SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (૪) અપવર્તનાકરણ :- અપવર્યંત તે બન્ને (સ્થિતિ-૨સ) જે (વીર્ય પરિણતિ) વડે ઓછા કરાય તે અપવર્તનાકરણ ૩૨ ૪૨ - (૫) ઉદીરણાકરણ :- વીર્યંત - અર્થાત્ ઉદયમાં નહીં આવેલ કર્મદલિયાને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય જે (વીર્ય પરિણતિ) વડે તે ઉદીરણાકરણ. (૬) ઉપશમનાકરણ :- ૬પશમ્યતે - અર્થાત્ જે કર્મ ઉદય, ઉદીરણા, નિત્તિ, નિકાચનાકરણને અયોગ્યપણે વ્યવસ્થા કરાય જે વીર્યપરિણતિ વડે તે ઉપશમનાકરણ. ૩૩ (૭) નિધત્તિકરણ :- નીયતે - અર્થાત્ ઉર્જાના, અપવત્તના સિવાય બીજા કરણને અયોગ્યપણે કરી વ્યવસ્થાપિત જે વીર્ય પરિણતિ વડે થાય તે નિધત્તિકરણ. પૃષોદરાદિનો હોવાથી ઇષ્ટરૂપ “નિવૃત્તિ ’ સિદ્ધ થયું છે. - (૮) નિકાચનાકરણ :- વું ધાતુ બંધન અર્થમાં છે. હંમેશા જ્યંતે – પોતાની જાતે જ બંધાય તેવા પ્રકારના સંક્લિષ્ટ અધ્યવસાયવાળા જીવનું જે કર્મ તે પ્રયોજે જીવ જ તથા પ્રકારની અનુકૂલતા વડે થાય છે તેથી પ્રયોતૢ વ્યાપારમાં વૂિ પ્રત્યય તેથી નિષ્ઠાતે – અર્થાત્ સકલ કરણને અયોગ્યપણે કરી અવશ્ય વેદ્યરૂપે વ્યવસ્થા કરાય છે. કર્મ જીવને જે (વીર્ય પરિણતિ ) વડે તે નિકાચનાકરણ. અથવા વ્ ધાતુ બંધન અર્થમાં ચૌરાદિકગણનો પણ છે. તેનું આ રૂપ છે. ય સમુચ્ચય અર્થમાં છે રૂતિ શબ્દ પરિસમાપ્તિ =પૂર્ણતા બતાવનાર અર્થમાં છે. અર્થાત્ એટલા જ કરણ છે પણ અધિક નથી. બંધ સંક્રમણ આદિના કાર્યોના આઠ પ્રકાર વડે કરણ પણ આઠ પ્રકારે છે. એ પ્રમાણે ભાવ છે. અને આ કરણો જીવના વીર્ય વિશેષરૂપ છે માટે પ્રથમ વીર્યની પ્રરૂપણા કરે છે. ઇતિ આઠ કરણનું સ્વરૂપ સમાપ્ત -: અથ વીર્યનું સ્વરૂપ ઃ विरियंतरायदेसक्खणए सव्वक्खएण वा लद्धी । अभिसंधिजमियरं वा तत्तो विरियं सलेसस्स ।। ३॥ वीर्यन्तरायदेशक्षण, सर्वक्षयेण वा लब्धिः । મિથિમિતરવું વા, તતો વીર્ય સત્નેશ્વસ્ય | રૂ ૫ ગાથાર્થ :- વીર્યંતરાય કર્મના દેશક્ષયથી અથવા સર્વક્ષયથી વીર્યલબ્ધિ ઉત્પન્ન થાય છે. તેમાં પણ સલેશ્ય જીવની વીર્યલબ્ધિ અભિસંધિજ ને અનભિસંધિજ એમ બે પ્રકારની હોય છે. ટીકાર્થ ઃ- વીર્યાન્તરાયના દેશક્ષયથી અથવા સર્વક્ષયથી જે લબ્ધિ થાય છે, ત્યાં દેશક્ષયથી છદ્મસ્થોને અને સર્વક્ષયથી કેવલીને વીર્યલબ્ધિ પ્રાપ્ત થાય છે. તો’* ત્તિ તસ્યાઃ તે ક્ષાયિક ક્ષયોપશમ રૂપ વીર્યલબ્ધિ સકષાયથી ઉત્પન્ન થતી જે સલેશ્યનું વીર્ય અભિસંધિજ, તે બુદ્ધિપૂર્વક દોડવું, કૂદવું, વલગવું આદિ ક્રિયાને વિષે જોડે તેનાથી બીજુ અનભિસંધિજ ખાધેલ આહારનો મળ આદિ પણે પરિણામ પામે અથવા એકેન્દ્રિય આદિની તે તે ક્રિયાઓનું કારણ તેનો અહીં અધિકાર છે. એટલે ઉપસ્કાર ભેદ સહિત અહીં વ્યાખ્યા કરીશું. વીર્ય બે પ્રકારે છે. છાહ્મસ્થિક (છદ્મસ્થને) અને કૈવલિક (કેવલીને) બન્ને પણ દરેકને અકષાય અને સલેશ્ય (લેશ્યા સહીત) હોય છે. ત્યાં છદ્મસ્થોને અકષાયિ સલેશ્ય ઉપશાન્ત, ક્ષીણમોહિઓને અને કૈવલિકી સયોગી કેવલીઓને, ૩૨ આ બન્ને ક૨ણ સંક્રમના જ પેટા વિભાગો છે. તેમ છતાં, જ્યારે પ્રકૃતિ વગેરે ચારેય અન્યરૂપે થાય છે, ત્યારે સંક્રમ કહેવાય છે. અને પ્રકૃતિ બદલાયા વિના જ્યારે સ્થિતિ | રસમાં વૃદ્ધિ હાનિ થાય છે, ત્યારે એ ઉર્જાના / અપવર્નના કહેવાય છે. Jain Education International ૩૩ ઉપશમનામાં વિપાકોદય અને પ્રદેશોદયમાં વર્તતા કર્મનો વિપાકોદય અને પ્રદેશોય પણ બંધ પડે છે. એટલે કે એમ પણ કહી શકાય કે સર્વોપશમનામાં વિપાકોદય અને પ્રદેશોદય ન હોય અને દેશોપશમનામાં ઉપશમિત દલિકોમાં વિપાકોદય અને પ્રદેશોદય ન હોય, અને ઉપશમિત સિવાયના લિકોમાં વિપાકોદય અને પ્રદેશોદય બન્ને હોય છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy