SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ નરક પ્રાયોગ્ય ૨૮ના પતગ્રહમાં ૯૬, અને દેવ તથા નરક પ્રાયોગ્ય એમ બન્ને પ્રકારના ૨૮ના પતગ્રહમાં ૯૫ની સત્તાવાળા મનુષ્ય તથા તિર્યંચને ૯૫, ૯૫ની સત્તાવાળાને દેવદ્વિકની અથવા નરકઢિકની બંધાવલિકા વ્યતીત ન થાય ત્યાં સુધી ૯૩, ૯૩ની સત્તાવાળાને વૈક્રિયસપ્તક અને દેવદ્ધિક અથવા વૈક્રિયસપ્તક અને નરકદ્ધિક એ નવની પ્રથમ બંધાવલિકામાં ૮૪, એમ પાંચ સંક્રમસ્થાનો હોય છે અર્થાત્ નરક પ્રાયોગ્ય ૨૮ના પતગૃહમાં પાંચ અને દેવપ્રાયોગ્ય ૨૮ના પતગ્રહમાં ૯૬ વિનાના ચાર સંક્રમસ્થાનો હોય છે. તિર્યંચ, મનુષ્ય અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય એમ ત્રણે પ્રકારના ૨૯ પ્રકૃતિના બંધરૂપ પતગ્રહમાં સામાન્યથી ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એ સાત સંક્રમસ્થાનો હોય છે. તેમાં તિર્યંચ પ્રાયોગ્ય પતગ્રહમાં દેવતાઓને તથા નારકોને ૧૦૨ અને ૯૫ એ બે સત્તાસ્થાનો હોવાથી બે સંક્રમસ્થાનો, મનુષ્યોને ૧૦૨, ૯૫, ૯૩ અને ૮૪ એ ચાર અને તિર્યંચોને ૮૨ સહિત એ પાંચ સંક્રમસ્થાનો હોય છે, મનુષ્ય પ્રાયોગ્ય પતગ્રહમાં દેવતાઓને ૧૦૨ અને ૯૫ રૂપ બે સત્તાસ્થાન હોવાથી બે, નારકોને એ બે ઉપરાંત જિનનામ સહિત ૯૬ની સત્તા હોય ત્યારે અપર્યાપ્ત - અવસ્થામાં મિથ્યાદ્દષ્ટિને ૯૬ એમ ત્રણ, મનુષ્ય તથા તિર્યંચોને ૧૦૨, ૯૫, ૯૩ અને ૮૪ એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય પતગ્રહમાં ૧૦૩ની સત્તાવાળાને જિનનામકર્મની બંધાવલિકા વ્યતીત થયા બાદ ૧૦૩, બંધાવલિકામાં ૧૦૨, તેમજ આહા૨કસપ્તક વિના ૯૬ની સત્તાવાળાને જિનનામની બંધાવલિકા વ્યતીત થયા પછી ૯૬, અને જિનનામની પ્રથમ બંધાવલિકામાં ૯૫, એમ કુલ ચાર સંક્રમસ્થાનો હોય છે. ઉપર પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવ પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં સામાન્યથી ૧૦૩ વગેરે સાત સંક્રમસ્થાનો છે. ત્યાં ઉદ્યોત સહિત તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં દેવતા તથા નારકોને ૧૦૨ અને ૯૫ એ બે, મનુષ્યોને આ બે અને ૯૩ તથા ૮૪ એમ ચાર અને તિર્યંચોને ૮૨ સહિત પાંચ સંક્રમસ્થાનો છે. જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં ૧૦૩ અને ૯૬ની સત્તાવાળા દેવોને ક્રમશઃ ૧૦૩, તથા ૯૬, એ બે, અને નારકોને ૧૦૩ની સત્તા ન હોવાથી ૯૬ નું એક સંક્રમસ્થાન હોય છે. આહારકક્રિક સહિત દેવ પ્રાયોગ્ય ૩૦ના પતગ્રહમાં ૧૦૨ની સત્તાવાળા યતિને આહારકની અભ્યન્તર આવલિકામાં ૯૫ અને બંધાવલિકા વ્યતીત થયા પછી ૧૦૨, એમ બે સંક્રમસ્થાનો હોય છે. ૪૪૯ આહારકદ્વિક અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ૩૧ના પતગ્રહમાં ૧૦૩ની સત્તા હોય છે, પરંતુ આહારકક્રિક અને જિનનામ એ ત્રણેની બંધાવલિકા વ્યતીત થયા બાદ ૧૦૩, જિનનામની પ્રથમ બંધાવલિકામાં જિનનામ વિના ૧૦૨, આહારકદ્વિકની પ્રથમ બંધાવલિકામાં આહારકસપ્તક વિના ૯૬ અને જિનનામ તથા આહારકદ્ધિક એ ત્રણેની પ્રથમ બંધાવલિકામાં ૯૫, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. કેટલા અને કયા સંક્રમસ્થાનો કયા કયા પતહમાં સંક્રમે તે કહે છે. ઃ ૧૦૩નો સંક્રમ દેવ પ્રાયોગ્ય ૩૧, ૨૯ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ એમ ત્રણ પતગ્રહોમાં ૧૦૨ તથા ૯૫નો સંક્રમ ૨૩ આદિ આઠે પતગ્રહોમાં, ૧૦૧નો ૧ માં, ૯૬નો સંક્રમ ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એમ ચારમાં, ૯૩ અને ૮૪ એ બે સંક્રમસ્થાનો ૨૩, ૨૫ ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ એ છમાં, ૯૪, ૮૯, ૮૮ અને ૮૧ આ ચાર સંક્રમસ્થાનો ૧માં, ૮૨નો સંક્રમ ૨૩, ૨૫, ૨૬, ૨૯, ૩૦ અને ૧ એમ છ પતગ્રહોમાં થાય છે. ...... Jain Education International આ પ્રમાણે પ્રકૃતિસંક્રમ કહ્યો........ પ્રશ્ન :- પ્રકૃતિ એટલે કર્મ પરમાણુઓમાં અમુક સુખાદિ આપવાનો સ્વભાવ, અને સ્થિતિ એટલે સુખાદિ આપનાર કર્મ ૫૨માણુઓ આત્મા સાથે અમુક નિયત ટાઇમ સુધી રહી ફળ આપે તે, રસ એટલે અમુક પ્રમાણમાં સુખાદિ આપવાંનો કર્મ પરમાણુઓમાં રહેલ જે પાવર અર્થાત્ શક્તિ તે ..... તો આ પ્રકૃતિ વગેરે ત્રણે અમૂર્ત હોવાથી અને તે કર્મ પરમાણુઓની અંદર જ રહેતા હોવાથી તેમાંથી બહાર કાઢી અન્ય પતગ્રહ પ્રકૃતિ - સ્થિતિ અને ૨સાદિક રૂપ કેમ બની શકે ? કદાચ તમે એમ કહો કે સંક્રમ્યમાણ પ્રકૃતિઓના કર્મ પરમાણુઓ પતગ્રહ પ્રકૃતિ રૂપે પરિણમે અર્થાત્ પતગ્રહ પ્રકૃતિ રૂપે થાય ત્યારે સ્વભાવ વિગેરે પતગ્રહ પ્રકૃતિ રૂપે થઇ જાય છે, માટે પ્રકૃતિસંક્રમ વગેરે કહી શકાય તો તે પણ બરાબર નથી. કારણકે અન્ય કર્મના ૫૨માણુઓને અન્ય કર્મના પરમાણુ રૂપે બનાવવા તેને પ્રદેશસંક્રમ કહેવાય છે. અને તે પ્રદેશસંક્રમમાં અન્ય સંક્રમો પણ આવી જાય છે, માટે પ્રકૃત્યાદિ ચાર પ્રકારનો સંક્રમ કહેવો નિરર્થક છે. For Personal & Private Use Only www.jainsitorary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy