________________
ઉપશમનાકરણ
૨૦૫
ટીકાર્ય :- મિથ્યાષ્ટિનું સ્વરૂપ કહે છે - મિથ્યાષ્ટિ જીવ ગુરુએ ઉપદેશ કરેલ પ્રવચનને નિશ્ચયથી શ્રદ્ધા ન કરે. આ તત્ત્વ છે એ પ્રમાણે આત્માને વિષે સમ્યક રીતે પરિણમાવે નહીં, પરંતુ ઉપદેશ કરેલા અને ઉપદેશ નહી કરેલા પ્રવચનને અસભૂત અર્થાતું હોય એનાથી વિપરીત અર્થથી શ્રદ્ધા કરે છે. પ્રવચનના એક પણ અર્થને વિષે આગ્રહમતિથી અસભૂત વિપરીત શ્રદ્ધા કરે, અને તે સિવાયના બધાય પદાર્થોને વિષે સભૃતાર્થ = યથાર્થ શ્રદ્ધા કરે તો પણ તે અશ્રદ્ધા કર્યા જેવું જ ગણાય. અર્થાત્ સર્વની શ્રદ્ધા કરે, અને એક પદાર્થની ન કરે તો પણ તે અશ્રદ્ધા જ કહેવાય. જે સૂત્ર અને અર્થનો અભેદ માનનારા ઘણાંનું અજ્ઞાન તપમાં પડવું અને સ્વલ્પ = થોડાકનું માર્ગાનુસારિપણું બતાવ્યું છે તે અગીતાર્થ કે ગીતાર્થની નિશ્રા ન હોવા છતાંય ફલને આશ્રયીને કહ્યું છે, એમ જાણવું.
सम्मामिच्छद्दिट्ठी, सागारे वा तहा अणागारे । अह वंजणोग्गहम्मि य, सागारे होइ नायवो ॥ २६ ॥ सम्यग्मिथ्यादृष्टिः, साकारे वा तथाऽनाकारे ।
अथ व्यञ्जनावग्रहे च, साकारे भवति ज्ञातव्यः ॥ २६ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ
ટીકાર્થ :- મિશ્રદષ્ટિનું સ્વરૂપ કહે છે :- ઉપયોગ વિષે વિચારતાં મિશ્રદૃષ્ટિ જીવ સાકારોપયોગમાં કે નિરાકારોપયોગમાં હોય છે. “સ' શબ્દ “ર' અર્થમાં છે. તેથી જો સાકારોપયોગમાં હોય તો અવ્યક્ત જ્ઞાનરૂપ વ્યવહારિક વ્યંજનાવગ્રહમાં જ હોય, પરંતુ અર્થાવગ્રહમાં ન હોય. કારણ કે સંશય જ્ઞાનવાળો એવો જિન પ્રવચન પર રાગ દ્વેષ રહિત મિશ્રદૃષ્ટિ કહેવાય છે. પરંતુ સમ્યક નિશ્ચય જ્ઞાનીને મિશ્રદૃષ્ટિ કહેવાય નહીં, અને સંશયજ્ઞાનીપણું વ્યંજનાવગ્રહને વિષે જ હોય છે. (ચિત્ર નંબર - ૭ જુઓ)
- -: ઇતિ ૧લી સમ્યકત્વ ઉત્પાદ પ્રરૂપણા સમાપ્ત :
૧૯
ટીપ્પણકારે આવી સમજણ આપી છે - કાર્મગ્રન્થિની પરિભાષા આવી છે - જે આ સાકારોપયોગ હોય છે તે બે પ્રકારે હોય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. સંધ્યાવેળા વગેરેના કારણે, જેમાં સંદેહ પડી શકે છે તેવા સ્થાણુ-પુરુષાદિ પદાર્થો વિષે તે પદાર્થોના ઊંચાઇ વગેરે રૂપ સમાનધર્મ માત્રની જાણકારી મળી હોવાથી બેમાંથી એકેયના નિશ્ચયરૂપે ન પરિણમતો એવો જે બોધવિશેષ હોય છે તે વ્યંજનાવગ્રહ છે. ‘અર્થમાત્રનું પ્રકટીકરણ(બોધ) ના હેતુભૂત ઊંચાઇ વિગેરે માત્ર રૂ૫ વ્યંજનનું અવગ્રહણ = અવબોધન એ વ્યંજનાવગ્રહ' આવી અહીં વ્યુત્પત્તિ જાણવી. સંશય - વિપર્યયનો વિષય ન બનેલ અને તેથી જ વિવિક્ત (અન્ય પદાર્થથી ભિન્ન) સ્વરૂપવાળા સ્થાણુ વિગેરે અર્થનો “આ સ્થાણુ છે' એવો અથવા “આ પુરુષ' એવો ઉલ્લેખપૂર્વક જે અવગ્રહ થાય છે તે અર્થાવગ્રહ. શંકા--સિદ્ધાન્તમાં તો વ્યંજનાવગ્રહની સાવ જુદી જ વ્યાખ્યા આવે છે. એ વ્યાખ્યા મુજબના વ્યંજનાવગ્રહમાં તો ઊર્ધ્વતાકાર વિગેરેનું પણ ગ્રહણ હોતું નથી, તો તમે આવી વ્યાખ્યા ક્યાંથી શોધી લાવ્યા ? સમાધાન ચૂર્ણિકારના વચનથી આવી વ્યાખ્યા જણાય છે, કેમકે તેઓએ કહ્યું છે કે “ગરા સંસવનાની અવત્તિનાગી પુર” અર્થાત્ “ કેમકે સંશયજ્ઞાની અવ્યકતજ્ઞાની કહેવાય છે.’ આમ કહીને ચૂર્ણિકારે મિશ્ર દૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે. જે મિશ્રમોહોદયના કારણે સંશયજ્ઞાની જેવો હોય છે. વળી એ જ મિશ્રદૃષ્ટિને સાકાર ઉપયોગમાં વ્યંજનાવગ્રહ હોય છે એવું કહ્યું છે. માટે જણાય છે કે સંશય વ્યંજનાવગ્રહરૂપ હોય છે. ઇન્દ્રિય અને અર્થનો સંબંધ થવા માત્રથી સ્વરૂ૫-નામ વગેરેની કલ્પના શુન્ય સામાન્ય માત્રવિષયક જે બોધવિશેષ થાય છે તે અનાકારોપયોગ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org