________________
૧૦૮
કર્મપ્રકૃતિ ભાગ-૨ त्रयोविंशतेरजघन्याऽपि चैतासां शेषविकल्पा : ।
सर्वविकल्पा : शेषाणां वाऽप्यधुवाश्च सादिश्च ।। ५७ ॥ ગાથાર્થ :- મૃદુ અને લઘુની અનુત્કૃષ્ટ, તથા મિથ્યાત્વ ગુરુ અને કર્કશ એ ૩ની અજઘન્ય અનુભાગ ઉદીરણા-૪ પ્રકારે છે. તથા તૈજસાદિ-૨૦ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટાનુભાગોદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ છે. // પ૬ //
તથા જ્ઞાનાવરણાદિ-૨૩ પ્રકૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા પણ અનાદિ-ધ્રુવ અને અધ્રુવ છે. એ (૪૮) પ્રકતિઓના શેષ વિકલ્પો અને શેષ ૧૧૦ પ્રકૃતિઓના સર્વ વિકલ્પો પણ સાદિ અને અધ્રુવ છે. // પ૭ ||
ટીકાર્ય - તે પ્રમાણે મૂલપ્રકૃતિ વિષયની સાઘાદિ પ્રરૂપણા કરી, હવે ઉત્તરપ્રવૃતિઓને વિષે સાદ્યાદિ પ્રરૂપણા કહે છે.-મૃદુ અને લઘુસ્પર્શની અનુત્કૃષ્ટ અનુંભાગ ઉદીરણા સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. આ બન્નેની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આહારકશરીરવાળા મુનિને હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે પણ આહર,શરીર ઉપસંહરણ કરતાં સાદિ, તે સ્થાનને નહીં પામેલા જીવને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ,
તથા મિથ્યાત્વ-ગુરુ-અને કર્કશ-એ ૩ પ્રકૃતિની અજઘન્ય અનુભાગ ઉદીરણા-સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૪ પ્રકારે છે. ત્યાં સમ્યકત્વ અને સંયમને સમકાળે પામતો જીવ મિથ્યાત્વની જઘન્ય અનુભાગ ઉદીરણા કરે છે, અને તે સમયમાત્રપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય, અને તે સમ્યકત્વથી પડેલા જીવને સાદિ, તે સ્થાન (સમ્યકત્વ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. કર્કશ-ગુરુસ્પર્શની જઘન્ય અનુભાગ ઉદીરણા કેવલી સમુદ્યાતથી નિવૃત્ત થતાં છઠ્ઠા સમયે હોય છે, અને તે એક સમયનો હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય.-તે પણ કેવલી સમુઘાતથી નિવૃત્ત થતાં સાતમા સમયે હોય છે, તેથી સાદિ, તે સ્થાન (કેવલીસમુદ્ધાત) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ.
તથા તૈજસસપ્તક, મૃદુ-લઘુ સિવાયના શુભવર્ણાદિ-૧૧ (એટલે કે શુભવર્ણાદિ-૯) અગુરુલઘુ, સ્થિર, શુભ, નિર્માણ એ ૨૦ પ્રકૃતિઓની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા યોગી કેવલીના અન્ય સમયે હોય છે, પછી બીજે સર્વ પણ અનુષ્ટ, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ.
તથા જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, કૃષ્ણ-નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, રુક્ષ-શીતસ્પર્શ, અસ્થિર, અશુભ, અંતરાય-પ એ ૨૩ પ્રકૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એમ ૩ પ્રકારે છે. કારણ કે આ પ્રકૃતિઓની પોત-પોતાના ઉદીરણાને અન્ને જઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજઘન્ય, અને તે ધ્રુવ ઉદીરણાપણું હોવાથી અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ,
કહેલ આ (૪૮) પ્રકૃતિઓના બાકીના વિકલ્પો અર્થાત્ મૃદુ-લઘુ અને ૨૦ પ્રકૃતિઓના જઘન્ય-અજઘન્ય અને ઉત્કૃષ્ટ, તથા મિથ્યાત્વ-ગુરુ-કર્કશ અને ૨૩ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ અને અધ્રુવ હોય છે. તે આ પ્રમાણે કહે છે.-મૃદુ-લઘુ અને ૨૦ પ્રકૃતિઓની જઘન્ય-અજઘન્ય અનુભાગ ઉદીરણા, અને કર્કશ-ગુરુ-મિથ્યાત્વ અને ૨૩ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ-અનુષ્ટ અનુઉદી મિથ્યાષ્ટિ જીવને પરાવૃત્તિથી પ્રાપ્ત થાય છે, તેથી સાદિ-અધ્રુવ છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય એ બન્ને વિષય પૂર્વે જ કહ્યાં છે.
કહ્યા સિવાયની બાકીની ૧૧૦ પ્રકૃતિઓના સર્વ પણ વિકલ્પો ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ-જઘન્ય અને અજઘન્ય અનુભાગ ઉદીરણા આંધ્રુવોદયપણું જ હોવાથી સાદિ-અધ્રુવ છે. (યંત્ર નં-૧૦ જુઓ, પરિશિષ્ટ-૧માં યંત્ર નં-૪ જુઓ)
ઈતિ પમી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત - અથ ઘટ્ટી સ્વામિત્વ પ્રરૂપણા :-) दाणाइ अचक्खूणं, जिट्टा आइम्मि हीणलद्धिस्स । सुहुमस्स चक्खुणो पुण, तेइंदिय सव्वपज्जत्ते ।। ५८ ।। दानाद्यचक्षुषां, ज्येष्ठा आदी हीनलब्धः । सूक्ष्मस्य चक्षुषःपुन, स्त्रीन्दियस्य सर्वपर्याप्तस्य ।। ५८ ।।
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org