત શ્રેણિ સ્વીકાર કરે ત્યારે માનને અનુભવતો જ પ્રથમથી નપુંસકવેદમાં કહેલ ક્રમથી ૩ ક્રોધને ઉપશમાવે, પછી ક્રોધના કહેલ ક્રમથી ૩ માનને' ઉપશમાવે, બાકીની વિધિ પૂર્વોક્ત રીતથી જાણવી. જ્યારે માયા સહિત શ્રેણિ સ્વીકારનાર જીવ માયાને અનુભવતો જ નપુંસકવેદમાં કહેલ પ્રકારે ૩ ક્રોધ, પછી ૩ માનને ઉપશમાવે પછી ક્રોધમાં કહેલ પ્રકારે માયાત્રિકને ઉપશમાવે છે, બાકીની વિધિ પૂર્વોક્ત રીતથી જાણવી. જ્યારે લોભ સહિત શ્રેણિ સ્વીકારનાર જીવ લોભને અનુભવતો જ નપુંસકવેદમાં કહેલ પ્રકારે ૩ ક્રોધ, પછી ૩ માન, પછી ૩ માયાને ઉપશમાવે છે, પછી પૂર્વોક્ત રીતથી ૩ લોભને ઉપશમાવે છે. માનના ઉદયે શ્રેણિ આરંભનારને સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ કયાં થાય છે. તે જણાવ્યું નથી. પરંતુ એમ જણાય છે કે ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં ક્રોધનો બંધવિચ્છેદ થાય ત્યાં જ માનના ઉદયે શ્રેણિ આરંભનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થાય અને ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જેમ તેનો બંધવિચછેદ થયા પછી બે સમય ન્યૂન બે આવલિકા કાળનું બંધાયેલું ઉપશમ્યા વિનાનું બાકી રહે છે તેમ માનના ઉદયે શ્રેણિ આરંભનારને પણ ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી બે સમયનૂન બે રમાવલિકા કાળનું બંધાયેલું અનુપશાંત રહે અને તે તેટલાં જ કાળે માન ભોગવતાં ઉપશમાવે. એમ માયાના ઉદયે શ્રેણિ આરંભનારને ક્રોધ અને માન માટે સમજવું એટલે કે માયાના ઉદયે શ્રેણિ માંડનારને સંજ્વલન ક્રોધનો બંધવિચ્છેદ થયા પછી જે સમયપૂન બે આવલિકા કાળનું બંધાયેલું અનુપશાંત છે તે તેટલાં જ કાળે માનને ઉપશમાવતાં સાથે જ ઉપશમાવે, અને માનનો બંધવિચ્છેદ થયા પછી જે બે સમયપૂન બે આવલિકા કાળનું બંધાયેલું માનનું જે દળ અનુપશાંત છે તે તેટલાં જ કાળે માયાને વેદતાં ઉપશમાવે છે. એમ લોભના ઉદયે શ્રેણિ માંડનાર ક્રોધના અવશિષ્ટને માન સાથે, માનના અવશિષ્ટને માયા સાથે ઉપશમાવે, અને માયાના અવશિષ્ટને લોભ વેદતાં ઉપશમાવે છે એમ જણાય છે. તત્ત્વ કેવલિ ગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy