SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ G: પ્રકાશકીય નિવેદન :-) વિસંવ - ૨૦૪૮માં અમને રાંદેરરોડ જૈન શ્વેમૂ૦ પૂ૦ શ્રી સંઘના ભાગ્યોદયે ૫૦ પૂ. શાસનસમ્રા આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ - વિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરજી મસા) ના પટ્ટધર પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર આરાધક ૫૦પૂo આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા, પપૂ પન્યાસ પુષ્પચંદ્ર વિ. ગણિ, મસાd, ૫૦પૂ. પંન્યાસ સોમચંદ્ર વિજય ગણિવર્ય મસાd આદિ ઠાણા ચોમાસું બિરાજમાન હતા. પૂજ્યશ્રીના વિદ્વાન પંન્યાસપ્રવર સોમચંદ્ર વિ૦ ગણી મસાd જેસલમેર - પાટણ - ખંભાતના જ્ઞાનભંડારોની દુાખ હસ્તલિખિત પ્રતોની પ્રીન્ટો તથા ઝેરોક્ષનું કાર્ય ચાલતું હોવાથી તેઓશ્રી તો સતત પ્રવૃત્તિ જિનશાસનના આ મહાગ્રન્થોની સાચવણી માટે દત્તચિત્ત કાર્ય કરતા નજરે જોતા ત્યારે સહેજે લાગતું કે મુનિશ્રી જિનશાસન માટે શું કરી રહ્યા છે ? પુછ્યું ત્યારે કહ્યું છેલ્લા વર્ષોથી દુઃપ્રાપ્ય બનતા આપણા ગ્રન્થોનું જતન કરવાનું કામ શરૂ કર્યું છે. આ અંગે અમો શ્રી સંઘને લાભ મળે તેમ કરવા વિનંતી કરી તે વિનંતી પૂ૦ આચાર્ય મસાઇ પાસે ગઈ તો તેઓશ્રીએ જણાવ્યું કે આ કાર્યની વ્યવસ્થા તો અમદાવાદ ઓપેરા સોસાયટીના શ્રી મહાવીર સ્વામી જેન . મૂ૦ પૂ. શ્રી સંઘ કરે છે. પણ તમો શ્રી સંઘની લાભ લેવા ભાવના છે તો જે જે ગ્રન્થો તૈયાર થાય તેના સંપાદન તથા પ્રકાશન અંગે વ્યવસ્થા તંત્ર તમો ગોઠવો તો પણ ઘણો ઉત્તમ લાભ મળશે. પૂજ્યશ્રીનું આ વચન શ્રી સંઘે સ્વીકારી લીધું. સદ્ભાગ્યે વિ. સં. ૨૦૪૯ના ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસાઇ તથા પ0પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસાd આદિ ઠાણા-૨૦ નું ચાતુર્માસ રાંદેરરોડ થયું. અને તે વખતે “સચિત્ર સિદ્ધ સરસ્વતી સિંધુ” પુસ્તકનું કાર્ય મુનિશ્રી કુલચંદ્ર વિજયજી કરી રહ્યા હતા. તો તે પુસ્તકનું પ્રકાશન ખર્ચ અમો શ્રી સંધે સ્વીકાર્યું હતું આવું જ આ ગ્રન્થનું પ્રકાશન કાર્ય કે જે કર્મસાહિત્ય અંગે એક અને અજોડ ગણી શકાય તેવા કમ્મપયડી = કર્મપ્રકૃતિ ગ્રન્થ પ૦પૂ૦ મહોપાધ્યાય યશોવિજયજી વિરચિત વૃત્તિનો ભાવાનુવાદ ભાગ-૧ ૫૦પૂ. મુનિશ્રી કેલાસચંદ્ર વિજયજી મહારાજે તૈયાર કર્યો હતો. જે ગ્રન્થનું પ્રકાશન સૂર્યપૂર(સુરત)નગરે ગોપીપુરામાં પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવસૂરીશ્વરજી મસા આદિ-૬ સૂરિ ભગવંતોની નિશ્રામાં પ0પૂ૦ ઉપાધ્યાય સોમચંદ્ર વિજય ગણિવર્ય મસાની આચાર્ય પદવી પ્રસંગે વિશાલ માનવ મેદનીમાં સંવત ૨૦૫રના જેઠ સુદ-૬ના રોજ થયું હતું. હવે ટુંક સમયમાં ભાગ-૨ પણ તૈયાર થયેલ છે. તે ગ્રંથનું પ્રકાશન કરતાં અમો અતિ આનંદ માનીએ છે. (-: ભાવનગર ચાતુર્માસના સંભારણા :-) વિ. સંવત ૨૦૫૦ ના ચોમાસા માટે શ્રી ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘે શાસન સમ્રાટુ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરજી મસાના પટ્ટધર પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના ગુરુબંધુ ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસાઇ, પ0પૂ. પં શ્રી સ્યુલિભદ્ર વિ૦મસા, ૫૦પૂ. પ૦ શ્રી પુષ્પચંદ્ર વિ.મસા, - ૫૦પૂ૦ ૫૦ શ્રી સોમચંદ્ર વિ૦ ગણિવર્ય મસાd આદિ ૨૨ ઠાણાને વિનંતિ કરી અને પૂજયશ્રીએ તે સ્વીકારી ચાતુર્માસ પ્રવેશ પહેલા શ્રી આનંદનગરના શ્રી નેમિનાથના જિનાલયે અંજનશલાકા - પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કલ્પના બહાર ઉછામણીઓ - સંઘ જમણ તેમજ કાયમ માટે પ્રતિષ્ઠા દિનની વર્ષગાંઠ અંગે સમગ્ર ભાવનગર સંઘમાં લાડુના શેષની પ્રભાવના અંગે સ્થાયી ફંડ થયું. સમઢીયાળા પાંજરાપોળ અંગે પણ મોટી રકમનું ફંડ થયું. આનંદનગર - વિદ્યાનગર વિભાગના ઉપાશ્રયો અંગે પણ પૂજયશ્રીની પ્રેરણાથી સારી ઉછામણી બોલવા પૂર્વક આદેશ અપાયા હતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy