SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ કર્મપ્રકૃતિ ભાગ-૨ ટીકાર્થ :- પુદ્ગલવિપાકી સર્વ પણ પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા ભવના પ્રથમ સમયે હોય છે, અને આ સામાન્ય વચન છે. તેથી અમુક પ્રકૃતિઓની ઉદીરણા અમુક જીવને હોય એ પ્રમાણે એ પ્રકૃતિઓની વિશેષ વિવક્ષા કરીશ એ પ્રતિજ્ઞાના નિર્વાહમાં હવે વિશેષ વિવક્ષા કરે છે.-“મારૂ’ ઈત્યાદિ ઔદારિક અને વૈક્રિયરૂપ પ્રથમના બે શરીરની જઘન્ય અનુભાગ ઉદીરણા અનુક્રમે અલ્પ આયુષ્યવાળા સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય અને બાદર પર્યાપ્ત વાયુકાયને હોય છે. અહીં શરીર ગ્રહણ કરવાથી બંધન અને સંઘાતનનું પણ ગ્રહણ જાણવું. તેથી તાત્પર્યાર્થ એવો થાય છે કે- દારિફ શરીર, દારિક સંઘાતન, ઔદારિક બંધન ચતુષ્ક એ દારિક પદ્ધની જઘન્ય અનુભાગ ઉદીરણા અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય વાયુકાયને હોય છે. અને વૈક્રિયષદ્ધની જઘન્ય અનુભાગ ઉદીરણા પર્યાપ્ત બાદર વાયુકાયને હોય છે. અને પંચસંગ્રહ ઉદીરણાકરણની ગાથા-૭૩માં કહ્યું છે.- ૩રતીસ્સ સમાપન વા વાયરપતિ વે’ રૂતિ- ઔદારિકષકની સૂક્ષ્મ અપર્યાપ્ત વાયુકાય, અને વૈક્રિયષકની બાદર પર્યાપ્ત વાયુકાય જઘ0 અનુ0 ઉદી કરે છે. बेइंदिय अप्पाउग - निरय चिरठिई असण्णिणो वा वि । अगोवगाणाहारगाइ, जइणोऽप्पकालम्मेि ।। ७४ ।। द्वीन्द्रियोऽल्पायुष्को - नैरयिकाश्चिरस्थितिकोऽसंज्ञी वाऽपि । अङ्गोपाङ्गयोराहारकस्य, यतिनोऽल्पकाले ।। ७४ ।। ગાથાર્થ - અલ્પ આયુષ્યવાળો બેઈન્દ્રિય ઔદારિક અંગોપાંગની, અને જેને વૈક્રિય ઉવેલું છે એવો અસંજ્ઞિમાંથી આવેલો દીર્ધ સ્થિતિવાળો (અતિકૂર) નારક વૈક્રિય અંગોપાંગની જ00 અનુ0 ઉદી કરે છે. ટીકાર્થ :- દારિક અંગોપાંગ અને વૈક્રિય અંગોપાંગરૂપ બન્ને અંગોપાંગનો અનુક્રમે અલ્પાયુષ્યવાળા બેઈન્દ્રિય તથા અસંજ્ઞિ ભવથી નીકળીને દીસ્થિતિવાળો થયેલ નારક જઘન્ય અનુભાગનો ઉદીરક છે. અહીં તાત્પર્ય એ છે કે-અલ્પાયુષ્યવાળ બેઈન્દ્રિય જીવ ઔદારિક અંગોપાંગના પ્રથમ સમયે ઔદારિક અંગોપાંગની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. તથા પૂર્વે વૈક્રિયની ઉવલના કરી છે તેવો અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ વૈક્રિય અંગોપાંગને અલ્પકાળ પર્યત બાંધીને પોતાની સ્થિતિ અનુસારે દીર્ઘ સ્થિતિવાળો નારક થાય, તેવો અતિસંફિલષ્ટ જીવ વૈક્રિય અંગોપાંગના ઉદયના પ્રથમ સમયે વર્તતાં વૈક્રિય અંગોપાંગની જધન્ય અનુભાગ ઉદીરણા કરે છે. બેઈન્દ્રિયનું અલ્પ આયુષ્યપણું અને નારીનું દીર્ઘ આયુષ્યપણું સંકુલેશનું કારણ છે. તેથી સંકુલેશ જણાવવા માટે તે રીતે ગ્રહણ કર્યું છે. તથા “સાહાર” ત્તિ-મૂળમાં પ્રાકૃતશૈલીને અનુસારે સ્ત્રીલિંગ છે. તેથી આહારકના ઉપલક્ષણથી આહારકસપ્તકની જઘન્ય અનુભાગ ઉદીરણા આહારક શરીરને કરતાં સંકુલેશવત મુનિને પ્રથમ સમયે હોય છે. अमणो चउरंसुसभा-णप्पाऊ सगचिरट्टिई सेसे । । संघयणाण य मणुओ, हुंडुवघायाणमवि सुहुमो ।। ७५ ॥ अमनस्क ः चतुरस्रवज्रर्षभनाराचयोरल्पायुः स्वकचिरस्थितिः शेषाणाम् । संहननानां च मनुजो, हुण्डोपघातमपि सूक्ष्मः ।। ७५ ।। ગાથાર્થ :- અલ્પ આયુષ્યવાળો અસંજ્ઞિ પ્રથમ સંઘયણ-સંસ્થાનની દીર્ધ સ્થિતિવાળો અસંજ્ઞિ હુડક સિવાયના ચાર સંસ્થાન અને મનુષ્ય મધ્યમ ચાર સંઘયણની અને દીર્ધ સ્થિતિવાળો સૂક્ષ્મ એકેન્દ્રિય હુંડક-ઉપઘાતનામની જઘ0 અનુ0 ઉદીરણા કરે છે. ટીકાર્થ :- મનના- અલ્પ આયુષ્યવાળો, અતિસંફિલષ્ટ પ્રથમ સમયે જ સ્વભવસ્થ આહારક થયેલો અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ સમચતુરસ્ત્ર સંસ્થાન અને વજ8ષભનારાચ સંઘયણ એ બે પ્રકૃતિની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે. અહીં અતિ સંકુલેશને માટે અલ્પ આયુષ્યનું ગ્રહણ કર્યું છે. તથા અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ જ સાવરદિ' રિ પોત પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો ભવના પ્રથમ સમયે આહારક હોય છે. તેથી તે અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ “શ' = અહીં ષષ્ઠી વિભકિતના અર્થમાં સપ્તમીનો પ્રયોગ છે અને સમુદાયાર્થે એક વચન છે તેથી અર્થ એવો થાય છે કે હુંડક સિવાયના મધ્યમ ૭૮ અહીં પર્યાપ્ત બાદર વાયુકાય જીવને સ્વામીપણે કહ્યો છે, તેથી તે પર્યાપ્ત શબ્દ આંદારિક શરીરની અપેક્ષાએ કરણ પર્યાપ્ત લેવાં. વૈક્રિય શરીરની અપેક્ષાએ અહીં કરણ અપર્યાપ્ત ઉદયના પ્રથમ સમયે વર્તતાં સંફિલષ્ટ જધન્ય અનુભાગ ઉદીરણા કરે છે. આ પ્રમાણે પૂજ્ય ચૂર્ણાકારનું વચન અંતર કિરણબાદ ઘાતિ કર્મોના રસ ક્ષેપકને એ કેન્દ્રિય આદિ કરતાં અનંતમાં ભાગ હોય છે, પણ શેપ અશુભનો તો પછી પણ અસંગ્નિ આદિન જ અનંતમો ભાગ હોય છે. તેથી અહીં સયોગી ચરમ સમય ન આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005573
Book TitleKarm Prakruti Part 02
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy