________________
કર્મપ્રકૃતિ ભાગ-૨
- ટિપ્પણકાર પ૦પૂઆચાર્યદેવ શ્રીમદ્ મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સ્તુતિ. :
રચિયતા તેઓશ્રીના પટ્ટધર પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ દેવસૂરીશ્વરજી મ.સા. ગુજરાતી અનુવાદકર્તા :- વિદ્વર્ય મુનિ શ્રી યશોવિજયજી,સંશોધક-પ.પૂ.આ.શ્રી વિજય વીરશેખરસૂરીશ્વરજી મ.સા.
नाणु चरणु संमत्तु जसु रयणत्तउ सुपहाणु ।
जय सु मुणिसूरि इत्यु जगि मोडियवम्महखाणु ॥ १ ॥ જ્ઞાન-ચારિત્ર અને સમ્યકત્વરૂપી સુંદર એવું પ્રધાન રત્નત્રય જેમની પાસે છે, તેવા કામવાસનાનું શસ્ત્ર નાશ કરેલ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ જગતમાં જય પામો. // ૧ //
उवसमरयणसमुद्दसमु विहलियजणसाहारु ।
वंदउ मुणिसूरि भवियजण जिम छिंदउ संसार ।। २ ।। ઉપશમરૂપી રત્નો માટે સમુદ્ર સમાન અને રખડતાં રઝળતાં માણસ માટે આધાર સમાન તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને તેવા વંદણ હો કે જેનાથી ભવ્ય જીવોનો સંસાર છેદાય જાય. // ૨ //
अमियमहुरदेसणरसिण भवियण रुंखमुलाई ।
जिंव सिंचइ मुणिचंदह सूरि तिअ तुंवि कुवि काई ।। ३ ।। અમૃત સમાન મધુર દેશનાના રસથી ભવ્ય જીવો રૂપી વૃક્ષના મૂલને જે રીતે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ સિંચે છે તે રીતે તમે પણ કાંઇક કરો. // ૩ //
वक्खाणंतउ जिणवयणु सिरिमुणिचंद मुणिंद ।
चउदिसि मुणिपरिवारियउ, नावइ पुनिमचंदु ।। ४ ।। ચારે દિશામાં મુનિઓથી પરિવરેલા જિનવચનની વ્યાખ્યા કરતાં શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજની તોલે પુનમનો ચંદ્ર પણ આવતો નથી. (અર્થાત્ તારાઓનો માલિક ચંદ્ર પણ મુનિઓમાં ચંદ્ર સમાન મુનિચંદ્રસૂરીશ્વરજીની પાસે ઝાંખો પડે છે.) | ૪ |
जिणि छट्टमिमाइतवि सोसीउ इहुं निय देहु ।
वरकरुणाजलणीरुनिहि सो गुरु मुणिधुरिलेहु ।। ५ ।।. છટ્ટ - અટ્ટમ વિગેરે તપથી પોતાનું શરીર સુકવી નાંખનાર છે. અને શ્રેષ્ઠ કરૂણારૂપી પાણીના સાગર અને મુનિઓમાં અગ્રેસરની રેખાને પામેલ તે ગુરુ ભગવંત છે. // ૫ //
जो विहिपक्खसमुद्धरणु, पंचमहब्बयधारु ।
सो नंदउ मुणिचंदसूरि, जिणी वूहउ तिव भारु ।। ६ ।। વિધિપક્ષનો સારી રીતે ઉદ્ધાર કરનાર, પાંચ મહાવ્રતને ધારણ કરનાર, (તપ) તીવ્રભાર વહન કરનાર જે છે તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વૃદ્ધિ પામો. // ૬ //
मेरुहु जिंव विरु पभ गुरु, सायरु जिम्ह गंभीरु ।
सिरी मुणिसूरि नवनाणनिहि जच्चसुवन्नसरीरु ।। ७ ।। મેરૂ પર્વતની જેમ જે ગૌરવને ધારણ કરે છે, સાગરના જેવા ગંભીર, અભિનવ જ્ઞાનના નિધાન અને શ્રેષ્ઠ સુર્વણ સમાન શરીરની કાંતિવાળા શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે. / ૭ //
जं संसारमहाडविहिं निवडियजणसत्थाह ।
सो गुरु मुणिसूरि सुमरियइं सरण विहीणहं नाहु ।। ८ ।। જે સંસારરૂપી મહા અટવીમાં પડેલા લોકોને તારવા માટે સાર્થવાહ સમાન, શરણ રહિતોને માટે નાથ સમાન તે ગુરુ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્મરણ કરીએ. /૮ || (અનુસંધાણ પે નં.-૪૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org