________________
૧૧૦
કર્મપ્રકૃતિ ભાગ-૨
ગાથાર્થ :- દાનાંતરાયાદિ-૫ અને અચક્ષુદર્શનાવરણીયના ઉત્કૃષ્ટ રસની ઉદીરણા હીન લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિયને ભવાઘ સમયે થાય છે. ચક્ષુદર્શનાવરણીયની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત તેઈન્દ્રિયને થાય છે.
ટીકાર્થ :- સાધાદિ પ્રરૂપણા કરી, હવે સ્વામિત્વ પ્રરૂપણા કહે છે.અને તે બે પ્રકારે છે.-(૧) ઉત્કૃષ્ટ ઉદીરણા વિષય, અને (૨) જઘન્ય ઉદીરણા વિષય. ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ ઉદીરણા સ્વામિત્વને કહે છે. - સર્વથી અલ્પ દાના અચક્ષુદર્શન વિજ્ઞાન લબ્ધિરૂપ હીન લબ્ધિવાળા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને ભવના પ્રથમ સમયે વર્તતાં અંતરાય-૫, અને અચક્ષુદર્શનાવરણ - એ ૬ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. તથા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ તેઈન્દ્રિય જીવને પર્યાપ્તિના અન્ય સમયે ચક્ષુદર્શનાવરણની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. દાનાન્તરાય આદીને કારણે થતાં ચક્ષુદર્શન લબ્ધિના પ્રતિબંધનું પરમકાષ્ઠા =પરાકાષ્ટાના ચોક્કસ સમયે જ થાય છે. તેથી તેનું = સર્વ પર્યાપ્તિથી પર્યાપ્ત તેઈન્દ્રિયનું ગ્રહણ કર્યુ છે.
निद्दाइपंचगस्स. य, मज्झिमपरिणामसंकिलिट्ठस्स । अपुमादिअसायाणां, निरए जेट्ठिइसमत्तो ।। ५९ ।।। निद्रादिपञ्चचकस्य च, मध्यमपरिणामसंक्लिष्टस्य ।
अपमाद्यसातानां , नैरयिको ज्येष्ठस्थितिसमाप्तः ॥ ५९ ॥ ગાથાર્થ :- મધ્યમ પરિણામવાલા અને તત્રાયોગ્ય સંક્લિષ્ટ જીવને પાંચે નિદ્રાની ઉ0 અનુ0 ઉદી થાય છે. તથા ઉત્કૃષ્ટ સ્થિતિવાળો પર્યાપ્ત નારકી નપુંસકાદિ - ૫ નોકષાય અને અસતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુ0 ના સ્વામી છે.
ટીકાર્થ :- મધ્યમ પરિણામી અર્થાતુ તત્પ્રાયોગ્ય સંક્લેશ યુક્ત અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા જીવને નિદ્રાપંચકની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. અતિ વિશુદ્ધ અથવા અતિ સંફિલશષ્ટ જીવને નિદ્રાપંચકનો ઉદય જ ન હોય તેથી કરીને મધ્યમ પરીણામી જીવનું ગ્રહણ કર્યું છે.
તથા “ગપુમારિના' એટલે નપુંસકવેદ આદી નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા અને અસતાવેદનીય એ ૬ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ સંકિલષ્ટ એવા નારકો જાણવાં.
पंचिंदियतसबायर - पज्जत्तगसायसुस्सरगईणं । વેડનુસાસા ફેલો, રેફિસમો / ૬૦ || पञ्चेन्द्रियत्रसबादर - पर्याप्तसातासुस्वरगतीनाम् ।
વિડિયોછુવાસાનાં તો, ગેસ્થિતિસમાત : / ૬૦ | ’ ગાથાર્થ :- પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સાતાવેદનીય, સુસ્વર, દેવગતિ, વૈક્રિયસપ્તક, અને ઉચ્છવાસ નામકર્મના ઉત્કૃષ્ટ અનુo ઉદી ના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પર્યાપ્ત દેવો છે.
ટીકાર્થ :- ૩૩ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિવાળા, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત સર્વ વિશુદ્ધ એવા દેવ પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સાતાવેદનીય, સુસ્વર, દેવગતિ, વૈક્રિયસપ્તક, ઉચ્છવાસ એ ૧૫ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
૬૭ અહીં ઉદીરણાના સ્વામિત્વના સંબંધમાં કેટલીએક પ્રકૃતિઓનું સ્વામિત્વ સમજાય છે. કેટલીએકનું સમજાતું નથી. નહી સમજાય તેને બહુશ્રુતને
ભળાવીને સમજાય તે કારણોને અહીં બતાવવા પ્રયાસ કર્યો છે. અહીં સૂક્ષ્મ એકેન્દ્રિયોને ભવ પ્રથમ સમયે દાનાંતરાયાદિ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા કહી છે. કારણ એમ જણાય છે કે શરૂઆતમાં તે દાનાદિગુણો ખૂબ દબાયેલો હોય છે, કર્મનો ઉદય તીવ્ર પ્રમાણમાં હોય છે એટલે ઉદીરણા પણ ઉત્કૃષ્ટ હોય છે. આ પ્રકૃતિઓનો દરેક જીવોને
યોપશમ હોય છે, અને તે પણ ભવ પ્રથમ સમયથી જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ વધારે હોવો જોઈએ એમ લાગે છે. એટલે આગળ જેમ જેમ યોગ વધતો જાય તેમ તેમ ક્ષયોપશમ વધતો હોય, અને તેથી ઉદીરણાનું પ્રાબલ્ય ધટતું જાય એમ લાગે છે. ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સાતમી નારકીના પર્યાપ્ત નારકીને ઉપરોકત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસની ઉદીરણા સંભવે છે. કેમ કે અત્યંત પાપ કરી સાતમી નારકીમાં ગયેલા હોય છે. વળી અપર્યાપ્તાથી પર્યાપ્ત અવસ્થામાં યોગ વધારે હોય એટલે પર્યાપ્ત ગ્રહણ કર્યો હોય તેમ લાગે છે. આ સઘળી પુન્યપ્રકૃતિઓ છે, એટલે તેની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પુજના તીવ્ર પ્રકર્ષવાળા અનુત્તરવાસી દેવો કરે છે. પણ સાતાવેદનીયની ઉત્કૃષ્ટ અનુભાગની ઉદીરણા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે ઉત્કૃષ્ટ આદિ ભંગ વખતે ગાથા - ૫૪ની ટીકામાં કહ્યું છે, અને આ ગાથામાં પર્યાપ્ત અવસ્થામાં કહી છે. અહીં અનુત્તર સામાન્યથી કહ્યું છે, અને ત્યાં વિશેષરૂપે કહ્યું છે. એટલે વિરોધ જેવુ નથી.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org