________________
૨૩૨
કર્મપ્રકૃતિ ભાગ-૨
અંતરકરણ કરતી વખતે પહેલી અને બીજી સ્થિતિની અવસ્થા અને જે સ્થિતિઓમાં ઉલેચાતું દલિક જ્યાં ઠલવાય છે તે
સ્થિતિઓ - બતાવતું ચિત્ર:- નબર - ૯
ઉલેચીને ખાલી કરવામાં આવે છે તે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ
ગુણશ્રેણિ : આયામ
ચિત્ર નંબર ૯ની સમજુતી :- આ ચિત્રમાં પ્રથમ (૧) લખ્યું છે તે ઉદય વિનાની મોહનીયની પ્રકૃતિઓની પ્રથમ સ્થિતિ આવલિકા પ્રમાણ છે. અહીં અંતરકરણમાંથી ઉલેચાતું દલિક ઠલવાતું નથી. જ્યાં (૨) છે ત્યાં કોઇપણ એક વેદ-કષાય ઉદયમાં હોય તે બેની પ્રથમસ્થતિ છે. અહીં અંતરકરણમાંથી ઉલેચાતું પોતાનું દલિક ઠલવાય છે. કોઇપણ વેદાતા વેદની પ્રથમસ્થિતિથી વેદાતા કષાયની પ્રથમસ્થિતિ વિશેષાધિક અથવા મંતાતંરે સંખ્યાતગુણ હોય છે. જ્યાં (૩) છે ત્યાં અંતરકરણ ક્રિયા દ્વારા ઉલેચાતો ગુણશ્રેણિનો ઘાત કરાતો સંખ્યાતમો ભાગ જાણવો. જ્યાં (૪) છે તે બંધાતાં પુવેદની-ક્રોધ-માન-માયા-લોભની દ્વિતીયસ્થિતિ છે. તે ઉત્કૃષ્ટથી અલ્પ સંખ્યયવર્ષ પ્રમાણ છે. અને તેમાં અંતરકરણમાંથી ઉલેચાતું દલિક બંધ કે સંક્રમ દ્વારા ઠલવાય છે. બાજુમાં (૫) નંબર છે કે નહિ બંધાતા સ્ત્રી નપુંસકવેદ - હાસ્યાદિ-૬ ની બીજી સ્થિતિ છે. તેમાં ઉલેચાતું દલિક ઠલવાતું નથી. અને (૬) નંબર છે ત્યાં ગુણશ્રેણિનું શિર્ષક છે. જ્યારે અંતરકરણ ખાલી થઇ જાય છે ત્યારે ગુણશ્રેણિનું શિર્ષક (૭) નંબર લખ્યો છે ત્યાં થાય છે. આ અંતરકરણ ખાલી થયા પછી જ પ્રથમસ્થિતિ અને દ્વિતીય સ્થિતિ કહેવાય છે. (ચિત્ર નં-૯ ની સમજુતી સમાપ્ત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org