________________
ઉદીરણાકરણ - સારસંગ્રહ
૧૪૩
ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી આ બે પ્રકૃતિઓનો ઉદય માને છે, તેઓના મતે બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી હોય છે એમ સમજવું.
અપ્રમત્તાભિમુખ તત્વાયોગ્ય વિશુદ્ધ પ્રમત્તયતિ થીણદ્વિત્રિકના સ્વામી છે. કારણ કે તેની ઉદીરણા કરનાર જીવોમાં તેઓ જ સર્વથી વધારે વિશુદ્ધ હોય છે.
ક્ષાયિકસભ્યત્વ પ્રાપ્ત કરનાર ચારથી સાત ગુણસ્થાનક સુધીના, યથાસંભવ ચારે ગતિમાં સમ્યત્વમોહનીયની સમયાધિક આવલિકા શેષ હોય એવા ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિજીવો સમકિતમોહનીયના સ્વામી છે. કારણ કે તેની ઉદીરણા કરનાર જીવોમાં આ જીવ જ અતિવિશુદ્ધ હોય છે. તેમજ કૃતકરણ અવસ્થામાં કાળ કરી ચારે ગતિમાં જઈ શકે છે. માટે તેવા જીવો સ્વામી કહ્યાં છે.
સમકાળે સમ્યકત્વ અને સર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત કરનાર મિથ્યાત્વના ચરમસમયવર્ત અનંતાનુબંધિ ચાર કષાય અને મિથ્યાત્વના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી અવિરત સમ્યગ્દષ્ટિ અપ્રત્યાખ્યાનીય ચાર કષાયના, સર્વવિરતિ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી દેશવિરત પ્રત્યાખ્યાનવરણ ચાર કષાયના તેમજ ત્રીજા ગુણસ્થાનકવાળા જીવો સમ્યકત્વ અને ચારિત્ર એક સાથે પ્રાપ્ત કરતા ન હોવાથી અનંતર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર ત્રીજા ગુણસ્થાનકના ચરમ સમયવર્તી જીવો મિશ્રમોહનીયના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
ચારે આયુષ્યમાં જઘન્ય સ્થિતિબંધ સાથે જ જઘન્ય રસબંધ થાય છે તેથી જઘન્ય સ્થિતિવાળા પોતપોતાના ભવમાં વર્તતાં જીવો તે તે આયુષ્યના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે પરંતુ નરકાયુષ્યના અતિવિશુદ્ધ અને શેષ ત્રણ આયુષ્યના અતિસંક્લિષ્ટ પરિણામ જાણવાં.
અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મ વાયુકાય જીવો ઉત્પત્તિના પ્રથમ સમયે ઔદારિકષર્કના તથા પ્રત્યેકનામકર્મના અલ્પ આયુષ્યવાળા બાદર પર્યાપ્ત વાયુકાય જીવો વૈક્રિયષકના અને અલ્પ આયુષ્યવાળા બેઇન્દ્રિય ઉત્પત્તિના પ્રથમ સમયે
દારિક અંગોપાંગના સ્વામી છે. એકેન્દ્રિયમાં વૈક્રિય એકાદસની ઉદ્વલના કરી અસંગ્નિ પંચેન્દ્રિયતિર્યંચમાં આવી અભ્યરસ બાંધી ત્યાંથી કાળ કરી પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા નરકમાં ઉત્પન્ન થનાર અતિસંક્લિષ્ટ પરિણામી નારકો ઉત્પત્તિના પ્રથમ સમયે વૈક્રિય અંગોપાંગના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. વિગ્રહગતિમાં વર્તતાં અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિ તેજસ-કાશ્મણસપ્તક, મૃદુ અને લધુસ્પર્શ વિના શુભવર્ણાદિનવક, સ્થિર, શુભ, અગુરુલઘુ અને નિર્માણ આ વીસ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. ત–ાયોગ્ય સંક્લિષ્ટ આહારકશરીરીઓ આહારકસપ્તકના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
અલ્પ આયુષ્યવાળા પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિય તિર્યંચો ઉત્પત્તિના પ્રથમ સમયે આહારી પ્રથમસંઘયણ તથા પ્રથમસંસ્થાનના, અને સર્વવિશુદ્ધ પૂર્વક્રોડના આયુષ્યવાળા ભવના પ્રથમ સમયે આહારી, પર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયો મધ્યમના ચાર સંસ્થાનના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. અલ્પ આયુષ્યવાળા જીવો વધારે સક્લિષ્ટ હોય છે, પુન્ય પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા સંક્લિષ્ટ પરિણામથી થાય છે. અને પ્રથમ સંધયણ તથા પ્રથમ સંસ્થાન પુન્યપ્રકૃતિ હોવાથી તેના સ્વામી અલ્પ આયુષ્યવાળા કહ્યાં છે. તથા દીર્ધાયુષ્યવાળા વધારે વિશુદ્ધ હોય છે તેમજ પાપપ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા વિશુદ્ધ પરિણામથી થાય છે. અને મધ્યમના ચાર સંસ્થાનો પાપપ્રકૃતિઓ હોવાથી તેની ઉદીરણાના સ્વામી પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા અસંગ્નિ પંચેન્દ્રિયો કહ્યાં છે, કારણ કે અસંજ્ઞિ પંચેન્દ્રિયોનું ઉત્કૃષ્ટથી પણ તેટલું જ આયુષ્ય હોય છે. સર્વવિશુદ્ધ પૂર્વક્રોડના આયુષ્યવાળા મનુષ્યો મધ્યમના ચાર સંઘયણના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે. તિર્યંચો કરતાં પ્રાય: મનુષ્યો અલ્પ બળવાળા હોય છે. માટે અહીં મનુષ્યો ગ્રહણ કરેલ છે.
દીર્ઘ આયુષ્યવાળા તસ્રાયોગ્ય વિશુદ્ધ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયો ઉત્પત્તિના પ્રથમ સમયે હુડકસંસ્થાન, ઉપઘાત અને સાધારણનામકર્મના, અતિસંક્લિષ્ટ પરિણામી તે જ સૂક્ષ્મ એકેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તના ચરમ સમયે પરાઘાતનામકર્મના, આતપ તથા ઉદ્યોતના ઉદયવાળા અતિસંક્લિષ્ટ પરિણામી ખર બાદર પૃથ્વીકાય જીવો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તના પ્રથમ સમયે ક્રમશઃ આતપ અને ઉદ્યોતનામકર્મના અને બાર વર્ષના આયુષ્યવાળા બારમા વર્ષમાં વર્તતાં બેઈન્દ્રિયો સેવા સંવનનના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
વિગ્રહગતિમાં વર્તમાન તત્વાયોગ્ય અતિવિશુદ્ધ સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવો મૃદુ અને લઘુસ્પર્શના જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
Jain Education International
For Personal & Private Use Only
www jainelibrary.org