SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ કર્મપ્રકૃતિ સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. પછી ફરી પણ તેટલાં જ યોગસ્થાનો અતિક્રમીને નીચેના યોગસ્થાનમાં અર્ધા સ્પર્ધકો પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્ય યોગસ્થાનો આવે. પ્રશ્ન થાય છે કે દ્વિગુણની હાનિથી બે ગુણ હાનિ (ઓછા) થયા, એ પ્રમાણે અર્થ થાય. પરંતુ અધહાનિ તે અર્થમાં મહાનિ શબ્દ ઘટતો નથી. જવાબ:- આ વાત સત્ય છે. તે તે દ્વિગુણવૃદ્ધિની અવધિની સમાપ્તિને આશ્રયીને હાનિને જ દ્વિગુણહાનિનું વિવક્ષિતપણું છે. એ પ્રમાણે બતાવવા માટે સૂત્રમાં “નાન''ત્તિ પદ અને જે આ દ્વિગણવૃદ્ધિસ્થાનો અથવા દ્વિગુણહાનિ સ્થાનો તે સર્વથી થોડા છે. (પલ્યોપમના અસંખ્યયભાગવતિ સમય પ્રમાણ માત્ર હોવાથી) તેથી એક દ્વિગુણવૃદ્ધિસ્થાન કે દ્વિગુણહાનિસ્થાનના અંતરાલમાં જે યોગસ્થાનો છે તે અસંખ્ય ગુણ છે. (પ્રત્યેક દ્વિગુણવૃદ્ધિ કે હાનિસ્થાનના અંતરમાં અસંખ્ય - અસંખ્ય હોવાથી) (ચિત્ર ન ૧-૨ જુઓ) ઇતિ ૭મી પરંપરોપનિધા પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૮મી વૃદ્ધિ પ્રરૂપણા - ) वुट्टिहाणिचउक्कं, तम्हा कालोत्थ अंतिमल्लाणं । अंतोमुत्तमावलि - असंखभागो य सेसाणं ॥ ११ ॥ वृद्धिहानिचतुष्कं, तस्मात्कालोऽत्राऽन्तिमयोः । अन्तर्मुहूर्त्तमावल्य - संख्येयभागश्च शेषाणाम् ।। ११ ॥ ગાથાર્થ :- યોગસ્થાનોની હાનિ વૃદ્ધિ ચાર ચાર પ્રકારની છે. તેથી અત્રે તે વૃદ્ધિ હાનિઓનો કાળ આ પ્રમાણે છે. અંત્યની વૃદ્ધિને હાનિ એ બેનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે ને શેષ ત્રણ વૃદ્ધિ હાનિનો કાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. ટીકાર્થ :- પરંપરોપનિધાની પ્રરૂપણા કરી, હવે (૮) વૃદ્ધિપ્રરૂપણા:- કરતાં કહે છે. વર્ષાન્તરાયના ક્ષયોપશમ ક્યારેક ક્યારેક કોઇ રીતે હોય છે. તે સંબંધી યોગસ્થાનો પણ ક્યારેક ઓછા થાય છે. ત્યાં વૃદ્ધિ ચાર પ્રકારે છે. (૧) અસંખ્યયભાગવૃદ્ધિ (૨) સંખે ભાગવૃદ્ધિ (૩) સંખેયગુણવૃદ્ધિ (૪) અસંખ્યયગુણવૃદ્ધિ. એ પ્રમાણે હાનિ પણ ચાર પ્રકારે છે. ((૧) અસંખ્યયભાગહાનિ (૨) સંખે ભાગહાનિ (૩) સંખ્યયગુણહાનિ (૪) અસંખ્યયગુણહાનિ.) જેથી આ પ્રમાણે વૃદ્ધિહાનિ જ પ્રવર્તે છે. તેથી અહીં કાલ પણ નિયત કહેવો. એ પ્રમાણે સંબંધ સહિત અન્વય કરવો. તે જણાવેલ વાત જ કહે છે. અંતિમ જે અસંખ્યયગુણવૃદ્ધિ અને અસંખ્યયગુણહાનિ તે દરેકનો કાલ અંતર્મુહર્ત છે. બાકીના પ્રથમ ત્રણ વૃદ્ધિહાનિનો આવલિકાના અસંખ્યયભાગ માત્ર કાલ હોય છે. અહીં આ પ્રમાણે ભાવના છે. ક્ષયોપશમ વધવાથી બતાવેલ યોગસ્થાનથી દરેક સમયે પછી પછીના અસંખ્યયગુણવૃદ્ધિવાળા યોગસ્થાનમાં જીવનું જે ચઢવાનું થાય તે અસંખ્યયગુણવૃદ્ધિ. જે ફરી ક્ષયોપશમ ઓછો થતાં દરેક સમયે પછી પછીના અસંખ્યયગુણહાનિવાળા યોગસ્થાનમાં (જીવનું જે) નીચે ઉતરવું તે અસંખ્યયગુણહાનિ થાય છે. આ બન્ને હાનિવૃદ્ધિનો ઉત્પષ્ટકાળ, અંતર્મુહુર્તકાલ નિરંતરપણે હોય છે. પ્રથમના ત્રણ વૃદ્ધિ કે હાનિનો ઉત્કૃષ્ટ કાલ આવલિકાના અસંખ્યયભાગ હોય છે. અને જઘન્યથી તો ચારે પણ એક-બે સમય સુધી હોય છે. (યંત્ર નં ૭ જૂઓ) ઇતિ ૮મી વૃદ્ધિ પ્રરૂપણા સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy