SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ કર્મપ્રકૃતિ ૮૨નું સત્તાસ્થાન, ૯૫ની સત્તાવાળાને ક્ષપકશ્રેણિમાં ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ અને ૮૪ની સત્તાવાળા તેઉકાય - વાયુકાયને મનુષ્યદ્ધિકની ઉદ્દ્વલના થયા બાદ - એમ બે રીતે આવે છે, તેથી બન્નેમાં પ્રકૃતિઓ ભિન્ન હોવા છતાં પ્રકૃતિઓની સંખ્યા સમાન હોવાથી એક જ ગણાય છે. આ દશ સત્તાસ્થાનોમાંથી ૯૦ અને ૮૩ એ બે સત્તાસ્થાનો સંક્રમમાં આવતા નથી. તેનું કારણ આગળ સમજાવશે. તે સિવાયના આઠ સત્તાસ્થાનો સંક્રમમાં છે. તેમ જ ૯ અને ૮ પ્રકૃતિરૂ૫ બે સત્તાસ્થાનો ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે હોવાથી પતઘ્રહના અભાવે સંક્રમ રૂપે થતા નથી તથા ૧૦૧, ૯૪, ૮૮, અને ૮૧ આ ચાર સંક્રમસ્થાનો સત્તાસ્થાનોથી અતિરિક્ત છે તેથી સત્તાસ્થાનોની જેમ કુલ સંક્રમસ્થાનો પણ બાર છે ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, અને ૧ પ્રકૃતિરૂપ જે આઠ બંધસ્થાનો છે, તેજ આઠ પતગ્રહ સ્થાનો છે. નામકર્મના પતગ્રહોમાં સંક્રમસ્થાનો - હવે કયા કયા પતગ્રહમાં કેટલા અને કયા કયા સંક્રમસ્થાનો હોય છે, તે કહે છે....... આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દસમા ગુણસ્થાનક સુધી એક યશકીર્તિ બંધાય છે તેથી યશ-કીર્તિરૂપ ૧ પ્રકૃતિનું પતઘ્રહ હોય છે. પરંતુ ત્યાં તે સિવાય નામકર્મની બીજી કોઇ પ્રકૃતિ બંધાતી ન હોવાથી યશકીર્તિનો સંક્રમ થતો નથી. | સામાન્યથી અનેક જીવો આશ્રયી ઉપશમશ્રેણિમાં આઠમા ગુણઠાણાથી દશમાં ગુણઠાણા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે નામકર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી ૧૦૩ વગેરે પ્રથમના ચાર સત્તાસ્થાનો હોય છે અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા પછી દશમાં ગુણઠાણા સુધી ૯૦, ૮૯, ૮૩, ૮૨ એ ચાર સત્તાસ્થાનો હોય છે. તેથી આઠમા ગુણઠાણાના સાતમા ભાગથી ઉપશમશ્રેણિમાં દશમા ગુણઠાણા સુધી અને ક્ષપકશ્રેણિમાં નવમાં ગુણઠાણાના પહેલા ભાગ સુધી યશકીર્તિ રૂ૫ ૧ ના પતગ્રહમાં ૧૦૩, ૧૦૨, ૯૬, અને ૯૫ ની સત્તાવાળા જીવોને યશ-કીર્તિ વિના ક્રમશઃ ૧૦૨, ૧૦૧, ૯૫ અને ૯૪ પ્રકૃતિરૂપ ચાર, અને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી દેશમાં ગુણસ્થાનક સુધી ૯૦, ૮૯, ૮૩ અને ૮૨ ની સત્તાવાળા જીવોને યશ:કીર્ત વિના ક્રમશ: ૮૯, ૮૮, ૮૨ અને ૮૧ પ્રકૃતિરૂપ ચાર, એમ કુલ આઠ સંક્રમસ્થાનો હોય છે. અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓનો બંધ કરનારા તિર્યંચ અને મનુષ્યો હોય છે. અને સામાન્યથી આ ત્રેવીસ પ્રકૃતિ બાંધતા તેઓને ૧૦૨, ૫, ૯૩, ૮૪, ૮૨, એ પાંચ સત્તાસ્થાનો હોય છે. તેથી ૨૩ ના પતઘ્રહમાં તિર્યંચોને આ પાંચ અને મનુષ્યોને ૮૨નું સત્તાસ્થાન ન હોવાથી શેષ ચાર સંક્રમસ્થાનો હોય છે. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્યય પચ્ચીસ પ્રવૃતિઓનો બંધ કરનારા સામાન્યથી નરક સિવાય ત્રણ ગતિના જીવો હોય છે. અને ત્રેવીસના બંધસ્થાનની જેમ પચ્ચીસના બંધે પણ સામાન્યથી પાંચ સત્તાસ્થાનો હોય છે. તેથી અહીં પણ ૨૫ના પતગ્રહમાં તિર્યંચોને પાંચેય સંક્રમસ્થાનો હોય છે પરંતુ મનુષ્યોને ૮૨ વિના ચાર અને દેવોને ૧૦૨ તથા ૯૫ પ્રકૃતિરૂ૫ બે સંક્રમસ્થાનો હોય છે. અપર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ બંધ કરનાર મનુષ્ય અને તિર્યંચો જ હોય છે, તેથી તે પચ્ચીસના પતäહમાં પણ મનુષ્યોને ૮૨ વિના ચાર, અને તિર્યંચોને પાંચે સંક્રમસ્થાનો હોય છે, પરંતુ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કરનાર તિર્યંચોને ૮૨નું સત્તાસ્થાન ન હોવાથી તે વિના શેષ ચાર સંક્રમસ્થાન હોય છે. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીસ પ્રકતિઓનો બંધ કરનાર નરક વિના ત્રણ ગતિના જીવો હોય છે અને સામાન્યથી પૂર્વોક્ત પાંચ સત્તાસ્થાનો હોવાથી છવ્વીસના પતäહમાં પણ તિર્યંચોને પાંચ સંક્રમસ્થાનો છે પરંતુ મનુષ્યોને ૮૨ વિના ચાર, અને દેવોને ૧૦૨, ૯૫ એમ બે સંક્રમસ્થાનો હોય છે. દેવ અથવા નરક પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિના પતંગ્રહમાં ૧૦૨ની સત્તાવાળાને ૧૦૨, પ્રથમ નરકા, બાંધી ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રાપ્ત કરી જિનનામ બાંધનાર ૯૬ ની સત્તાવાળા મનુષ્યને મિથ્યાત્વ અને નરકાભિમુખ અવસ્થામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy