________________
ઉપશમનાકરણ
૨૨૯
સંજ્વલન - ૪ કષાય અને વેદ-૩ના પોતાનું ઉદયકાલ પ્રમાણ આ પ્રમાણે છે. સ્ત્રીવેદ - નપુંસકવેદનો ઉદયકાલ સર્વથી અલ્પ, સ્વસ્થાનમાં પરસ્પર તુલ્ય છે. તેથી પુરુષવેદનો સંખ્યયગુણ, તેથી પણ સંજ્વલન ક્રોધનો વિશેષાધિક, તેથી પણ સંજ્વલન માનનો વિશેષાધિક, તેથી પણ સંજ્વલન માયાનો વિશેષાધિક, તેથી પણ સંજ્વલન લોભનો વિશેષાધિક છે. પંચસંગ્રહ ઉપશમનાકરણની ગાથા-૬૧માં કહ્યું છે- “જીગામોઢવાતા સંવેમ્બળો ૩ પુરસયસ . સસ્ત પિ વિસેરિંગો ચોરે તો જિ ગમે' || (અર્થ :- સ્ત્રીવેદ અને નપુંસકવેદના ઉદયકાળથી પુરુષવેદનો ઉદયકાળ સંખ્યાતગુણો છે, તે કરતાં ક્રોધાદિ-૪નો અનુક્રમે વિશેષાધિક છે.
- ત્યાં સંજ્વલન ક્રોધ સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ ક્રોધનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન ક્રોધનો ઉદય હોય છે. સંજવલન માન સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને
જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માન ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માનનો ઉદય હોય છે. અને સંજ્વલન માયા સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજ્વલન માયાનો ઉદય હોય છે. સંવલન લોભ સહિત ઉપશમશ્રેણિ સ્વીકાર કરનાર જીવને જ્યાં સુધી અપ્રત્યાખ્યાન - પ્રત્યાખ્યાનાવરણ લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી બાદર સંજ્વલન લોભનો ઉદય હોય છે.
ત્યાંથી આગળ સૂક્ષ્મસંપરાયનો અદ્ધા = એટલે અનુભવકાળ હોય છે. તે પ્રમાણે અંતરકરણ ઉપરના ભાગની અપેક્ષાએ “સમસ્થિતિવાળું અને નીચેના ભાગની અપેક્ષાએ પૂર્વ કહેલ રીતથી પ્રથમસ્થિતિ પ્રતિયોગી જે કેટલીક પ્રકૃતિઓ તેના ઉદયકાળની વિષમતાથી વિષમ સ્થિતિવાળું છે. અને જેટલાં કાળથી અન્ય સ્થિતિખંડનો ઘાત કરે છે અથવા અન્ય સ્થિતિબંધ કરે છે તેટલાં કાળ અંતરકરણ પણ કરે છે. ત્રણે પણ એકી સાથે શરૂ કરે છે, અને એકી સાથે પૂર્ણતાને પણ પામે છે, એ પ્રમાણે અર્થ છે. અને તે અંતરકરણ કાળમાં હજારો અનુભાગ ખંડો પસાર કરે છે. અને તે અંતર પ્રથમસ્થિતિથી સંખ્યયગુણ છે.
૩૮
સ્ત્રી - નપુંસક વેદનો ઉદયકાળ તુલ્ય શી રીતે ? જો કે “સાવંતન સિત્યો વિછ ર પુતિને ' (વિ૦ આ0 ભાષ્ય ગાથા-૧૨૮૪) મુજબ નપુંસકવેદ, સ્ત્રીવેદ, સામાન્યથી ક્રમશઃ ઉપશાંત થતા હોવાથી પ્રથમ સ્થિતિનું અલ્પબદુત્વ પણ મળવું જોઈએ, છતાં એક વિશેષતાના કારણે તુલ્યકાળ મળે છે... તે આ રીતે પુરુષવેધરૂઢ જીવ - આ બન્નેની પ્રથમસ્થિતિ ૧ આવલિકા કરે છે. સ્ત્રીવેદારૂઢ જીવ - સ્ત્રીવેદની ૧ અંતર્મુહૂર્ત, શેષ બેની ૧ આવલિકા કરે. નપુંસકદારૂઢ જીવ - નપુંસકવેદની ૧ અંતર્મુહૂર્ત, શેષ બેની ૧ આવલિકા કરે. સ્ત્રીવેદોદયારૂઢ જીવ સ્ત્રીવેદની જેટલી પ્રથમસ્થિતિ કરે છે, એટલી જ નપુંસકવેદોદયારૂઢ જીવ નપુંસકવેદની કરે છે. અંતરકરણક્રિયા પૂર્ણ થયે નપુંસક વેદને ઉપશમાવવાનું શરૂ કરે છે. (જેમ કે અન્યવેદારૂઢ જીવ કરે છે તેમ) પણ અન્યવેધરૂઢ જીવ જ્યાં નપુંસક વેદને સર્વથા ઉપશાંત કરી સ્ત્રીવેદને ઉપશમાવવાનું ચાલુ કરે છે, ત્યાં પહોંચવા છતાં આ જીવ નપુંસક વેદનો ઉદય હોવાના કારણે, એનો નપુંસકવેદ શેષ બેને સત્તામાં રહેલ નપુંસકવેદ કરતાં નિબિડ હોવાથી, નપુંસકવેદને સર્વથા ઉપશાંત કરી શક્યો હોતો નથી. વળી તેમ છતાં એ સ્થાને પહોંચીને એ સ્ત્રીવેદને પણ ઉપશમાવવાનું ચાલું તો કરી જ દે છે, એટલે કે હવેથી એ બન્નેને ભેગા ઉપશમાવે છે. અને અન્યવેધરૂઢ જીવો જ્યાં સ્ત્રીવેદને ઉપશાંત કરી દે છે, ત્યાં આ જીવ નપુંસક અને સ્ત્રી બન્ને વેદને એક સાથે ઉપશાંત કરી દે છે. તેથી બન્નેનો ઉદયકાળ સમાન કહ્યો છે. ટુંકમાં વિટ આ0 ભાષ્યમાં પુરુષવેદ કે સ્ત્રીવેદથી આરૂઢ જીવને લક્ષમાં રાખી ક્રમ કહ્યો છે, નપુંસકવેધરૂઢની આ વિશેષતાના કારણે અહીં સ્ત્રી - નપું. નો ઉદયકાળ તુલ્ય કહ્યો છે એમ જાણવું.
જે વેદના ઉદયે આત્મા શ્રેણિ ઉપર ચડયો હોય તે વેદનો ઉદય તેના વિચ્છેદ થતા સુધી કાયમ રહે છે. પલટાતો નથી. ક્રોધાદિમાં તેમ નથી. ક્રોધના ઉદયે શ્રેણિ માંડનારને ક્રોધનો ઉદય વિચ્છેદ થયા પછી માનનો ઉદય થાય છે. તેનો ઉદય વિચ્છેદ થયા પછી અનુક્રમે માયા અને લોભનો ઉદય થાય છે.
અહીં વેદના ઉદયમાં જે અલ્પબદુત્વ કહ્યું તે એવી રીતે ઘટે છે કે ત્રણે વેદના ઉદયવાળા જુદા જુધ ત્રણ જીવોએ એકી સાથે શ્રેણિ આરંભી એકી સમયે ૯મા ગુણસ્થાને ગયા અને અંતરકરણ પણ એક સાથે જ શરૂ કર્યું. હવે નપુંસકવેદના ઉદયવાળાને ૯માં ગુણસ્થાનકના જે સમયે નપુંસકવેદના ઉદયનો વિચ્છેદ થાય તે જ સમયે સ્ત્રીવેદના ઉદયે શ્રેણિ માંડનારને તેના ઉદયનો વિચ્છેદ થાય છે, એટલે બંનેનો ઉદય કાળ સરખો કહ્યો છે. અને ત્યાર પછી સંખ્યાતગુણ કાળ ગયા પછી અને કર્મપ્રકૃતિ ચૂર્ણિના મતે સંખ્યાત ભાગ જેટલો કાળ ગયા પછી પુરુષવેદના ઉદયવાળાને પુરુષવેદનો ઉદય વિચ્છેદ થાય છે, એટલે તેનો સંખ્યાતગુણો ઉદયકાળ કહ્યો છે. અને કર્મપ્રકૃતિ ચૂર્ણિના મતે સંખ્યાતભાગ અધિક ઉદય કાળ કહ્યો છે. - માટે મતાન્તર જણાય છે. સારાંશ - બે વેદની પ્રથમ સ્થિતિ તુલ્ય છે. તેના કરતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ સંખ્યયગુણ અથવા વિશેષાધિક છે. આ રીતે જુદા જુદ્ધ જીવોની અપેક્ષાએ વિચારતાં અલ્પબહુત સ્પષ્ટ રીતે સમજાય છે. ક્રોધાદિની હકીકત તો સ્પષ્ટ છે. કારણ કે ક્રોધના ઉદયે શ્રેણિ આરંભનારને જ્યાં ક્રોધનો ઉદય વિચ્છેદ થાય છે ત્યાંથી અંતર્મુહૂર્ત પછી માનના ઉદયે શ્રેણિ આરંભનારને માનનો ઉદયવિચ્છેદ થાય છે એવી જ રીતે માયા-લોભ માટે પણ સમજવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org