________________
ચાતુર્માસ પ્રવેશ પણ અદમ્ય ઉત્સાહથી થયો. ચાતુર્માસમાં શ્રી સિદ્ધાચલજીના છટ્ટ-અટ્ટમ તપની આરાધના ૭૫૦ આરાધકોએ કરી હતી. તે સર્વ તપસ્વીઓને કાર્તિકી પૂનમ બાદ ભાવનગરના સંઘપતિઓની તથા તપસ્વીઓની ભવ્ય વિદાય બાદ પાલીતાણામાં આવી ત્રણ દિવસમાં છેલ્લા કેટલાય વર્ષોમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં પણ જેની નોંધ લેવાઇ નથી તે રીતે ગિરિરાજ ઉપર નવટુંકોના સર્વ જિનબિંબોની અષ્ટ પ્રકારી પૂજા જિનમંદિરોની શુદ્ધિ - જિનબિંબોની વિશુદ્ધિ કરવા પૂર્વક ભાવવિભોર બની તપસ્વીઓ - સંઘપતિઓ તેમના પરિવારજને તે કે સમગ્ર ભારતના જૈન સંઘોને એક પ્રેરણારૂપ બની હતી.
જ્યારે પપૂઆ0 શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજની ૧૬મી વખતની સૂરિમંત્ર - પંચપ્રસ્થાન પીઠની ૧૬ દિવસની આરાધનાએ તો શ્રી સંઘનું તપોમય - સાધનામય વાતાવરણ ખડુ કર્યું હતું. - ચાતુર્માસ પરાવર્તન ઠાણાઓ ઠાણનો લાભ લેનાર મહાનુભાવે પોતાના ઉપકારી ૫૦પૂ. આo શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. ના ૫૧ વર્ષની સંયમ સાધનાની અનુમોદનાર્થે તથા પપૂ આ શ્રી અશોકસૂરીશ્વરજી મસા ની ૧૬ મી વખતની સૂરિમંત્રની પાંચમી પીઠની આરધનાની સ્મૃતિ અર્થે દર વર્ષે કારતક સુદ પૂનમ પછીના પ્રથમ રવિવારે કૃષ્ણનગર વિભાગના સાધર્મિકોના કાયમી સ્વામિવાત્સલ્ય કરાવવાનો આદેશ લઇ ગુરુભક્તિનો આદર્શ ખડો કર્યો હતો.
ઉપરોક્ત સિવાય અન્ય પણ શાસન પ્રભાવનાના કાર્યોની અનુમોદનાર્થે શ્રી ભાવનગર મૂ૦પૂ. તપાગચ્છ સંધે જ્ઞાનદ્રવ્યમાંથી ૩ લાખ જેવી રકમ પૂજ્યશ્રીના પ્રાચીન - અર્વાચીન ગ્રંથો પ્રકાશન અંગે શ્રી રાંદેરરોડ સંઘે પુસ્તક પ્રકાશન વિભાગની જવાબદારી સ્વીકારવાથી તે રકમ આપવાથી કર્મપ્રકૃતિ ભાવાનુવાદ ભાગ-૨નું પ્રકાશન થઇ રહ્યું
પુનઃ તે રીતે વિનંતિ કરીએ છે કે આ રીતે જ્યારે પણ અન્ય અન્ય ગ્રંથો જે પૂજ્યશ્રીના શિષ્ય - પ્રશિષ્યો તૈયાર કરી રહ્યા છે તે ભાવનગર શ્રી સંધ ભાવિના અન્ય પ્રકાશન કાર્યમાં જરૂરી આર્થિક સહયોગ પ્રદાન કરતાં રહેશે એવી અભ્યર્થના......
લી.
શ્રી રાંદેરરોડ શ્વેતાબંર મુર્તિપૂજક જૈન સંઘ કલ્પના સોસાયટી નંબર -૨ ની બાજુમાં
અડાજણ પાટીયા પાસે રાંદેરરોડ સુરત ૩૯૫ ૦૦૯
ક:E
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org