________________
ઉદીરણાકરણ
ટીકાર્થ :- તે પ્રમાણે મૂલપ્રકૃતિ સંબંધી સાદિ-અનાદિ પ્રરૂપણા કહીં. હવે ઉત્તરપ્રકૃતિ સંબંધી સાઘાદિ પ્રરૂપણા ક૨વાની ઈચ્છાવાળા કહે છે. મિથ્યાત્વની અજઘન્ય સ્થિતિ ઉદીરણા-૪ પ્રકારે છે. સાદિ-અનાદિ-ધ્રુવ અને અધ્રુવ ભેદથી છે. ત્યાં મિથ્યાદૃષ્ટિ જીવ પ્રથમ વખતના સમ્યક્ત્વને ઉત્પન્ન કરતો હોય ત્યારે મિથ્યાત્વની પ્રથમ સ્થિતિ સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વની જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે, અને તે સાદિ-અધ્રુવ છે. અને પછી સમ્યક્ત્વથી પડેલાને અજઘન્ય, અને તે સાદિ, તે સ્થાન - સમ્યક્ત્વ નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય - ભવ્ય અપેક્ષાએ છે.
તથા ધ્રુવોદી૨ણા જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, અંતરાય-૫, તેજસસપ્તક, વર્ણાદિ-૨૦, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ નિર્માણનામકર્મ. એ ૪૭ પ્રકૃતિઓની અજઘન્ય સ્થિતિ ઉદીરણા અનાદિ-ધ્રુવ અને અધ્રુવ એ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે કહે છે - જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫ અને દર્શનાવરણ-૪ એ ૧૪ પ્રકૃતિઓની ક્ષીણકષાયવાળા જીવ પોતાના (૧૨મા) ગુણસ્થાનકે સમયાધિક આવલિકા બાકી રહે છતે જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે, અને તે સાદિ-અધ્રુવ છે. બાકી સર્વ પણ જગ્યાએ અજઘન્ય, અને તે હંમેશા હોવાથી અનાદિ છે. ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. તેજસસપ્તકાદિ ૩૩ નામ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા સયોગી કેવલીને અન્ય સમયે હોય છે, અને તે સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વ પણ અજધન્ય, અને તે અનાદિ છે. ધ્રુવ અધ્રુવ પૂર્વની જેમ.
૮૧
આ જ મિથ્યાત્વાદિ ૪૮ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ -અનુત્કૃષ્ટ - જઘન્યરૂપ ત્રણે વિકલ્પો સાદિ-અધ્રુવ બે પ્રકારે છે. કારણ કે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા ઉત્કૃષ્ટ સંક્લેશમાં વર્તતાં એવા મિથ્યાદૃષ્ટિ જીવને કેટલોક કાલ હોય છે, ત્યાર પછી સમયાન્તરે તે જ જીવને અનુત્કૃષ્ટ છે. તે બન્ને પણ (ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ) સાદિ-અધ્રુવ છે. જધન્ય તે પૂર્વે જ કહ્યાં છે.
બાકીની ૧૧૦ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ - અનુષ્કૃષ્ટ - જઘન્ય અને અજઘન્યરૂપ સર્વ વિકલ્પો સાદિ-અધ્રુવ ભેદથી બે પ્રકારે છે. કારણ કે તે અવોદયપણે હોવાથી સાદિ-અધ્રુવ છે. (યંત્ર નંબર - ૬ જુઓ) ઇતિ ૩જી સાધાદિ પ્રરૂપણા સમાપ્ત.
-: અથ ૪થી-૫મી અદ્ધાચ્છેદ
સ્વામિત્વ પ્રરૂપણા ઃअद्धाच्छेओ सामित्तं पि य ठिइसकमे जहा नवरं । तव्वेइसु निरयगईए वा तिसु हिट्टमखिईसु ।। ३२ ।। अद्धाच्छेदः स्वामित्वमपि च स्थितिसंक्रमे यथा नवरम् । तद्वेदिषु नरकगतेर्वा तिसृष्वधस्तनक्षितिषु ।। ३२ ।।
ગાથાર્થ :- અદ્વાચ્છેદ અને સ્વામિત્વ તે જે રીતે સ્થિતિસંક્રમમાં કહ્યું છે તે જ રીતે અહીં પણ જાણવું, પરંતુ વિશેષ એ છે કે ઉદીરણા તે તત્પ્રકૃતિવેદક જીવને જાણવી, અને નરકદ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા નીચેની ત્રણ પૃથ્વીઓમાં (૫-૬-૭ નરકમાં) જાણવી.
ગુરૂપણા
ટીકાર્થ :- સાદિ-અનાદિ કહીં. હવે અદ્ધાચ્છેદ અને સ્વામિત્વને પ્રતિપાદન કરતાં કહે છે. - અદ્વાચ્છેદ અને સ્વામિત્વ જે પ્રમાણે સ્થિતિસંક્રમમાં કહ્યો તે પ્રમાણે જ અહીં પણ જાણવો. પરંતુ વિશેષ એ છે કે સંક્રમણકરણમાં તે પ્રકૃતિને નહીં વેદનાર જીવોમાં પણ સ્થિતિસંક્રમ કહ્યો છે, કારણ કે ઉદયના અભાવમાં પણ સંક્રમ થાય છે. પણ ઉદીરણામાં તો તે પ્રકૃતિના વેદકવાળા (ઉદયવાળા) જીવને જ જાણવી. કારણ કે ઉદયના અભાવમાં ઉદીરણાનો પણ અભાવ છે. એ વાત સંક્ષેપથી કહીં હવે વિસ્તારથી કહે છે.
૩૭
ત્યાં ‘સ્વોદયબંધોત્કૃષ્ટ :- જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૪, અસાતા, તૈજસસપ્તક, વર્ણાદિ-૨૦, નિર્માણ, અસ્થિર, અશુભ, અગુરુલઘુ, મિથ્યાત્વ, ૧૬કષાય, ત્રસાદિ-૪, દુર્ભાગાદિ-૪, વૈક્રિયસપ્તક, પંચેન્દ્રિયજાતિ, હુંડક,
૩૫
૩૬
૩૭
સ્થિતિસંક્રમમાં અદ્ધાચ્છેદ કહ્યો નથી. અને સ્વામિત્વ ગાથા ૩૮ થી ૪૩માં કહેલ છે.
જે કર્મોનો ઉદય હોય ત્યારે બંધ પ્રસંગે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે તે સ્વાદયબંધોત્કૃષ્ટ કહેવાય છે.
આગળ ૩૩મી ગાથાના ટીકાર્થમાં કહ્યા પ્રમાણે આતપનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક દેવ છે અને અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરક તે ઉદયવાળો દેહ પર્યાપ્ત પૃથ્વીકાય છે, તો આ પ્રકૃતિ ઉદય વખતે બંધોત્કૃષ્ટ કેમ સંભવે ? વળી અસાતા ઉદય બંધોત્કૃષ્ટ છે. તે ગણાવી નથી. તેથી ટીકામાં વર્શનાવરાવતુષ્ટયાસાત આવે અને પાધાતો સોઘોતા આવે. માટે વાચકવર્ગે ત્યાં સુધારવું. પૂ.મલયગિરિ મ.સા.ની ટીકામાં પણ સુધારવું.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org