________________
ઉદીરણાકરણ
૧૫૯
जिव बोलइ तिम जो करइ सीलु अखंडु धरेइ ।
मुणिसूरि पंडिय तोसयरु पण्हुत्तरइ दलेइ ॥ १८ ॥ તેઓ જેવું બોલે છે તેવું પાલણ કરે છે, શીલને અખંડ રીતે ધારણ કરે છે, પંડિતોને સંતોષ કરનાર એવા પ્રશ્નોના ઉત્તરોને આપે છે, તે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે. તે ૧૮ ||
जिंव महुयर आवई कमलि गंधाइड्डियसत्त ।
તિમ દિ સીસા સુયમયલાસર ૧૧ | સુગંધની સમૃદ્ધિમાં આસક્ત થયેલ ભમરો જેમ કમલ પાસે આવે છે તેમ શ્રુતજ્ઞાનરૂપી મકરન્દમાં આસક્ત થયેલ શિષ્ય સમુદાય મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે આવે છે. તે ૧૯ છે.
जहिं विहरइ मुणिचंदसूरि तहिं नासइ मिच्छत्तु ।
चरइ नउलु जहिं ठावडइ सप्पु कि हिंडइ तत्यु ? ॥ २० ॥ જ્યાં મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિચરે છે ત્યાં મિથ્યાત્વ નાશ પામે છે. જ્યાં નોળીયો ફરતો હોય ત્યાં સાપ શું રહે(ફરે)? | ૨૦ ||
___ जिम्ह मेहागम तोसियहिं मोरहतणा निकाय ।
तिम्ह मुणिसूरिहिं आगमणि भवियाणं समुदाय ।। २१ ॥ જેમ વાદળા આવતાં મોરનો સમુદાય ખુશખુશાલ થાય તેમ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજના આગમનથી ભવ્ય જીવોનો સમુદાય ખુશ થાય છે.
सरयागमि जिव हंसुला हरिसिज्जति न मंति ।
मुणिसूरि पंडिया जणा तुह आगम निभंति ।। २२ ।। શરદઋતુનું આગમન થતાં જેમ હંસલાઓ હરખાય છે અને આનંદથી સમાતા નથી તેમ હે મુનિચંદ્રસૂરિજી ! તમારા આગમનથી પંડિતજનો ખુશ-ખુશાલ થાય છે. // ૨૨ /
तिह मणुयहं गउ बिहल जम्मु जेहिं न मुणिसूरि दिछ ।
किंव जच्चंधिहि लोयणिहिं जेहिं न ससिहरु दिट्ठ ।। २३ ॥ તે મનુષ્યનો જન્મ નિષ્ફળ ગયો કે જેમણે મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજને જોયા નથી. જન્માંધ માણસની આંખની શું કિંમત કે જેમણે ચંદ્રને જોયો નથી. ૨૩ ||
जाह पसना तुह नयण तह मणुयह सय कालु ।
हियइच्छिय सुह संपडहिं अनुछिदहि दुहजालु ॥ २४ ॥ જ્યારે તમારી આંખ પ્રસન્ન થાય ત્યારે મનુષ્ય હંમેશા મનવાંછિત સુખને પ્રાપ્ત કરે છે, અને દુઃખની જાળ કાપે છે. || ૨૪ છે.
दूसमरयणिहिं सर जिम्ब तह उद्विउ मुणिनाह ।
सिरिमुणिचंदमुणिंद पर महु फेडइ कुग्गाह ॥ २५ ॥ દુષમકાળની રાત્રીમાં જેમ સૂર્ય ઉગે તેમ મુનિઓના સ્વામી શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ઉગે છે, અને કદાગ્રહરૂપી અંધકારને કાપે છે. ૨૫ /
ઇતિ શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્તુતિનો ગુજરાતી અનુવાદ સમાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org