SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ -: અથ ૨૨મું ઉત્કમવ્યવચ્છિદ્યમાન બંધોદયી કાર ) જે પ્રકૃતિઓનો પૂર્વ - ઉદય પછી બંધનો વિચ્છેદ થાય તે ઉત્ક્રમથી થાય, તે ઉર્જમવ્યવચ્છિદ્યમાન બંધોદયી કહેવાય છે. અયશ-કીર્તિ, સુરત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક. એ ૮ પ્રકૃતિઓ. કારણકે અયશ-કીર્તિનો પ્રમત્તમાં, દેવાયુષ્યનો - અપ્રમત્તમાં, દેવદ્ધિક વૈક્રિયદ્ધિકનો અપૂર્વકરણમાં બંધવિચ્છેદ અને તે ૬ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ અવિરતિમાં, આહારકદ્ધિકનો અપૂર્વકરણમાં બંધવિચ્છેદ અને ઉદયવિચ્છેદ - પ્રમત્તસંયતમાં. ઇતિ ૨૨મું ઉર્જમવ્યવચ્છિધમાન દ્વારા સમાપ્ત (Cઃ અથ ૨૩મું સાંતરબંધ દ્વાર :-) જે પ્રકૃતિઓનો જઘન્યથી સમયમાં બંધ અને ઉત્કૃષ્ટથી સમયથી શરૂ કરીને અંતર્મુહૂર્ત સુધી પછી ન બાંધે તે સાંતરબંધ. અર્થાત્ અંતર્મુહૂર્ણ મધ્યમાં પણ વિચ્છેદ થાય, અંતર સહિત બંધ જેઓનો થાય તે સાંતરબંધ, અંતર્મુહુર્ત પામતી બંધવૃત્તિ જાતિ તે સાંતરબંધ એ પ્રમાણે નક્કી થયું. તે અસતાવેદનીય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, નરકદ્રિક, આહારકદ્વિક, પહેલા સિવાય પાંચ સંસ્થાન, પાંચ-સંઘયણ, પહેલી જાતિ-૪, આતપ, ઉદ્યોત, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થિર, શુભ, યશકીર્તિ, સ્થાવરદશક, આ ૪૧ પ્રકૃતિઓ જઘન્યથી સમયમાત્ર બાંધે. ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત પછી પોતાના બંધનો હેતુ સદૂભાવમાં પણ તથા પ્રકારના સ્વભાવથી યોગ્ય અધ્યવસાય ફેરફાર થવાથી નિયમથી પ્રતિપક્ષ પ્રકૃતિઓ બાંધે. એટલે સાંતરબંધ કહેવાય છે. ઇતિ ૨૩મું સાંતરબંધ દ્વાર સમાપ્ત. (-: અથ ૨૪મું સાંતરનિરંતરબંધ દ્વાર :-) - જે પ્રકૃતિઓનો જઘન્યથી સમયમાત્ર બંધ અને ઉત્કૃષ્ટથી સમયથી શરૂ કરીને અંતર વિના અંતર્મુહૂર્ત ઉપર પણ અસંખ્યય કાલ સુધી તે સાંતર-નિરંતરબંધ. અંતર્મુહૂર્ત મધ્યમાં પણ સાંતર અને નિરંતર કરીને અંતર્મુહૂની મધ્યમાં વિચ્છેદ અને તેનો બંધ અને અંતર્મુહુર્તની ઉપર વિચ્છેદને તેનો બંધ એ રીતે ઉભયવૃત્તિ જાતિ તે સાંતર નિરંતરબંધ કહેવાય છે. અને તે સમચતુરટ્સ, વજહૃષભનારાય, પરાઘાત, ઉચ્છવાસ, પુરુષવેદ, પંચેન્દ્રિયજાતિ, સાતવેદનીય, શુભવિહાયોગતિ, વૈક્રિયદ્રિક, ઔદારિકદ્રિક, દેવદ્વિક, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્ધિક, ગોત્રઢિક, સુસ્વર - સૌભાગ્ય - આદેય (ત્રિક) ત્રસ - બાંદર - પર્યાપ્ત - પ્રત્યેક એ ૪ = ૨૭ પ્રકૃતિઓ તે જઘન્યથી સમય માત્ર બાંધે તે સાંતર, ઉત્કૃષ્ટથી અનુત્તર દેવ આદિ અસંખેય કાલ સુધી પણ બાંધે. અંતર્મુહૂર્ણ મધ્યમાં વિચ્છેદના અભાવથી નિરંતર. ઇતિ ૨૪મું સાંતરનિરંતરબંધ દ્વાર સમાપ્ત. - અથ ૨૫મું નિરંતરબંધ દ્વાર :-) - જઘન્યથી પણ જે અંતર્મુહુર્ત સુધી અંતર વિના જે બંધ તે નિરંતરબંધ, અંતર્મુહૂર્ણ મધ્યમાં ચાલ્યું ગયું છે અંતર વ્યવચ્છેદરૂપ જેનું તેવા પ્રકારનો બંધ જેઓનો છે તે વ્યુત્પત્તિથી અંતર્મુહૂર્ણ મધ્ય અવિચ્છેદ બંધવૃત્તિ જાતિ લક્ષણ જે તે નિરંતરબંધ કહેવાય છે. અને તે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, દર્શનાવરણ-૯, કષાય-૧૬, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અગુસ્લઘુ, નિર્માણ, તૈજસ, કાર્પણ, ઉપઘાત, વર્ણાદિ-૪ તે ૪૭ ધ્રુવબંધી, જિનના આયુષ્ય-૪ = એ પર પ્રકૃતિઓનો બંધ અંતર્મુહૂર્ત મધ્યમાં વિચ્છેદ થતો નથી. ઇતિ ૨૫મું નિરંતરબંધ દ્વાર સમાપ્ત. - અથ ૨૬મું ઉદય સંક્રમોત્કૃષ્ટા દ્વાર :-) જેઓનો વિપાક ઉદયે ચાલુ હોય સંક્રમણથી સ્થિતિ સત્તમાં પામે બંધથી નહીં. તે ઉદયસંક્રમોત્કણ કહેવાય છે. તે મનુષ્યગતિ, સાતાવેદનીય, સમ્યકત્વ, સ્થિરાદિ-૬, હાસ્યાદિ-૬, વેદત્રિક, શુભવિહાયોગતિ, પહેલા પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, ઉચ્ચગોત્ર એ ૩૦ પ્રકૃતિઓ ઉદયપ્રાપ્ત આ પ્રકૃતિના જે વિપક્ષભૂત નરકગતિ, અસતાવેદનીય, મિથ્યાત્વ આદિ પ્રકૃતિઓ તેની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને ઉદયપ્રાપ્ત આજ ૩૦ પ્રકૃતિઓના બંધની શરૂઆત કરે. બંધાતી એ પ્રકૃતિઓમાં પૂર્વબદ્ધ નરકગતિ આદિ વિપક્ષ પ્રકૃતિના દલિયા સંક્રમાવે છે. શુભ પ્રવૃતિઓની સ્થિતિ પોતાના બંધથી અલ્પ જ છે. પણ સંક્રમણથી આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પામે છે. ઇતિ ૨૬મું ઉદયસંક્રમોત્થા દ્વાર સમાપ્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy